તાપી : સાંઢકુવા પ્રાથમિક શાળાના બાળકોએ રતનજ્યોતનાં બીજ ખાઈ લેતા સારવાર હેઠળ,24થી વધુ વિદ્યાર્થીઓને થઈ ઉલટી

સાંઢકુવા પ્રાથમિક શાળાના બાળકોએ ભૂલમાં રતનજ્યોતના બીજ ખાધા હતા,જેના કારણે તેમની તબિયત લથડી હતી. સર્જાયેલી ઘટનાને પગલે શાળા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી

New Update
  • સાંઢકુવા પ્રાથમિક શાળામાં બાળકોની લથડી તબિયત 

  • 24થી વધુ બાળકોને ઉલટી થવાની ફરિયાદ

  • એકાએક બાળકોને ઉલટી થતા શાળા તંત્ર દોડતું થયું

  • બાળકોને વ્યારાની સિવિલ હોસ્પિટલ ખસેડાયા

  • રતનજ્યોતના બીજ ખાવાથી બાળકોની તબિયત લથડી 

Advertisment

તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના સાંઢકુવા ગામની જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળાના 24થી વધુ બાળકોને ઉલટીની ફરિયાદ ઉઠી હતી,તમામને તાત્કાલિક સારવાર હેઠળ વ્યારાની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા,બાળકોએ રતનજ્યોતનાં બીજ ખાઈ લેતા તબિયત લથડી હોવાનું આચાર્યએ જણાવ્યું હતું.

તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના સાંઢકુવા ગામની જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળામાં આજરોજ અચાનક એક પછી એક બાળકોને ઉલટી થવા લાગી હતી,જે અંગેની જાણ શાળાના આચાર્ય અને શિક્ષકોને થતા તેઓએ બાળકોના માતાપિતાને જાણ કરી હતી,અને 24 થી વધુ બાળકોને સારવાર અર્થે વ્યારાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા

શાળાના આચાર્ય અશ્વિન ગામીતે જણાવ્યું હતું કે બાળકોએ ભૂલમાં રતનજ્યોતના બીજ ખાધા હતા,જેના કારણે તેમની તબિયત લથડી હતી. સર્જાયેલી ઘટનાને પગલે શાળા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી,જોકે શાળામાં મધ્યાહન ભોજન પહેલા જ બાળકોની તબિયત લથડી હોવાનું પણ જાણવા મળ્યું છે.

Advertisment
Read the Next Article

ભરૂચ: સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત 4 સ્થળોએ યોજાયેલ સમર યોગ કેમ્પની પુર્ણાહુતી કરાય

સમર યોગ કેમ્પમાં ૭ થી ૧૫ વર્ષના બાળકોએ લાભ લીધો હતો. બાળકોમાં સંસ્કારોનું સિંચન થાય તેમજ તંદુરસ્ત જીવનશૈલી અપનાવે એ ઉદેશ્યથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

New Update
સમર યોગ કેમ્પ
ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગસેવક શીશપાલજીના નેતૃત્વ અને દક્ષિણ ગુજરાત ઝોનના કો-ઓર્ડીનેટર પ્રીતિબેન પાંડેના માર્ગદર્શન હેઠળ ભરૂચ ખાતે ‘‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન હેઠળ બાળકોમાં મેદસ્વિતાનું પ્રમાણ અટકાવી શકાય તે માટે ભરૂચ જિલ્લાના વિવિધ સ્થળોએએ યોગા ટિચર ભાવિની ઠાકરની આગેવાનીમાં સમર યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. 
Advertisment
સમર યોગ કેમ્પ
આ સમર યોગ કેમ્પમાં ૭ થી ૧૫ વર્ષના બાળકોએ લાભ લીધો હતો. બાળકોમાં સંસ્કારોનું સિંચન થાય તેમજ તંદુરસ્ત જીવનશૈલી અપનાવે એ ઉદેશ્યથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પ દરમિયાન યોગાસન, ધ્યાન, પ્રાણાયામ, મંત્રો અંગે તાલીમ આપવામાં આવી હતી તેમજ સંગીત, જુની રમતો, વિવિધ સ્પર્ધાઓ અને સેલ્ફ ડિફેન્સ જેવી વિવિધ પ્રવૃત્તિ કરાવવામાં આવી હતી.આ પ્રસંગે ભરૂચ  જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી તેમજ પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ અને દક્ષેશભાઈ પંચોલીના હસ્તે સર્ટિફિકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
Advertisment