તાપી : સાંઢકુવા પ્રાથમિક શાળાના બાળકોએ રતનજ્યોતનાં બીજ ખાઈ લેતા સારવાર હેઠળ,24થી વધુ વિદ્યાર્થીઓને થઈ ઉલટી

સાંઢકુવા પ્રાથમિક શાળાના બાળકોએ ભૂલમાં રતનજ્યોતના બીજ ખાધા હતા,જેના કારણે તેમની તબિયત લથડી હતી. સર્જાયેલી ઘટનાને પગલે શાળા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી

New Update
  • સાંઢકુવા પ્રાથમિક શાળામાં બાળકોની લથડી તબિયત 

  • 24થી વધુ બાળકોને ઉલટી થવાની ફરિયાદ

  • એકાએક બાળકોને ઉલટી થતા શાળા તંત્ર દોડતું થયું

  • બાળકોને વ્યારાની સિવિલ હોસ્પિટલ ખસેડાયા

  • રતનજ્યોતના બીજ ખાવાથી બાળકોની તબિયત લથડી 

Advertisment

તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના સાંઢકુવા ગામની જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળાના 24થી વધુ બાળકોને ઉલટીની ફરિયાદ ઉઠી હતી,તમામને તાત્કાલિક સારવાર હેઠળ વ્યારાની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા,બાળકોએ રતનજ્યોતનાં બીજ ખાઈ લેતા તબિયત લથડી હોવાનું આચાર્યએ જણાવ્યું હતું.

તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના સાંઢકુવા ગામની જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળામાં આજરોજ અચાનક એક પછી એક બાળકોને ઉલટી થવા લાગી હતી,જે અંગેની જાણ શાળાના આચાર્ય અને શિક્ષકોને થતા તેઓએ બાળકોના માતાપિતાને જાણ કરી હતી,અને 24 થી વધુ બાળકોને સારવાર અર્થે વ્યારાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા

શાળાના આચાર્ય અશ્વિન ગામીતે જણાવ્યું હતું કે બાળકોએ ભૂલમાં રતનજ્યોતના બીજ ખાધા હતા,જેના કારણે તેમની તબિયત લથડી હતી. સર્જાયેલી ઘટનાને પગલે શાળા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી,જોકે શાળામાં મધ્યાહન ભોજન પહેલા જ બાળકોની તબિયત લથડી હોવાનું પણ જાણવા મળ્યું છે.

Advertisment
Latest Stories