સાબરકાંઠા : ચોમાસાની સિઝનમાં પણ હજુ બરાબર વરસાદ નહીં વરસતા ખેડૂતોની હાલત કફોડી...

સાબરકાંઠા જીલ્લામાં ચોમાસાની સિઝનમાં હજુ પણ વરસાદ ન વરસતા ખેડૂતોની હાલત કફોડી બની છે, આમ તો ખેડૂતોએ વાવેતર શરુ કર્યુ છે.

New Update

સાબરકાંઠા જીલ્લામાં ચોમાસાની સિઝનમાં હજુ પણ વરસાદ ન વરસતા ખેડૂતોની હાલત કફોડી બની છેઆમ તો ખેડૂતોએ વાવેતર શરુ કર્યુ છે. પરંતુ કેટલાક ખેડૂતો વરસાદની કાગડોળે રાહ જોઈ બેઠા છે.

સાબરકાંઠા જીલ્લામાં ચોમાસુ વાવેતરમાં મગફળી અને કપાસનું સૌથી વધુ વાવેતર કરવામાં આવે છે. ગત વર્ષે મગફળી અને કપાસના અધધ ભાવ મળ્યા હતા. જેને લઈને આ વખતે પણ ખેડૂતોએ મગફળી અને કપાસનું વધુ વાવેતર કરવાની તૈયારી કરી છે. પરંતુ ચાલુ વર્ષે સાબરકાંઠા જીલ્લામાં વરસાદ થોડો મોડો થયો છે. પહેલા એક કેબે દિવસ વરસાદ આવ્યોઅને એ પણ સામાન્ય. જે વિસ્તારમાં પાણીની વ્યવસ્થા છેત્યાં ખેડૂતોએ કપાસ અને મગફળીનું વાવેતર કર્યું હતું. પરંતુ હાલ વરસાદ ન પડતા પાક પણ મુંજાવા લાગ્યો છે. ખાતરદવા અને બીયારણ પણ તૈયાર છે. પરંતુ અહીના પંથકમાં વરસાદ નથી. જેથી ખેડૂત વરસાદની રાહ જોઈને બેઠો છે. તો સાથે જ ખેતરમાં જંગલી ભુંડ અને રોઝનો પણ ત્રાસ વધતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.

Read the Next Article

જુનાગઢ : દીકરીના ભણતર બાબતની માથાકૂટમાં પત્નીની હત્યા કરનાર હત્યારા પતિની પોલીસે ધરપકડ કરી...

જુનાગઢના ભવનાથ વિસ્તારમાં દીકરીના ભણતર બાબતે થયેલ માથાકૂટમાં પતિએ પત્નીને ઢીકાપાટુ અને પેટમાં લાતો મારતાં પત્નીનું મૃત્યુ થયું હતું. સમગ્ર મામલે પોલીસે હત્યારા પતિની ધરપકડ

New Update

જુનાગઢ : દીકરીના ભણતર બાબતની માથાકૂટમાં પત્નીની હત્યા કરનાર હત્યારા પતિની પોલીસે ધરપકડ કરી...

સ્લગ : હત્યારો પતિ પોલીસ ગિરફ્તમાં..!

ભવનાથ વિસ્તારમાં રહેતા પરિવારનો માળો વિખાયો

દીકરીના ભણતર બાબતે પતિ-પત્ની વચ્ચેની માથાકૂટ

ઉશ્કેરાયેલા પતિએ પત્નીને ઢીકાપાટુનો માર માર્યો

પેટમાં લાતો મારતાં પત્નીનું મૃત્યુ નિપજતા ચકચાર

પોલીસે હત્યારા પત્ની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી

જુનાગઢના ભવનાથ વિસ્તારમાં દીકરીના ભણતર બાબતે થયેલ માથાકૂટમાં પતિએ પત્નીને ઢીકાપાટુ અને પેટમાં લાતો મારતાં પત્નીનું મૃત્યુ થયું હતું. સમગ્ર મામલે પોલીસે હત્યારા પત્ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા દેવભૂમિ દ્વારકા જિલ્લાના નંદાણા ગામથી જુનાગઢના ભવનાથ વિસ્તારમાં આવી વસવાટ કરતાં પરિવારનો માળો વિખાયો છે. ભવનાથ વિસ્તારમાં પતિ રાજેશ ચાવડા સાથે રહેતી પત્ની મલુબેનને પોતાની દીકરીના ભણતરની ચિંતા હતીત્યારે દીકરીના ભણતર બાબતે પતિ-પત્ની વચ્ચે માથાકૂટ થઈ હતી. આ દરમ્યાન ઉશ્કેરાયેલા પતિએ પત્ની ઉપર હુમલો કર્યો હતો. જેમાં પતિએ પત્નીને ઢીકાપાટુ અને પેટમાં લાતો મારતાં પત્નીને હોસ્પિટલ લઈ ગયા બાદ તેણીનું મૃત્યુ થયુ હતું. અગાઉ પણ પતિ રાજેશને પોતાની પત્ની સાથે માથાકૂટ થતીત્યારે બન્ને અલગ અલગ રહેતા હતા. જોકેસમાજના આગેવાનોએ બન્ને વચ્ચે સમાધાન કરાવતા તેઓએ ફરી સાથે રહી પોતાનો સંસાર ચલાવવાનું નક્કી કર્યું હતું. પરંતુ બન્ને વચ્ચે થયેલા ઝગડામાં સંસાર ચાલ્યો નહીંઅને હાલ પોતાની દીકરી માતા વિનાની નોધારી બની ગઈ છે. સમગ્ર મામલે ભવનાથ પોલીસે હત્યારા પતિ રાજેશ ચાવડાની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.