દાહોદ: ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર કન્ટેનરની અડફેટે 5 પશુના મોત,પોલીસે કરી કાયદેસરની કાર્યવાહી

New Update
દાહોદ: ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર કન્ટેનરની અડફેટે 5 પશુના મોત,પોલીસે કરી કાયદેસરની કાર્યવાહી

દાહોદ નજીક ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર એક કન્ટેનર ચાલકે પોતાનું વાહન ગફલત રીતે અને પૂર ઝડપે હંકારી લાવી પાંચ જેટલા મૂંગા પશુઓને અડફેટમાં લેતા પાંચેય પશુઓ મોતને ભેટ્યા હોવાનું સામે આવ્યું છે.

દાહોદ નજીક ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર એક કન્ટેનર ચાલકે પોતાનું વાહન ગફલત રીતે અને પૂર ઝડપે હંકારી લાવી પાંચ જેટલા મૂંગા પશુઓને અડફેટમાં લેતા પાંચેય પશુઓ મોતને ભેટ્યા હોવાનું સામે આવ્યું છે.અકસ્માત બાદ કન્ટેનર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.ઘટનાની જાણ નેશનલ હાઈવે ઓથોરિટી, જીવ દયા સમિતિ, તેમજ ગ્રામ્ય પોલીસને થતા તમામ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બનાવ સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે