સાબરકાંઠા : ચોમાસાની સિઝનમાં પણ હજુ બરાબર વરસાદ નહીં વરસતા ખેડૂતોની હાલત કફોડી...

સાબરકાંઠા જીલ્લામાં ચોમાસાની સિઝનમાં હજુ પણ વરસાદ ન વરસતા ખેડૂતોની હાલત કફોડી બની છે, આમ તો ખેડૂતોએ વાવેતર શરુ કર્યુ છે.

New Update

Advertisment

સાબરકાંઠા જીલ્લામાં ચોમાસાની સિઝનમાં હજુ પણ વરસાદ ન વરસતા ખેડૂતોની હાલત કફોડી બની છેઆમ તો ખેડૂતોએ વાવેતર શરુ કર્યુ છે. પરંતુ કેટલાક ખેડૂતો વરસાદની કાગડોળે રાહ જોઈ બેઠા છે.

સાબરકાંઠા જીલ્લામાં ચોમાસુ વાવેતરમાં મગફળી અને કપાસનું સૌથી વધુ વાવેતર કરવામાં આવે છે. ગત વર્ષે મગફળી અને કપાસના અધધ ભાવ મળ્યા હતા. જેને લઈને આ વખતે પણ ખેડૂતોએ મગફળી અને કપાસનું વધુ વાવેતર કરવાની તૈયારી કરી છે. પરંતુ ચાલુ વર્ષે સાબરકાંઠા જીલ્લામાં વરસાદ થોડો મોડો થયો છે. પહેલા એક કેબે દિવસ વરસાદ આવ્યોઅને એ પણ સામાન્ય. જે વિસ્તારમાં પાણીની વ્યવસ્થા છેત્યાં ખેડૂતોએ કપાસ અને મગફળીનું વાવેતર કર્યું હતું. પરંતુ હાલ વરસાદ ન પડતા પાક પણ મુંજાવા લાગ્યો છે. ખાતરદવા અને બીયારણ પણ તૈયાર છે. પરંતુ અહીના પંથકમાં વરસાદ નથી. જેથી ખેડૂત વરસાદની રાહ જોઈને બેઠો છે. તો સાથે જ ખેતરમાં જંગલી ભુંડ અને રોઝનો પણ ત્રાસ વધતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.

Advertisment
Read the Next Article

સંઘપ્રદેશ દમણમાં થયેલી રૂ. 1.33 કરોડની ચોરીનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો, દાહોદથી 3 તસ્કરોની ધરપકડ

તસ્કરોએ રાત્રે 2 વાગ્યા બાદ ઘરમાં પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. તસ્કરોએ સોનું અને 8 હજાર UK પાઉન્ડની રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા

New Update
  • સંઘપ્રદેશ દમણ ક્રાઇમ બ્રાન્ચ પોલીસને મળી સફળતા

  • 20 દિવસમાં જ રૂ. 1.33 કરોડની ચોરીનો ભેદ ઉકેલ્યો

  • દાહોદ ખાતેથી 3 આંતરરાજ્ય તસ્કરોની ધરપકડ કરી

  • સોનું અને 8 હજાર UK પાઉન્ડ રોકડની થઈ હતી ચોરી

  • પોલીસે 18 લાખ રૂપિયાનું 26 તોલા સોનું રિકવર કર્યું 

Advertisment

સંઘપ્રદેશ દમણ પોલીસે માત્ર 20 દિવસમાં જ મોટી દમણમાં થયેલી રૂ. 1.33 કરોડની ચોરીનો ભેદ ઉકેલી કાઢી 3 આંતરરાજ્ય તસ્કરોની ધરપકડ કરી રૂ. 18.17 લાખની કિંમતનું 261.530 ગ્રામ સોનું જપ્ત કર્યું છે.

ગત તા. 28 ફેબ્રુઆરી-2025ના રોજ સંઘપ્રદેશ દમણના મોટી દમણ વિસ્તારમાં આવેલ મંદિર શેરી વિસ્તારમાં રહેતા ઇશ્વરભાઈ ટંડેલના ઘરમાંથી ચોરી થઈ હતી. ટંડેલ પરિવાર લંડનથી ભારત આવ્યો હતોત્યારે તસ્કરોએ રાત્રે 2 વાગ્યા બાદ ઘરમાં પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. તસ્કરોએ સોનું અને 8 હજાર UK પાઉન્ડની રોકડ રકમની ચોરી કરી હતી. આ સાથે જ શ્રી રણછોડરાયજી મંદિરની દાનપેટીમાં રહેલ 20થી 25 હજારની રોકડ પર હાથફેરો કર્યો હતો. સમગ્ર મામલે દમણ ક્રાઇમ બ્રાન્ચના PSI ભરત પરમારના નેતૃત્વમાં તપાસ શરૂ કરવામાં આવી હતી.

જેમાં ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે દાહોદથી 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ચોરીને અંજામ આપનાર મુખ્ય આરોપી ભરત મોતીલાલ પંચાલ જે 50થી વધુ ગુનાઓમાં સંડોવાયેલો છે. તે ગુજસીટોક હેઠળ સજા પણ ભોગવી ચૂક્યો છેજ્યારે અન્ય 2 આરોપીઓમાં જિજ્ઞેશ રાજુભાઈ પંચાલ અને પંકજકુમાર ઉર્ફે પુનીત ભરતભાઈ સોનીનો સમાવેશ થાય છે.

પોલીસે આરોપીઓ પાસેથી 18 લાખ રૂપિયાનું 26 તોલા સોનું પણ રિકવર કર્યું છે. હાલ સમગ્ર મામલામાં વધુ લોકો સામેલ હોય તેવું પોલીસ જણાવી રહી છેત્યારે આગામી તપાસમાં વધુ લોકોને પોલીસ દ્વારા પકડવાની હિલચાલ શરૂ કરવામાં આવી છે. દમણ પોલીસની ઝડપી કાર્યવાહીથી સ્થાનિક લોકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધ્યો છે.

Advertisment