તાપી : સાંઢકુવા પ્રાથમિક શાળાના બાળકોએ રતનજ્યોતનાં બીજ ખાઈ લેતા સારવાર હેઠળ,24થી વધુ વિદ્યાર્થીઓને થઈ ઉલટી

સાંઢકુવા પ્રાથમિક શાળાના બાળકોએ ભૂલમાં રતનજ્યોતના બીજ ખાધા હતા,જેના કારણે તેમની તબિયત લથડી હતી. સર્જાયેલી ઘટનાને પગલે શાળા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી

New Update
  • સાંઢકુવા પ્રાથમિક શાળામાં બાળકોની લથડી તબિયત 

  • 24થી વધુ બાળકોને ઉલટી થવાની ફરિયાદ

  • એકાએક બાળકોને ઉલટી થતા શાળા તંત્ર દોડતું થયું

  • બાળકોને વ્યારાની સિવિલ હોસ્પિટલ ખસેડાયા

  • રતનજ્યોતના બીજ ખાવાથી બાળકોની તબિયત લથડી

તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના સાંઢકુવા ગામની જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળાના 24થી વધુબાળકોને ઉલટીની ફરિયાદ ઉઠી હતી,તમામને તાત્કાલિક સારવાર હેઠળ વ્યારાની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા,બાળકોએ રતનજ્યોતનાં બીજ ખાઈ લેતા તબિયત લથડી હોવાનું આચાર્યએ જણાવ્યું હતું.

તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના સાંઢકુવા ગામની જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળામાં આજરોજ અચાનક એક પછી એક બાળકોને ઉલટી થવા લાગી હતી,જે અંગેની જાણ શાળાના આચાર્ય અને શિક્ષકોને થતા તેઓએ બાળકોના માતાપિતાને જાણ કરી હતી,અને 24 થી વધુ બાળકોને સારવાર અર્થે વ્યારાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા

શાળાના આચાર્ય અશ્વિન ગામીતે જણાવ્યું હતું કે બાળકોએ ભૂલમાં રતનજ્યોતના બીજ ખાધા હતા,જેના કારણે તેમની તબિયત લથડી હતી. સર્જાયેલી ઘટનાને પગલે શાળા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી,જોકે શાળામાં મધ્યાહન ભોજન પહેલા જ બાળકોની તબિયત લથડી હોવાનું પણ જાણવા મળ્યું છે.

Read the Next Article

ભરૂચ: અંગારેશ્વર ગામે વાલ્મિકી સમાજના પરિવાર પર વિધર્મીઓ દ્વારા અત્યાચારના આક્ષેપ,કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

ભરૂચના સામાજિક સમરસતા મંચ દ્વારા અંગારેશ્વર ગામે વાલ્મિકી સમાજના પરિવાર પર વિધર્મીઓ દ્વારા અત્યાચાર ગુજરાયો હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

New Update
  • ભરૂચ કલેકટરને પાઠવાયું આવેદનપત્ર

  • સામાજિક સમરસતા મંચ દ્વારા આવેદનપત્ર પાઠવાયું

  • પરિવાર પર અત્યાચાર ગુજારાયો હોવાના આક્ષેપ 

  • ન્યાય અપાવવા માંગ કરવામાં આવી

  • વિધર્મીઓ સામે કડક કાર્યવાહીની માંગ

ભરૂચના સામાજિક સમરસતા મંચ દ્વારા અંગારેશ્વર ગામે વાલ્મિકી સમાજના પરિવાર પર વિધર્મીઓ દ્વારા અત્યાચાર ગુજરાયો હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
ભરૂચના સામાજિક સમરસતા મંચ અને હીન્દુ આગેવાનો દ્વારા આજરોજ ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતું જેમાં જણાવ્યા અનુસાર ભરૂચ તાલુકાના અંગારેશ્વર ગામે રહેતા  જગદીશ સોલંકીના ઘરે નિકોરા ગામમા રહેતા તોસીફ  રાજ, સબ્બીર, મોઈન, સલીમ તથા સરફરાજ સહિતના શખ્સોએ જગદીશભાઈની દિકરી જમાઈને મકાન ખાલી કરી દેવા ધમકી આપી હતી ત્યાર બાદ બીજા દિવસે તોસિફ રાજ અને અન્ય શખ્સોએ જેસીબીથી મકાન તોડી પાડી દીકરીને માર માર્યો હતો અને શારીરિક અડપલા પણ કર્યા હોવાના આક્ષેપ કર્યા છે.મકાન અંગેનો મામલો કોર્ટમાં હોવા છતાં માથાભારે ઈસમો દાદાગીરી કરી રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે ત્યારે આ સમગ્ર મામલે સામાજિક સમરસતા મંચ અને હિન્દૂ સંગઠનો દ્વારા ન્યાયની માંગ કરવામાં આવી છે