સૌરાષ્ટ્રના ઇતિહાસમાં પહેલીવાર 20 વર્ષીય રાજપૂતાણી દીક્ષા લેશે, વાજતે-ગાજતે નીકળ્યો વરઘોડો

સામાન્ય રીતે જૈન સમાજના લોકો દીક્ષા ગ્રહણ કરે છે પરંતુ, આજે સૌરાષ્ટ્રમાં પ્રથમવાર રાજપુતાણીનું નાની ઉંમરે સંયમનાં માર્ગે પ્રયાણ કરવાના કાર્યક્રમનો પ્રારંભ થયો હતો.

New Update
diksha01

રાજકોટ શહેરમાં એક ઐતિહાસિક ઘટના સામે આવી છે.

Advertisment

રાજપૂત સમાજની 20 વર્ષની અને સમૃદ્ધ પરિવારની દીકરીએ દીક્ષાગ્રહણ કરવાનો નિર્ણય કરતા આજે આશાપુરા મંદિરથી વાજતે-ગાજતે તેનો વરઘોડો નીકળ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં જૈન તેમજ રાજપૂત સમાજના લોકો જોડાયા હતા. 5 દિવસ વિવિધ કાર્યક્રમો બાદ ગુરુવારે કુ. હેત્વીબા પરમાર દીક્ષાગ્રહણ કરશે.

આ તકે દિવ્યભાસ્કરે હેત્વી તેમજ તેના માતા-પિતા સાથે ખાસ વાતચીત પણ કરી હતી. જેમાં હેત્વીબાએ સંસાર કરતા સંયમનો માર્ગ ખૂબ શ્રેષ્ઠ હોવાનું જણાવી લોકોને વ્યસન છોડવા માટે અપીલ કરી હતી.

આ રાજવૈભવી ઉત્સવ અંતર્ગત આજે સવારે 7 વાગ્યે આશાપુરા માતાજીના મંદિર પેલેસ રોડ ખાતેથી વિશાળ વરઘોડો નીકળ્યો હતો. આચાર્ય ભગવંત પ.પૂ. તીર્થભદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબના નગર પ્રવેશ નિમિતે આયોજિત આ વરધોડામાં જૈન સમાજ તેમજ રાજપૂત સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને અનેક કાર તેમજ બાઈક સહિત ઢોલ-નગારાનાં તાલે વાજતે-ગાજતે વરઘોડો નીકળ્યો હતો. આ વરઘોડામાં ડેકોરેટિવ બગી, સાફાધારી અને બેડાધારી બહેનો પણ પારંપરિક વેશભૂષામાં સજ્જ થયેલી જોવા મળી હતી. બંને સમાજના યુવાનો ઢોલનાં તાલે ઝૂમી ઉઠ્યા હતા.

diksha02

હેત્વીબાએ દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે, હું ખૂબ જ નાની હતી ત્યારથી ધર્મનાં સંસ્કાર મારા માતા-પિતાએ મને આપ્યા હતા. હું 9માં ધોરણમાં આવ્યા પછી મારા પિતાએ મને સંસાર કરતા સંયમનો માર્ગ સાચો હોવાનું જણાવી સંયમનાં માર્ગે જવાની પ્રેરણા આપી હતી. આ પછી મારા સહિત અમારા આખા પરિવારે 48 દિવસનું ઉપઘાન કર્યું હતું. જેમાં 48 દિવસ સાધુની જેમ રહેવાનું હોય છે.

ત્યારબાદ મને થયું કે, હું આ લાઈફ જીવી શકું તેમ છું. મારી 9માં ધોરણની ફાઇનલ પરીક્ષા પૂર્ણ થયા બાદ હું સાધ્વી તરીકે ત્યાં રહેવા ગઈ. આ લાઈફ એકદમ સ્ટ્રેસ ફ્રી હોવાથી અને ભગવાન મહાવીરની નજીક હોવાનો અહેસાસ થતા મેં દીક્ષા લેવાનો નિર્ણય કર્યો હતો.

Advertisment

વધુમાં તેણે જણાવ્યું કે, હું રાજપૂત પરિવારમાંથી હોવા છતાં મારા પૂર્વના કઈ લેણદેણ હશે, જેના કારણે મને આ જૈન ધર્મ મળ્યો છે. મારી જે આરાધના બાકી છે, તે પૂર્ણ કરવા માટે મને સાધ્વી બનવાનો વિચાર આવ્યો છે. મારા પરિવારમાં હું, મમ્મી, પપ્પા, ભાઈ, દાદા, દાદી સહિતનાં બધા છે અને મારી તમામ ઈચ્છાઓ મારા પિતા જ હંમેશા પૂર્ણ કરતા હતા.

હાલ સંયમનાં માર્ગે જતી હોવા છતાં પરિવારને છોડવાનું જરાપણ દુઃખ નથી. લોકોને મારી અપીલ છે કે, આપણે પ્રભુની નજીક જવું જોઈએ. અને તેના માટે પાપ છોડી દેવા જોઈએ. આ સાથે અહિંસાનો માર્ગ અપનાવવો જોઈએ ફક્ત એટલું જ નહીં ધીમે-ધીમે વ્યસન સહિતનાં દુષ્કૃત્યો પણ ત્યજી દેવા જોઈએ.

Advertisment
Latest Stories