ગુજરાતનું ચેરાપુંજી “ડાંગ” : ચોમાસાની ઋતુમાં વનરાજી સોળે કળાએ ખીલી ઉઠતા આહલાદક દ્રશ્યો સર્જાયા…

ડાંગ જીલ્લામાં પણ મેઘ મહેર જારી રહેતા પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. ડાંગ જિલ્લાના પ્રખ્યાત જળ ઘોધ સહિત અનેક ઝરણાઓ સક્રિય થતા પ્રાકૃતિક સૌંદર્યને ચાર ચાંદ લાગ્યા છે.

New Update

ગુજરાતના ચેરાપુંજી ડાંગમાં ડુંગરો પર વનરાજી ખીલી ઉઠી

સર્વત્ર મેઘ મહેર જારી રહેતા પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી

નદી-નાળા છલકાવાથી ઠેર ઠેર આહલાદક દ્રશ્યો જોવા મળ્યા

પ્રાકૃતિક સૌંદર્ય નિહાળવા પ્રવાસીઓની ભારે ભીડ ઉમટી પડી

પ્રકૃતિપ્રેમીઓ નયનરમ્ય દ્રશ્યો નિહાળી ખૂબ અભિભૂત થયા

ચોમાસાની શરૂઆત થતાની સાથે જ ડુંગરો પર વનરાજી ખીલી ઉઠે છેઅને નદીનાળા છલકાવાથી આહલાદક દૃશ્યો જોવા મળતા હોય છેત્યારે ડાંગ જીલ્લામાં પણ મેઘ મહેર જારી રહેતા પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે.

ચોમાસાના ઋતુમાં મેઘ મહેર થતાં ગુજરાતના વિવિધ જંગલો અને પહાડી પ્રદેશોમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠે છે. પ્રવાસીઓ પ્રકૃતિને માણવા રાજ્યના જુદા-જુદા વિસ્તારોના ઝરણાં અને ધોધ પર પહોંચી રહ્યા છેત્યારે ડાંગ જીલ્લામાં પણ મેઘ મહેર જારી રહેતા પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. ડાંગ જિલ્લાના પ્રખ્યાત જળ ઘોધ સહિત અનેક ઝરણાઓ સક્રિય થતા પ્રાકૃતિક સૌંદર્યને ચાર ચાંદ લાગ્યા છે.

ડાંગ જિલ્લાનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળવા પ્રવાસીઓની ભારે ભીડ ઉમટી રહી છે. લીલીછમ વનરાજી વચ્ચે પડતા દુગ્ધધારા સ્વરુપે ઝરણાઓનું સૌંદર્ય નિહાળી પ્રવાસીઓ યાદગાર સંભારણું બાંધી રહ્યા છે. ગુજરાત રાજ્યનું ચેરાપુંજી ગણાતા ડાંગ જિલ્લામાં ચોમાસાની ઋતુમાં પ્રકૃતિ સંપૂર્ણ ખીલી ઉઠતા પ્રવાસીઓ સાપુતારા સિવાય ડાંગના પ્રાકૃતિક સ્થળોનો લ્હાવો લેતા હોય છેત્યારે હાલ વઘઇ નજીક ગીરા ધોધ સહીત સિંગાણાનો ગિરમાળ ધોધ પણ સંપૂર્ણ ખીલી ઉઠ્યો છે. સાથોસાથ ઘટાદાર જંગલો પર લીલીછમ જાજમ પથરાઈ હોય જેથી પ્રકૃતિપ્રેમી સહેલાણીઓ અહી આવી ખૂબ અભિભૂત થઇ રહ્યા છે.

Read the Next Article

સુરતના એકમાત્ર “પ્લાસ્ટિક મુક્ત” અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરાયું...

સુરત જિલ્લાના નાગરિકોને ઝડપી ન્યાય મળે અને સરળતાથી પોલીસ સેવા સુલભ બને તે માટે અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

New Update

નાગરિકો માટે પોલીસ સેવા સુલભ બને તેવું આયોજન

સુરતનું એકમાત્ર પ્લાસ્ટિક મુક્ત અલથાણ પોલીસ સ્ટેશન

અલથાણ પોલીસ સ્ટેશનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે લોકાર્પણ કરાયું

પોલીસ સ્ટેશનમાં રેઇન વોટર હારવેસ્ટિંગની વિશેષ વ્યવસ્થા

સુરત જિલ્લાના નાગરિકોને ઝડપી ન્યાય મળે અને સરળતાથી પોલીસ સેવા સુલભ બને તે માટે અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અલથાણ પોલીસ સ્ટેશન સુરતનું એકમાત્ર પ્લાસ્ટિક મુક્ત પોલીસ સ્ટેશન તેમજ સોલાર પાવર સિસ્ટમથી સંચાલિત છેત્યારે આ પોલીસ સ્ટેશનમાં રેઇન વોટર હારવેસ્ટિંગની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અલથાણ પોલીસ સ્ટેશનનું નિરીક્ષણ કર્યું હતું. ગૃહ રાજ્યમંત્રીએ રાજ્યમાં શાંતિસુરક્ષા સલામતીના મૂળમાં ઉત્તમ કાયદો અને વ્યવસ્થા તેમજ ન્યાયની આશામાં પોલીસ સ્ટેશને આવતા ફરિયાદી તથા આમ નગારિક નિરાશ ન થાય તેમજ નાગરિકોની સમસ્યાઓફરિયાદોમાં અલથાણ પોલીસ સ્ટેશન મદદરૂપ થાય તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. આ લોકાર્પણ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી મુકેશ પટેલસંદીપ દેસાઈધારાસભ્ય સંગીતા પાટીલસુરત શહેર પોલીસ કમિશનર સહિત પોલીસ અધિકારીઓસામાજિક આગેવાનો  સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.