ગાંધીનગર:રોડ સેફટી તાલીમ શિબિરનો પ્રારંભ, 900 કોડીનેટર થયા સામેલ

ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરી, રાષ્ટ્રીય સેવા યોજના સેલ તથા ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી ના સંયુક્ત ઉપક્રમે ત્રિદિવસીય માર્ગ સલામતી તાલીમ શિબિરનો આજથી આરંભ થયો છે.

New Update
ગાંધીનગર:રોડ સેફટી તાલીમ શિબિરનો પ્રારંભ, 900 કોડીનેટર થયા સામેલ

ગાંધીનગર ખાતે ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરી, રાષ્ટ્રીય સેવા યોજના સેલ તથા ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી ના સંયુક્ત ઉપક્રમે ત્રિદિવસીય માર્ગ સલામતી તાલીમ શિબિરનો આજથી આરંભ થયો છે. જેમાં રાજ્યની વિવિધ યુનિવર્સીટીના એન.એસ.એસના કોઓર્ડિનેટર તથા સ્વયંસેવકો મળી લગભગ ૯૦૦થી વઘુ વ્યક્તિઓ સહભાગી બન્યા છે.

ગાંધીનગર ખાતે યોજાયેલ ત્રિદિવસીય માર્ગ સલામતી તાલીમ શિબિર માં વિવિઘ યુનિવર્સીટીના એન.એસ.એસ કોઓર્ડિનેટર તથા સ્વયંસેવકો મળી લગભગ ૯૦૦થી વઘુ વ્યક્તિઓ સહભાગી બન્યા છે. અકસ્માતની ઘટનામાં માથાના ભાગે ઇજા થવાથી સૌથી વધુ મૃત્યુ થાય છે. જેમાં ૪૫થી ૫૦ ટકા મૃત્યુ આપણે હેલ્મેટના ઉપયોગ દ્વારા નિવારી શકીએ છીએ. ઓવરલોડ સમસ્યાને અટકાવવા જનજાગૃત્તિ કેળવવા માટે આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. શિબિરમાં ઉપસ્થિત શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયાએ માર્ગ સલામતી ક્ષેત્રે લોક જાગૃતિ કેળવવા ના કાર્યમાં એન.એસ.એસના સ્વયંસેવકો યોગદાન આપવા અનુરોધ કરતાં જણાવ્યું હતું કે, વર્ષે લગભગ દોઢ લાખ જેટલા લોકો અકસ્માતમાં મૃત્યુ પામે છે. સંપૂર્ણપણે તેને રોકી શકાય નહીં, પણ દેખીતી રીતે નિવારી શકાય તેવા અકસ્માત રોકવામાં આપણે સફળ થવું જ પડશે. આ તાલીમ શિબિરમાં રોડ સેફ્ટી કમિશનર લલિત પાડલિયા, ઉચ્ચ શિક્ષણ સંયુક્ત કમિશનર નારાયણ માઘુ સહિતના આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

ભરૂચ: ગ્રામપંચાયતોની ચૂંટણીનો ધમધમાટ, ચૂંટણી નિરીક્ષક એન.એન.માધુની અધ્યક્ષતામાં કલેકટર કચેરીમાં બેઠક યોજાય

ચૂંટણી નિરીક્ષક એન.એન.માધુના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ભરૂચ ખાતે મિંટીંગ યોજાઈ હતી.ચૂંટણીની આદર્શ આચાર સંહિતાનું ચુસ્તપણે પાલન કરવાની અપીલ કરી

New Update
ચૂંટણી કામગીરી
ભરૂચ જિલ્લામાં ગ્રામ પંચાયતોની સામાન્ય/ મધ્યમસત્ર પેટા ચૂંટણી કામે ચૂંટણીલક્ષી જુદી જુદી કામગીરી માટે નિમણૂંક થયેલા જિલ્લા કક્ષાના નોડલ અધિકારીઓ સાથે ચૂંટણી નિરીક્ષક એન.એન.માધુના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ભરૂચ ખાતે મિંટીંગ યોજાઈ હતી.ચૂંટણીની આદર્શ આચાર સંહિતાનું ચુસ્તપણે પાલન કરવાની અપીલ કરી હતી. ચૂંટણી સંદર્ભે ગ્રામ્ય વિસ્તારોની સ્થાનિક પરિસ્થિતિનો પૂરતો તાગ મેળવીને કાર્ય આયોજન હાથ ધરવાની પણ જિલ્લા ચૂંટણી અધિકારીએ સૂચના આપી હતી.
આ બેઠક દરમિયાન અધિક જિલ્લા ચૂંટણી અધિકારી અને નિવાસી અધિક કલેક્ટર  એન.આર.ધાધલે બેઠકનું સંચાલન કરતાં અગત્યના મુદાઓ જેવા કે, કાયદો અને વ્યવસ્થા તથા પોલીસ બંદોબસ્ત, મેન પાવર, તાલીમ, વાહન વ્યવસ્થા, RO અને ARO ની નિયુક્તિ, મતપત્રકો અને પ્રતિકોની ફાળવણી, મતપત્રો છપામણી કામગીરી તેમજ છાપકામ બાદ રદ/ ખરાબ થયેલા મતપત્રો નાશ કરવા અંગેની કામગીરી, પોલીંગ સ્ટાફ, મતગણતરી સ્ટાફને તાલીમ,મતદાન મથકો પર પ્રાથમિક સુવિધા, સ્ટ્રોંગરૂમ તથા કાઉન્ટીંગ હોલ, ચૂંટણીખર્ચના હિસાબોની ચકાસણી, વાહન ફાળવણી, ચૂંટણીના સ્ટાફને ટપાલ મતપત્રો આપવા અને આદર્શ આચાર સંહિતાના જેવા મુદ્દે વિસ્તૃત ચર્ચા હાથ ધરી હતી.