ડાંગ : વઘઇના રાજેન્દ્રપુર ફળિયામાં પતિએ જ પત્નીની હત્યા કરતાં ચકચાર

ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઇના રાજેન્દ્રપુર ફળિયામાંથી મળી આવેલ પરિણીત મહિલાની પોતાના જ પતિએ હત્યા કરી હોવાનું બહાર આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

New Update

ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઇના રાજેન્દ્રપુર ફળિયામાંથી મળી આવેલ પરિણીત મહિલાની પોતાના જ પતિએ હત્યા કરી હોવાનું બહાર આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

ડાંગ જિલ્લાના વઘઇ ગામના રાજેન્દ્રપુર ફળિયામાંથી એક મહિલાનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા સનસનાટી મચી ગઇ હતી. વઘઇના રાજેન્દ્રપુર ફળિયામાં રહેતી અને બ્યુટી પાર્લર ચલાવતી પરિણીત મહિલાનો મૃતદેહ તેમના ઘર નજીકથી મળી આવ્યો હતો. જેમાં મૃતકના પતિએ પોલીસને કોઈ અજાણ્યા વાહનમાંથી તેમની પત્નીનો મૃતદેહ અહીં ફેંકી પલાયન થયા હોવાની કેફિયત રજૂ કરી હતી.

જે બાદ પોલીસે ઘરની આસપાસના રહેતા લોકોના નિવેદન લેવાની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે, પતિ-પત્ની વચ્ચે થયેલા ઝગડામાં પતિએ જ પત્નીનું ગળું દબાવી હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. પતિએ જ પત્નીની હત્યા કરી સમગ્ર બનાવને અન્ય લોકોના હાથે હત્યામાં ખપાવવાનો પ્રયાસ કરતાં ભાંડો ફૂટ્યો છે. અગાઉ પણ પોતાના પતિએ ઘર કંકાસના કારણે પત્નીનું ગળું દબાવાનો પ્રયત્ન કરતા યુવતીએ પોતાના પરિવારને જાણ કરી હતી. સમગ્ર મામલે વઘઇ પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરવા તજવીજ હાથ ધરી હતી.

Read the Next Article

ગાંધીનગર : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં રાજભવન ખાતે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાય..

રાજભવન પરિવારના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર સમૂહ યોગાભ્યાસ કર્યો યોગાભ્યાસ બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ સૌને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાના શપથ પણ લેવડાવ્યા

New Update
  • રાજભવન ખાતે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

  • રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં ઉજવણી કરાય

  • રાજભવન પરિવારના અધિકારીઓ-કર્મચારીઓની ઉપસ્થિતી

  • યોગ દિવસ નિમિત્તે ઉપસ્થિતોએ સમૂહમાં યોગાભ્યાસ કર્યો

  • યોગને જીવનનો નિયમિત ભાગ બનાવો : આચાર્ય દેવવ્રત 

ગાંધીનગર રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પ્રેરક ઉપસ્થિતિમાં 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ગાંધીનગર રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાજભવન પરિવારના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર સમૂહ યોગાભ્યાસ કર્યો હતો.

યોગાભ્યાસ બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ સૌને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાના શપથ પણ લેવડાવ્યા હતા. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ જણાવ્યું હતું કેયોગને જીવનનો નિયમિત ભાગ બનાવો. વધુમાં તેમણે કહ્યું કેયોગથી જીવનમાં આરોગ્ય અને સુખ તો આવે જ છેસાથોસાથ આધ્યાત્મિક ઉન્નતિનો માર્ગ પણ પ્રશસ્ત થાય છે.