ગીર સોમનાથ : જોખમી રીતે પરિવહન કરતા વાહનો સામે જિલ્લા કલેકટરની કડક કાર્યવાહી,ત્રણ માસમાં 674 વાહનોને દંડ ફટકાર્યો

ગીર સોમનાથ જિલ્લામાં જોખમી રીતે દોડતા ભારદારી વાહનો સામે જિલ્લા કલેકટર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી,અને ત્રણ મહિનામાં 674 વાહનો સામે રૂપિયા 33.24 લાખની દંડાત્મક કાર્યવાહી કરી હતી.

New Update
  • જોખમી રીતે પરિવહન કરતા વાહનોનો મામલો 

  • જિલ્લા કલેકટરે આપ્યા કડક કાર્યવાહીના આદેશ

  • મોટા પથ્થરનું અતિ જોખમી પરિવહન પણ આવ્યું સામે

  • RTO દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી

  • ત્રણ માસમાં 674 વાહનો સામે કરવામાં આવી કાર્યવાહી

  • રૂપિયા 33.24 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો 

Advertisment

ગીર સોમનાથ જિલ્લામાં જોખમી રીતે દોડતા ભારદારી વાહનો સામે જિલ્લા કલેકટર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી,અને ત્રણ મહિનામાં 674 વાહનો સામે રૂપિયા 33.24 લાખની દંડાત્મક કાર્યવાહી કરી હતી.

ગીર સોમનાથ જિલ્લામાં જોખમી રીતે પરિવહન કરવામાં આવી રહ્યું હતું,જે અંગેની જાણ જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાને થતા તેઓ દ્વારા ત્વરિત કાર્યવાહી કરવામાં આવી હતી.જેના કારણે RTO દ્વારા સઘન ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી.આ કાર્યવાહી દરમિયાન એક માસમાં 220 વાહનો સામે કાર્યવાહી કરીને રૂપિયા 13.57 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો,જ્યારે જિલ્લા કલેકટરની તપાસ દરમિયાન જે ટી નિર્માણના કામમાં મસમોટા પથ્થરોનું પરિવહન અતિ જોખમી રીતે કરવામાં આવતુ હોવાનું પણ જાણવા મળ્યું હતું.ત્યાર બાદ જિલ્લા કલેકટર દ્વારા કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા હતા.જાહેર માર્ગ પર જોખમી રીતે દોડતા વાહનો સામેની કાર્યવાહીમાં છેલ્લા ત્રણ મહિનામાં 674 વાહનો સામે રૂપિયા 33.24 લાખની દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. 

 

Advertisment
Latest Stories