ગીર સોમનાથ : 13 ગામના લોકો માટે મહત્વનો ગણાતો માર્ગ અતિ’બિસ્માર

આમ તો ચોમાસુ બેસે ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના પગલે માર્ગ બિસ્માર બનતા હોય છે, પરંતુ ગીર સોમનાથ જિલ્લાના તાલાલાથી આંબળાશ જતો માર્ગ છેલ્લા ઘણા સમયથી અતિ બિસ્માર બન્યો છે.

New Update

ગીર સોમનાથ જિલ્લાના તાલાલાથી આંબળાશ જતો 13 ગામના લોકોમાટેમહત્વનો ગણાતો માર્ગ છેલ્લા ઘણા સમયથી અતિ બિસ્માર અવસ્થામાં આવી જતાં ગ્રામજનોએ બિસ્માર માર્ગના સમારકામની માંગ કરી છે.

આમ તો ચોમાસુ બેસે ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના પગલે માર્ગ બિસ્માર બનતા હોય છેપરંતુ ગીર સોમનાથ જિલ્લાના તાલાલાથી આંબળાશ જતો માર્ગ છેલ્લા ઘણા સમયથી અતિ બિસ્માર બન્યો છે. 13 ગામના લોકો માટે મહત્વનો ગણાતો માર્ગ બિસ્માર અવસ્થામાં આવી જતાં ગ્રામજનોએ સમારકામની માંગ કરી છે. ગ્રામજનોના જણાવ્યા અનુસારતાલાલાથી આંબળાશ ગામ સુધીના માર્ગ ઉપર ઠેર ઠેર મોટા ગાબડાં પડ્યા છે. તેવામાં બાંધકામ વિભાગ સ્થળ મુલાકાત કરી લોકોની વેદના સાંભળી ચોમાસાં પૂર્વે બિસ્માર માર્ગની જરૂરી મરામત કરાવે તે અનિવાર્ય બન્યું છે.

તાલાલા-આંબળાશ માર્ગ પર કેટલીક જગ્યાએ તો માર્ગ નામશેષ થઈ ગયો હોયત્યારે આ માર્ગ પરથી પસાર થવું પણ વાહનચાલકો માટે કઠિન બની ગયું છે. બિસ્માર માર્ગની મરામત માટે વારંવારની રજૂઆતો છતાં પણ બાંધકામ વિભાગ તરફથી કોઈપણ કાર્યવાહી કરવામાં આવી નથી. ચોમાસા દરમિયાન બિસ્માર માર્ગના કારણે અકસ્માતો થવાની ભિતિ વ્યક્ત થઈ રહી છેત્યારે વહેલી તકે બિસ્માર રસ્તો નહીં બને તો ગ્રામજનોએ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો બીજી તરફઆંબળાશ ગીર ગામના સરપંચે જિલ્લા વહીવટી તંત્ર સહિત બાંધકામ વિભાગના ઉચ્ચ સત્તાવાળાઓ સમક્ષ આ મામલે રજૂઆત કરી છે.

Read the Next Article

કચ્છ : અંજારમાં પ્રેમસંબંધનો કરૂણ અંજામ,CRPF જવાન પ્રેમીએ જ મહિલા ASIની કરી હત્યા

મરણ જનાર અરુણા જાદવ મૂળ સુરેન્દ્રનગરના દેરવાડાના વતની હતા અને અંજારમાં રહેતા હતા ગત મોડી રાત્રે અરુણા અને તેના પુરુષ મિત્ર દિલીપ ડાંગચીયા વચ્ચે કોઈક બાબતને લઈને જબરદસ્ત ઝઘડો થયો હતો.

New Update
  • અંજારમાં મહિલાASIની હત્યાથી ચકચાર

  • ઘટનાને પગલે પોલીસતંત્રમાં ચકચાર 

  • પ્રેમીએ ગળું દબાવીને કરી પ્રેમિકાની હત્યા

  • પારિવારિક ઝગડાએ લીધું ઉગ્ર સ્વરૂપ   

  • CRPFના જવાન પ્રેમીએ કર્યું પોલીસમાં સરેન્ડર

અંજાર પોલીસ સ્ટેશનમાં આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા 25 વર્ષીય અરુણા નટુભાઈ જાદવની રાત્રે તેના પ્રેમીએ ઘરમાં ગળું દબાવીને હત્યા કરી નાખતા પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ હતી.

કચ્છ જિલ્લાના અંજાર પોલીસ સ્ટેશનમાં આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા 25 વર્ષીય અરુણા નટુભાઈ જાદવની ગત રાત્રે તેના પ્રેમીએ ઘરમાં ગળું દબાવીને હત્યા કરી નાખતા પોલીસ ખાતામાં ચકચાર મચી ગઈ હતી. મરણ જનાર અરુણા જાદવ મૂળ સુરેન્દ્રનગરના દેરવાડાના વતની હતા અને અંજારની ગંગોત્રી સોસાયટી-2માં રહે છે. ગત મોડી રાત્રે અરુણા અને તેના પુરુષ મિત્ર દિલીપ ડાંગચીયા વચ્ચે કોઈક બાબતને લઈને જબરદસ્ત ઝઘડો થયો હતો.

જેમાં દિલીપે પિત્તો ગુમાવીને અરુણાનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી. દિલીપ મણિપુરમાંCRPFમાં ફરજ બજાવે છે. અરુણાની હત્યા કર્યા બાદ દિલીપ સામેથી અંજાર પોલીસ મથકે હાજર થઈ ગયો હતો. દિલીપ પણ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)માં ફરજ બજાવે છે અને મણિપુર ખાતે પોસ્ટિંગ થયેલું છે. દિલીપ અરુણાની બાજુના ગામનો વતની છે.

બંને લાંબા સમયથી એકમેકના પ્રેમસંબંધમાં હતા અને લગ્ન કરવાનું આયોજન કરતા હતા. રાત્રે પારિવારીક બાબતમાં બોલાચાલી થતાં અરુણાએ દિલીપની માતા વિશે એલફેલ બોલવાનું શરૂ કરતા દિલીપે હત્યા કરી નાખી હતી. બનાવના પગલે અંજાર પીઆઈ એ.આર. ગોહિલ સહિતની ટીમે તપાસ શરૂ કરી હતી.