દેવભૂમિ દ્વારકા : CNG પંપ પર નોઝલની અવ્યવસ્થાના કારણે રીક્ષા ચાલકો પરેશાન, વિશાળ રેલી યોજી તંત્રને પાઠવ્યું આવેદન...

દ્વારકા જીલ્લાના કુરંગા ગામે આવેલ CNG પંપની અવ્યવસ્થાના કારણે પરેશાન CNG રીક્ષા ચાલકોએ વિશાળ રેલી યોજી પ્રાંત કચેરીએ આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી

New Update
  • CNG પંપની અવ્યવસ્થાના કારણે રીક્ષા ચાલકો પરેશાન

  • CNG રીક્ષા ચાલકોએ વિશાળ રેલી યોજી વિરોધ દર્શાવ્યો

  • દ્વારકા હેલિપેડથી પ્રાંત કચેરી સુધી વિશાળ રેલી યોજાય

  • દ્વારકા પ્રાંત કચેરીએ આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી

  • CNG પંપ પર અલગ નોઝલ મુકવામાં આવે તેવી માંગ

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં CNG પંપની અવ્યવસ્થાના કારણે પરેશાન CNG રીક્ષા ચાલકોએ વિશાળ રેલી યોજી પ્રાંત કચેરીએ આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી.

દેવભૂમિ દ્વારકા જીલ્લાના દ્વારકા શહેરમાં અંદાજે 250થી વધુ CNG રીક્ષાઓ દોડે છેજ્યારે નજીકનું CNG પંપ દ્વારકાથી 30 કિમિ દૂર કુરંગા ગામે આવેલ છેત્યાં દરરોજ રીક્ષા ચાલકો 60 કિલોમીટર અપ-ડાઉન કરીને રીક્ષામાં ગેસ ભરાવવા જાય છેજ્યાં CNG પંપ સંચાલક દ્વારા અલગ નોઝલ રાખવાના બદલે રેગ્યુલર વાહનો સાથે રીક્ષા ચાલકોને પણ કલાકો સુધી લાંબી કતારમાં ઉભા રહેવા મજબૂર કરવામાં આવે છે.

ત્યારે રીક્ષા ચાલકો દ્વારા માંગ કરવામાં આવી છે કેદરેક શહેરની જેમ દ્વારકામાં પણ CNG પંપ પર સ્થાનિક રીક્ષા ચાલકો માટે એક અલગ નોઝલ મુકવામાં આવે. જેથી રીક્ષા ચાલકોનો વધારે સમય બગડે નહીં અને ધંધા રોજગારી પર અસર પડે નહીં. હાલ CNG પંપ પર 2-3 કલાક લાઈનમાં રહેવાથી રીક્ષા ચાલકોનો આખો દિવસ બગડી જાય છેઅને ધંધો થઇ શકતો નથી. તેથી તમામ રીક્ષા ચાલકોએ દ્વારકા હેલિપેડ ખાતેથી પ્રાંત કચેરી સુધી પોતપોતાની રીક્ષાઓ લઇ વિશાળ રેલી યોજી હતી. આ સાથે જ પ્રાંત કચેરીએ આવેદન પત્ર આપી યોગ્ય વ્યવસ્થા કરી આપવા રજુઆત કરવામાં આવી હતી.

Read the Next Article

ભરૂચ: હાંસોટથી કંટીયાળજાળને જોડતા માર્ગ પર વનખાડીનું પાણી ફરી વળ્યું, વાહનવ્યવહાર બંધ

ભરૂચના હાંસોટ પંથકમાં ખાબકેલ 4 ઇંચ જેટલા વરસાદના પગલે હાંસોટથી કંટીયાળજાળને જોડતા મુખ્યમાર્ગ પર દંત્રાઇ ગામ નજીક વનખાડીનું પાણી માર્ગ પર ફરી વળતા માર્ગ વાહન વ્યવહાર માટે બંધ થઈ ગયો હતો

New Update
  • ભરૂચના હાંસોટમાં અનરાધાર વરસાદ

  • 4 ઇંચ વરસાદ ખાબક્યો

  • કંટીયાળજાળને જોડતો માર્ગ બંધ થયો

  • વનખાડીના પાણી ફરી વળ્યા

  • પુલની કામગીરીના પગલે ડાયવર્ઝન બનાવાયું હતું

ભરૂચના હાંસોટ પંથકમાં ખાબકેલ 4 ઇંચ જેટલા વરસાદના પગલે હાંસોટથી કંટીયાળજાળને જોડતા મુખ્યમાર્ગ પર દંત્રાઇ ગામ નજીક વનખાડીનું પાણી માર્ગ પર ફરી વળતા માર્ગ વાહન વ્યવહાર માટે બંધ થઈ ગયો હતો

ભરૂચના હાંસોટમાં ખાબકેલ અનરાધાર વરસાદના કારણે ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે હાંસોટથી કંટિયાજાળને જોડતા મુખ્ય માર્ગ પર દંતરાઈ ગામ નજીક બનાવવામાં આવેલ ડાયવર્ઝન પરથી પાણી ફરી વળતા માર્ગ વાહન વ્યવહાર માટે બંધ થઈ ગયો છે. હાંસોટ પંથકમાં છેલ્લા 24 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો ત્યારે દંતરાય ગામ નજીક ચાલી રહેલ ખાડીપુલની કામગીરીના પગલે બાજુ પર ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું જેના પરથી વન ખાડીનું પાણી ફરી વળતા માર્ગ વાહન વ્યવહાર માટે બંધ થઈ ગયો છે.

માર્ગ બંધ થતાં આસપાસના ગ્રામજનોએ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી મંગળવાર સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે લોકોને સતર્ક રહેવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.