હરિયાણામા માર્ગ અકસ્માતમાં ગુજરાત પોલીસના 3 જવાનોના મોતથી શોક છવાયો

હરિયાણાના સિરસા જિલ્લામાં ભારતમાલા રોડ પર બુધવારે એક મોટી દુર્ઘટના થઈ ગઈ. ગુજરાત પોલીસનુ વાહન એક અજાણ્યા વાહન સાથે અથડાયું હતું.આ દુર્ઘટનામાં ગુજરાત પોલીસના ત્રણ જવાનોના ઘટના સ્થળ પર જ મોત થઈ ગયા અને એક પોલીસ કર્મચારી ગંભીર રૂપથી ઘાયલ થઈ ગયો હતો. 

New Update
Bharuch Rikshaw Accident

ગુજરાત પોલીસની એક ટીમ ડબવાલી ક્ષેત્રના વેડિંગ ખેડામાં એક મામલાની શોધખોળ કરવા આવી હતી. જેવી જ તેમની કાર વિવાહ સ્થળ પર પહોંચી તેમની ટક્કર એક અજાણ્યા વાહન સાથે થઈ ગઈ હતી.  ટક્કર એટલી જોરદાર હતી કે કાર સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી.

સ્થાનિક પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ બ્રહ્મ પ્રકાશના જણાવ્યા અનુસાર, ઘટના સ્થળેથી એક પંજાબની નંબર પ્લેટ મળી આવી છે. આ આધારે પોલીસે અજાણ્યા વાહનને શોધવામાં વ્યસ્ત છે. પોલીસ ટીમ દ્વારા આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

રામોલ પોલીસ સ્ટેશનના PSI સોલંકી અને 3 જવાનો પોક્સો કેસની તપાસ માટે લુધિયાણા જઈ રહ્યા હતા. તેઓની બોલેરોનો અકસ્માત થતાં પોલીસ કોન્સ્ટેબલ સુનિલ ગામીત, હોમગાર્ડ રવિન્દ્ર અને ખાનગી ડ્રાઇવર કનુ ભરવાડનું મોત થયું છે. જ્યારે PSI જે.પી.સોલંકી ઈજાગ્રસ્ત થયા છે. અક્સ્માતના સમાચાર મળતા જ ACP આઈ ડિવિઝન અને એક PSI તાત્કાલિક ધોરણે હરિયાણા જવા રવાના થયા છે.

Read the Next Article

રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 13 IAS અધિકારીઓની કરાઇ બદલી

રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા  13 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ અંગે મોડીસાંજે સત્તાવર  નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.

New Update
રાજયમાં આઇએએસ અધિકારીઓની બદલીનો ગંજીફો ચીપાયો

રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા  13 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ અંગે મોડીસાંજે સત્તાવર  નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.  

આ બદલીઓમાં પ્રથમ નામ  અશ્વિની કુમાર, IAS (RR:GJ:1997) ને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગમાંથી રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગમાં પ્રિન્સિપલ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. 

જ્યારે  એમ. થેનારસન, IAS (RR:GJ:2000) ને  રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગમાંથી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગમાં પ્રિન્સિપલ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રાજકોટ કલેક્ટર પ્રભવ જોશીની બદલી કરવામાં આવી છે. જૂનાગઢ મહાનગર પાલિકાની કમિશનર ઓમ પ્રકાશની રાજકોટ કલેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે.  

રાજ્યના 13 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે.  શહેરી વિકાસ સચિવ અશ્વિની કુમારની બદલી કરાઈ છે.  એમ. થેન્નારસન નવા શહેરી વિકાસ સચિવ બન્યા છે.  રમેશ મીણા પોર્ટ અને ટ્રાન્સપોર્ટના સચિવ બન્યા છે.  મીલિંદ તોરવણે પંચાયત સચિવ તરીકે નિમાયા છે.  આરતી કંવરને નાણા વિભાગનો વધારાનો ચાર્જ સોંપાયો છે. જેનુ દેવાનને મધ્ય ગુજરાત વિજ કંપનીનો ચાર્જ સોંપાયો છે.  તેજસ પરમાર જૂનાગઢના મ્યુ. કમિશનર બન્યા છે.  

રાજકોટ કલેક્ટર પ્રભાવ જોશીની બદલી કરવામાં આવી છે. પ્રભવ જોશી ટુરિઝમમાં એમડી બન્યા છે.  ઓમ પ્રકાશ રાજકોટના નવા કલેક્ટર બન્યા છે.  નર્મદાના DDO તરીકે રાજ સુથારની નિમણૂંક કરવામાં આવી છે. 

ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (GSPC) ના મેનેજિંગ ડિરેક્ટર મિલિંદ  તોરવાણે, IAS ને પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગમાં પ્રિન્સિપલ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. રાજકોટ કલેક્ટર પ્રભાવ જોશીને ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. તેજસ દિલીપભાઈ પરમાર મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટરમાંથી જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનર તરીકે નિયુક્ત થયા છે.