તાપી : સાંઢકુવા પ્રાથમિક શાળાના બાળકોએ રતનજ્યોતનાં બીજ ખાઈ લેતા સારવાર હેઠળ,24થી વધુ વિદ્યાર્થીઓને થઈ ઉલટી

સાંઢકુવા પ્રાથમિક શાળાના બાળકોએ ભૂલમાં રતનજ્યોતના બીજ ખાધા હતા,જેના કારણે તેમની તબિયત લથડી હતી. સર્જાયેલી ઘટનાને પગલે શાળા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી

New Update
  • સાંઢકુવા પ્રાથમિક શાળામાં બાળકોની લથડી તબિયત 

  • 24થી વધુ બાળકોને ઉલટી થવાની ફરિયાદ

  • એકાએક બાળકોને ઉલટી થતા શાળા તંત્ર દોડતું થયું

  • બાળકોને વ્યારાની સિવિલ હોસ્પિટલ ખસેડાયા

  • રતનજ્યોતના બીજ ખાવાથી બાળકોની તબિયત લથડી

તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના સાંઢકુવા ગામની જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળાના 24થી વધુબાળકોને ઉલટીની ફરિયાદ ઉઠી હતી,તમામને તાત્કાલિક સારવાર હેઠળ વ્યારાની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા,બાળકોએ રતનજ્યોતનાં બીજ ખાઈ લેતા તબિયત લથડી હોવાનું આચાર્યએ જણાવ્યું હતું.

તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના સાંઢકુવા ગામની જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળામાં આજરોજ અચાનક એક પછી એક બાળકોને ઉલટી થવા લાગી હતી,જે અંગેની જાણ શાળાના આચાર્ય અને શિક્ષકોને થતા તેઓએ બાળકોના માતાપિતાને જાણ કરી હતી,અને 24 થી વધુ બાળકોને સારવાર અર્થે વ્યારાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા

શાળાના આચાર્ય અશ્વિન ગામીતે જણાવ્યું હતું કે બાળકોએ ભૂલમાં રતનજ્યોતના બીજ ખાધા હતા,જેના કારણે તેમની તબિયત લથડી હતી. સર્જાયેલી ઘટનાને પગલે શાળા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી,જોકે શાળામાં મધ્યાહન ભોજન પહેલા જ બાળકોની તબિયત લથડી હોવાનું પણ જાણવા મળ્યું છે.

Read the Next Article

બોટાદ :રાણપુર નજીક કોઝવેમાં BAPS મંદિરના સ્વામીની અર્ટિગા કાર તણાઈ, 2નાં મોત,સ્વામી લાપતા,4નો બચાવ

સાળંગપુર BAPS મંદિરના સંતો અને હરિભક્તોને લઈ બોચાસણથી સાળંગપુર પરત ફરી રહેલી એક અર્ટિગા કાર કોઝવે પરથી પસાર થતી વખતે પાણીના તેજ પ્રવાહમાં તણાઈ ગઈ હતી.

New Update
  • રાણપુર તાલુકાના ગોધાવટા ગામ પાસે બની દુર્ઘટના

  • કોઝવેમાં મધ્યરાત્રીએ અર્ટિગા કાર તણાઈ

  • BAPSના સ્વામી સહિત સાત લોકો હતા સવાર

  • ચાર લોકોનો આબાદ બચાવ,સ્વામી સહિત ત્રણ તણાયા

  • બે મૃતકોના મળ્યા મૃતદેહ,સ્વામી હજી લાપતા

બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ગોધાવટા ગામ પાસે મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બોચાસણથી સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર તરફ જઈ રહેલી અર્ટિગા કાર કોઝવે પરથી પસાર થતી વખતે પાણીના તેજ પ્રવાહમાં તણાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં કારમાં સવાર સાત વ્યક્તિમાંથી બેનાં મોત થયા છેજ્યારે ચારનો આબાદ બચાવ થયો છે. એક સ્વામી લાપતા બન્યા છેજેઓનીNDRF ટીમ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે.

બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ગોધાવટા ગામ પાસે મોડી રાત્રે એક કરૂણ દુર્ઘટના સર્જાઈ હતી. સાળંગપુરBAPS મંદિરના સંતો અને હરિભક્તોને લઈ બોચાસણથી સાળંગપુર પરત ફરી રહેલી એક અર્ટિગા કાર કોઝવે પરથી પસાર થતી વખતે પાણીના તેજ પ્રવાહમાં તણાઈ ગઈ હતી. આ ઘટનામાં ડ્રાઈવર દિવ્યેશ પટેલના દસ વર્ષીય પુત્ર પ્રબુદ્ધ કાછિયા સહિત બે વ્યક્તિનાં મોત થયા છેજ્યારે સાળંગપુરBAPS મંદિરના સંત શાંતિ ચરિત સ્વામી હજુ પણ લાપતા હોવાનું જાણવા મળ્યું છે.

કારમાં કુલ સાત લોકો સવાર હતાજેમાં સાળંગપુરBAPS મંદિરના સંત અપૂર્વપુરુષ સ્વામી અને શાંતિ ચરિત સ્વામી તેમજ હરિભક્તો વિવેક કાપડિયાનિકુંજ સોજીત્રા, કાર ચાલાક દિવ્યેશ પટેલકૃષ્ણકાંત પંડ્યા અને પ્રબુદ્ધ કાછિયાનો સમાવેશ થાય છે.

મધ્યરાત્રીની આસપાસ જ્યારે કાર ગોધાવટા ગામ પાસેના કોઝવે પાસે પહોંચી ત્યારે વરસાદને કારણે પાણીનો પ્રવાહ ઘણો તેજ હતો. તેમ છતાં ડ્રાઈવર દિવ્યેશ પટેલે કાર પાણીના પ્રવાહમાં ચલાવવાનો પ્રયાસ કરતાં કાર તણાઈ ગઈ હતી.

આ દુર્ઘટનામાં અપૂર્વ પુરુષ સ્વામીવિવેક કાપડિયાનિકુંજ સોજીત્રા અને કાર ચાલક દિવ્યેશ પટેલ પાણીમાંથી બહાર આવી જતાં તેમનો આબાદ બચાવ થયો હતોજોકે શાંતિ ચરિત સ્વામીકૃષ્ણકાંત પંડ્યા અને 10 વર્ષનું બાળક પ્રબુદ્ધ કાછિયા પાણીના તેજ પ્રવાહમાં તણાઈ ગયા હતા.

ત્યારબાદ કૃષ્ણકાંત પંડ્યા અને પ્રબુદ્ધ કાછિયાના મૃતદેહ મળ્યા છેજ્યારે શાંતિ ચરિત સ્વામીની શોધખોળ ચાલુ હોવાનું જાણવા મળ્યું છે. ઘટના સ્થળેથી સ્વામીના ચંપલ મળ્યા છેજે દર્શાવે છે કે તેઓ પણ આ પ્રવાહમાં તણાયા છે.

આ ઘટનાની જાણ થતાં જ બરવાળા પ્રાંત અધિકારીમામલતદાર અને પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમ દ્વારા શાંતિ ચરિત સ્વામીને શોધવા માટે સઘન બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કરુણ ઘટનાથી સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.