ડાંગ : વન વિભાગ દ્વારા મિશન લાઈફ-2023 અંતર્ગત આહવા ખાતે તાલુકા કક્ષાની સાયકલ રેલી યોજાય...

મિશન લાઇફ-૨૦૨૩ અંતર્ગત રાજ્યમા પ મે ૨૦૨૩થી ૫ જુન ૨૦૨૩ સુધી વિવિધ કાર્યક્રમોનુ આયોજન કરવામા આવી રહ્યા છે.

New Update
ડાંગ : વન વિભાગ દ્વારા મિશન લાઈફ-2023 અંતર્ગત આહવા ખાતે તાલુકા કક્ષાની સાયકલ રેલી યોજાય...

મિશન લાઇફ-૨૦૨૩ અંતર્ગત રાજ્યમા પ મે ૨૦૨૩થી ૫ જુન ૨૦૨૩ સુધી વિવિધ કાર્યક્રમોનુ આયોજન કરવામા આવી રહ્યા છે. આ કાર્યક્રમથી પર્યાવરણલક્ષી અવેરનેસ ફેલાઈ તે હેતુથી ડાંગ જિલ્લાના આહવા તાલુકા ખાતે બોરખેત ટીમ્બર ડેપોથી આહવા ફુવારા સર્કલ સુધી સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આહવા ખાતે સાયકલ રેલીની શરૂઆત પહેલા મિશન લાઈફ અંગેની પ્રતિજ્ઞા લઈ ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિતના વરદ્ હસ્તે લીલી ઝંડી આપી કરવામા આવી હતી. આ રેલીમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતીના અધ્યક્ષ નિલમ ચોધરી, આહવા ગ્રામ પંચાયતના ઉપસરપંચ હરિરામ સાવંત, ઉત્તર વિભાગ નાયબ વન સંરક્ષક ડી.એન.રબારી તેમજ ૧૫૦ જેટલા વનકર્મીઓ જોડાયા હતા. મિશન લાઇફ પ્રોજેક્ટ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામા આવેલ છે. જેનો મુખ્ય હેતુ (Lifestyle for Environment) LiFE એટલે એવી જીવન શૈલી જીવવાની પ્રરેણા આપે છે, જે આપણી પૃથ્વીને સુસંગત હોય અને પૃથ્વી-પર્યાવરણને નુકશાન ન પહોંચાડે તે માટે મિશન લાઇફ અંતર્ગત ઉત્તર ડાંગ વન વિભાગના કાર્યક્ષેત્ર હેઠળ આવેલ સહભાગી વન વ્યવસ્થા સમિતીઓમાં પ્લાસ્ટીક ક્લીનઅપ કેમ્પેઈન, ઈકો ટૂરીઝમ સાઈટે પ્લાસ્ટીક ક્લીનઅપ કેમ્પેઈન, વન વિસ્તારમાં ચેકડેમ/વનતલાવડીની કામગીરી, ભુમિ અને ભેજ સંરક્ષણના કામો, સાંકેતિક વાવેતરો જેવી વગેરે કામગીરીઓ કરવામાં આવી રહી છે.

Read the Next Article

ભરૂચ: ગરુડ સેના દ્વારા રક્તદાન શિબિરનું કરાયુ આયોજન, રક્તદાતાઓએ કર્યું ઉત્સાહભેર રક્તદાન

ભરૂચના યુવાનો માટે એક ઉત્તમ પહેલરૂપ આજે ગરુડ સેના સંગઠન દ્વારા ઝાડેશ્વર ગામના પાટીદાર પંચની વાડી ખાતે રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • ગરુડ સેના દ્વારા કાર્યક્રમ યોજાયો

  • રક્તદાન શિબિરનું આયોજન કરાયું

  • રક્તદાતાઓએ ઉત્સાહભેર કર્યું રક્તદાન

  • સંસ્થાના આગેવાનો રહ્યા ઉપસ્થિત

ભરૂચમાં કાર્યકરત ગરુડ સેના દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું
ભરૂચના યુવાનો માટે એક ઉત્તમ પહેલરૂપ આજે ગરુડ સેના સંગઠન દ્વારા ઝાડેશ્વર ગામના પાટીદાર પંચની વાડી ખાતે રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું.યુનિટી બ્લડ સેન્ટરના સહયોગથી ગરુડ સેનાના પ્રતિનિધિ સેજલ દેસાઈ, વિક્રમ ભરવાડ તથા દાનુ ભરવાડની ટીમે રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું જેમાં મોટી સંખ્યામાં યુવાનોએ જોડાઈ રક્તદાન કરી સમરસતા અને માનવતાની ભાવના પ્રગટાવી હતી
Latest Stories