ડાંગ : વન વિભાગ દ્વારા મિશન લાઈફ-2023 અંતર્ગત આહવા ખાતે તાલુકા કક્ષાની સાયકલ રેલી યોજાય...

મિશન લાઇફ-૨૦૨૩ અંતર્ગત રાજ્યમા પ મે ૨૦૨૩થી ૫ જુન ૨૦૨૩ સુધી વિવિધ કાર્યક્રમોનુ આયોજન કરવામા આવી રહ્યા છે.

New Update
ડાંગ : વન વિભાગ દ્વારા મિશન લાઈફ-2023 અંતર્ગત આહવા ખાતે તાલુકા કક્ષાની સાયકલ રેલી યોજાય...

મિશન લાઇફ-૨૦૨૩ અંતર્ગત રાજ્યમા પ મે ૨૦૨૩થી ૫ જુન ૨૦૨૩ સુધી વિવિધ કાર્યક્રમોનુ આયોજન કરવામા આવી રહ્યા છે. આ કાર્યક્રમથી પર્યાવરણલક્ષી અવેરનેસ ફેલાઈ તે હેતુથી ડાંગ જિલ્લાના આહવા તાલુકા ખાતે બોરખેત ટીમ્બર ડેપોથી આહવા ફુવારા સર્કલ સુધી સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આહવા ખાતે સાયકલ રેલીની શરૂઆત પહેલા મિશન લાઈફ અંગેની પ્રતિજ્ઞા લઈ ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિતના વરદ્ હસ્તે લીલી ઝંડી આપી કરવામા આવી હતી. આ રેલીમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતીના અધ્યક્ષ નિલમ ચોધરી, આહવા ગ્રામ પંચાયતના ઉપસરપંચ હરિરામ સાવંત, ઉત્તર વિભાગ નાયબ વન સંરક્ષક ડી.એન.રબારી તેમજ ૧૫૦ જેટલા વનકર્મીઓ જોડાયા હતા. મિશન લાઇફ પ્રોજેક્ટ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામા આવેલ છે. જેનો મુખ્ય હેતુ (Lifestyle for Environment) LiFE એટલે એવી જીવન શૈલી જીવવાની પ્રરેણા આપે છે, જે આપણી પૃથ્વીને સુસંગત હોય અને પૃથ્વી-પર્યાવરણને નુકશાન ન પહોંચાડે તે માટે મિશન લાઇફ અંતર્ગત ઉત્તર ડાંગ વન વિભાગના કાર્યક્ષેત્ર હેઠળ આવેલ સહભાગી વન વ્યવસ્થા સમિતીઓમાં પ્લાસ્ટીક ક્લીનઅપ કેમ્પેઈન, ઈકો ટૂરીઝમ સાઈટે પ્લાસ્ટીક ક્લીનઅપ કેમ્પેઈન, વન વિસ્તારમાં ચેકડેમ/વનતલાવડીની કામગીરી, ભુમિ અને ભેજ સંરક્ષણના કામો, સાંકેતિક વાવેતરો જેવી વગેરે કામગીરીઓ કરવામાં આવી રહી છે.

Read the Next Article

સાબરકાંઠા : પહેલા જ વરસાદે અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઇવે પર નવો બનેલ સર્વિસ રોડ ધોવાયો..!

અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઇવે પરના સર્વિસ રોડ અત્યંત બિસ્માર બનતા શહેરીજનો અને વેપારીઓ પરેશાન બની ચૂક્યા છે. વહેલી તકે માર્ગનું સમારકામ હાથ ધરાય તેવી લોકોની માંગ 

New Update
  • હિંમતનગરના મોતીપુરા નજીકથી વાહનચાલકોને હાલાકી

  • અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઇવે પર સર્વિસ રોડ બિસ્માર

  • સર્વિસ રોડ બિસ્માર બનતા શહેરીજનો-વેપારીઓ પરેશાન

  • પહેલા જ વરસાદે રોડ રસ્તાની હાલત અત્યંત ખરાબ કરી

  • વહેલી તકે માર્ગનું સમારકામ હાથ ધરાય તેવી લોકોની માંગ 

સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરના મોતીપુરા નજીકથી પસાર થતાં અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઇવે પરના સર્વિસ રોડ અત્યંત બિસ્માર બનતા શહેરીજનો અને વેપારીઓ પરેશાન બની ચૂક્યા છે. પહેલા જ વરસાદે રોડ રસ્તાની હાલત ખરાબ કરી નાખતા વાહન ચાલકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે.

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાંથી પસાર થતાં અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઈવે પર મોતીપુરા વિસ્તારમાં ઓવરબ્રિજનું નિર્માણ કામ પૂર્ણ થયું છે. જોકેહિંમતનગર શહેરમાં પ્રવેશવા અને હિંમતનગર શહેરમાંથી નેશનલ હાઇવે પર જવા માટે સર્વિસ રોડનો ઉપયોગ કરવો પડતો હોય છે. હિંમતનગરના મોતીપુરાથી સહકારી જીન સુધીનો સર્વિસ રોડ બિસ્માર થતાં સ્થાનિક વેપારીઓ તેમજ અહીંથી પસાર થતાં હજારો વાહન ચાલકો પરીક્ષાનીનો સામનો કરી રહ્યા છે. તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. આગામી દિવસોમાં વરસાદ વધશે તેના પહેલા સમારકામ કરવા માટેની સ્થાનિકો માગ કરી રહ્યા છે.

છેલ્લા 8 વર્ષથી અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઈવેની કામગીરી ચાલી રહી છે. જોકે હજુ પણ કેટલીક કામગીરી અધુરી છે. હિંમતનગર શહેરના મોતીપુરાથી સહકારી જીન વચ્ચેના સર્વિસ રોડ પર મસમોટા ખાડા પડવાના કારણે અનેક વાહન ચાલકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે. સર્વિસ રોડ પર મોટા ખાડા હોવાના કારણે ટ્રાફિકજામના દ્રશ્યો પણ વારંવાર સર્જાતા હોય છે. એટલું જ નહીંસર્વિસ રોડની બાજુમાં વેસ્ટ વીયરની લાઈનનું કામ પણ અધૂરું અને જે કામ પૂર્ણ થયું ન હોવાના કારણે અકસ્માતો થવાની પણ સ્થાનિકોને દહેશત સતાવી રહી છે. જોકેસત્વરે યોગ્ય સમારકામ કરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.