/connect-gujarat/media/post_banners/afe52541b3eba9515988dde6675078ea4c42acafd2804ae924d3fd2c3081e604.webp)
છેલ્લા ઘણાં સમયથી અમરેલી અને સાવરકુંડલા પંથકમાં ભૂકંપના હળવા આંચકા આવતા રહે છે. ત્યારે રાત્રિના 1.42 મિનિટે ફરી ધરતીકંપનો આંચકો આવતા વિસ્તારમાં લોકો ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે. મહત્વનું છે કે, રાત્રે આવેલ ભૂકંપની રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.3 નોંધાઈ છે ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો પોતપોતાના ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા.
અમરેલીના મીતીયાળામાં ફરી ભૂકંપનો આંચકો આવ્યો છે. મધરાત્રે 1.42 વાગ્યે આવેલા ભૂકંપની ગાંધીનગર સિસ્મોલોજી વિભાગે પુષ્ટિ કરી છે. મહત્વનું છે કે, અમરેલી પંથકમાં છેલ્લા કેટલાક દિવસથી ભૂકંપના આંચકાઓ સતત વધી રહ્યા છે. જોકે રાત્રિના સમયે અમરેલીના સાવરકુંડલાના મીતીયાળામાં આવેલા ભૂકંપની રિક્ટેર સ્કેલ પર 3.3ની તીવ્રતા નોંધાઈ છે. આ સાથે મીતીયાળા અને સાકરપરાની વચ્ચે ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે.