કચ્છની ધરા ફરી એકવાર ભૂકંપના આંચકાથી ધ્રુજી ઉઠી , 3.7ની તીવ્રતાનો આંચકો અનુભવાયો

New Update
કચ્છની ધરા ફરી એકવાર ભૂકંપના આંચકાથી ધ્રુજી ઉઠી ,  3.7ની તીવ્રતાનો આંચકો અનુભવાયો

કચ્છની ધરા ફરી એકવાર ભૂકંપના આંચકાથી ધ્રુજી ઉઠી છે. વાત જાણે એમ છે કે, કચ્છમાં3.7ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે. વિગતો મુજબ રાપરથી 24 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે. રાહતની વાત તો એ છે કે, હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. 

ભૂકંપના ઝટકા જેવા આવે તુરંત વાર કર્યા વગર ઓફિસ કે ઘરની બહાર નિકળી જવું.

વીજળીના થાંભલા, ઝાડ અને ઉંચી ઈમારતથી દૂર ઉભા રહેવુ.

ઘર કે ઓફિસ બહાર જતી વખતે લીફ્ટનો ઉપયોગ ન કરવો, સીડીનો ઉપયોગ કરવો.

ઘર આસપાસ જો મેદાન ન હોય તો એવી જગ્યા શોધો જ્યા છૂપાઈને બેસી શકાય.

ભૂકંપ આવે ત્યારે ખાસ કરીને ઘરમાં રહેલી ભારે વસ્તુથી દૂર રહેવું.

ઘરમાં રહેલા ભારે સામાન અને કાચથી દૂર રહેવુ જેથી વાગવાની શક્યતા ન રહે.

ભાગવાનો સમય ન મળે તો ટેબલ, પલંગ, ડેસ્ક જેવી મજબૂત જગ્યા નીચે ઘૂસી જવું.

દરવાજા હોય ત્યા ન ઉભા રહેવું જેથી દરવાજો ખુલે કે પડે તો વાગે નહીં.

Read the Next Article

દ્વારકા : નાના વેપારીઓએ તંત્ર સામે ચઢાવી બાયો,SDM  કચેરી બહાર પ્રતીક ઉપવાસ પર બેઠા,કોંગ્રેસ જિલ્લા પ્રમુખે પણ આપ્યું સમર્થન

કોંગ્રેસ જિલ્લા પ્રમુખ પાલ આંબલિયા પણ લારી-ગલ્લાના વેપારીઓની વહારે આવ્યા છે,અને તેઓ ઉપવાસમાં જોડાયા છે,અને તેઓએ સ્થાનિક તંત્ર પર આકરા પ્રહારો કર્યા

New Update
  • દ્વારકામાં નાના વેપારીઓએ માંડ્યો મોરચો

  • લારી જિલ્લા સીલ કરવામાં આવતા વિરોધ

  • SDM કચેરી બહાર વેપારીઓના પ્રતીક ઉપવાસ

  • કોંગ્રેસ જિલ્લા પ્રમુખે પણ આપ્યું સમર્થન

  • માલધારી ઉંટ સાથે જોડાયા આંદોલનમાં 

દ્વારકામાં નાના વેપારીઓએ તંત્ર સામે મોરચો માંડ્યો છે.લારી-ગલ્લા સીલ થતા SDM કચેરીએ પ્રતીક ઉપવાસનું શસ્ત્ર ઉગામ્યું છે.જેને કોંગ્રેસ જિલ્લા પ્રમુખ પાલ આંબલિયાએ પણ સમર્થન આપ્યું છે. 

દ્વારકામાં નાના વેપારીઓએ તંત્ર સામે મોરચો માંડ્યો છે. છેલ્લા ઘણા મહિનાઓથી તંત્ર દ્વારા લારી-ગલ્લા અને પાથરણાના નાના વેપારીઓની દુકાનો સીલ કરીને તેમનો સામાન જપ્ત કરવામાં આવ્યો છે. આ અન્યાયના વિરોધમાં આજે દ્વારકાના નાના વેપારીઓ SDM કચેરી ખાતે પ્રતીક ઉપવાસ પર બેઠા છે. કોંગ્રેસ જિલ્લા પ્રમુખ પાલ આંબલિયા પણ લારી-ગલ્લાના વેપારીઓની વહારે આવ્યા છે,અને તેઓ ઉપવાસમાં જોડાયા છે,અને તેઓએ સ્થાનિક તંત્ર પર આકરા પ્રહારો કર્યા છે.

પાલ આંબલિયાએ ખુલ્લેઆમ દારૂના વેચાણ અંગે પ્રશ્નો ઉઠાવતા કહ્યું કે,દારૂ વેચવાની છૂટ છે પણ છાશ વેચવાની મનાઈ છે,જે સ્થાનિક તંત્રની ભેદભાવભરી નીતિ દર્શાવે છે. તેમણે ભાજપના નેતાઓની હોટલો સામે કાર્યવાહી ન થવા અંગે પણ સવાલ ઉઠાવ્યા હતા. આ ઉપવાસ આંદોલનમાં ઉંટ ચલાવતા માલધારીઓ પણ તેમના ઉંટ સાથે જોડાયા છે.

Latest Stories