ગીર સોમનાથ : આકાશમાંથી કાચુ સોનું વરસતા ગીર પંથકના ખેડૂતોએ મગફળીની વાવણીના શ્રી ગણેશ કર્યા…

ગીર સોમનાથ જીલ્લામાં મેઘરાજા મન મુકીને કાચુ સોનું વરસાવતા ખેડૂતોમાં આનંદ છવાયો છે, ત્યારે હવે જિલ્લાભરમાં ખેડૂતો દ્વારા મગફળીની વાવણીના શ્રીગણેશ કરવામાં આવ્યા છે.

author-image
By Connect Gujarat
New Update

ગીર સોમનાથ જીલ્લામાં મેઘરાજા મન મુકીને કાચુ સોનું વરસાવતા ખેડૂતોમાં આનંદ છવાયો છેત્યારે હવે જિલ્લાભરમાં ખેડૂતો દ્વારા મગફળીની વાવણીના શ્રીગણેશ કરવામાં આવ્યા છે.

ગીર સોમનાથ જિલ્લાના ગીરના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં છેલ્લા 2 દિવસથી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા ખેડૂતો ખુશખુશાલ બન્યા છે. ગીર પંથકમાં મેઘમહેર થતા અને વરસાદરૂપી કાચુ સોનું વરસતા ખેડૂતોએ મગફળીનું વાવેતર શરૂ કરી દીધું છે. ખેડૂતોના જણાવ્યા અનુસારદરેક ગામમાં ખેતી કરતા ખેડૂતો વાવણીમાં જોતરાયા છે. વાવણી લાયક સારો વરસાદ વરસતા હજારો હેક્ટર જમીનમાં ખેડૂતો દ્વારા વાવણીના શ્રી ગણેશ કરાયા છે. જોકેખેડૂતોને આશા છે કેઆ વર્ષે ચોમાસુ ખૂબ જ સારું રહેશેઅને ગીર પંથકમાં પુષ્કળ પ્રમાણમાં મગફળીનું ઉત્પાદન થશે. જેથી સારો વરસાદ વરસવાના કારણે ખેડૂતોમા આંણદ છવાયો છે.

Read the Next Article

જુનાગઢ : દીકરીના ભણતર બાબતની માથાકૂટમાં પત્નીની હત્યા કરનાર હત્યારા પતિની પોલીસે ધરપકડ કરી...

જુનાગઢના ભવનાથ વિસ્તારમાં દીકરીના ભણતર બાબતે થયેલ માથાકૂટમાં પતિએ પત્નીને ઢીકાપાટુ અને પેટમાં લાતો મારતાં પત્નીનું મૃત્યુ થયું હતું. સમગ્ર મામલે પોલીસે હત્યારા પતિની ધરપકડ

New Update

જુનાગઢ : દીકરીના ભણતર બાબતની માથાકૂટમાં પત્નીની હત્યા કરનાર હત્યારા પતિની પોલીસે ધરપકડ કરી...

સ્લગ : હત્યારો પતિ પોલીસ ગિરફ્તમાં..!

ભવનાથ વિસ્તારમાં રહેતા પરિવારનો માળો વિખાયો

દીકરીના ભણતર બાબતે પતિ-પત્ની વચ્ચેની માથાકૂટ

ઉશ્કેરાયેલા પતિએ પત્નીને ઢીકાપાટુનો માર માર્યો

પેટમાં લાતો મારતાં પત્નીનું મૃત્યુ નિપજતા ચકચાર

પોલીસે હત્યારા પત્ની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી

જુનાગઢના ભવનાથ વિસ્તારમાં દીકરીના ભણતર બાબતે થયેલ માથાકૂટમાં પતિએ પત્નીને ઢીકાપાટુ અને પેટમાં લાતો મારતાં પત્નીનું મૃત્યુ થયું હતું. સમગ્ર મામલે પોલીસે હત્યારા પત્ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા દેવભૂમિ દ્વારકા જિલ્લાના નંદાણા ગામથી જુનાગઢના ભવનાથ વિસ્તારમાં આવી વસવાટ કરતાં પરિવારનો માળો વિખાયો છે. ભવનાથ વિસ્તારમાં પતિ રાજેશ ચાવડા સાથે રહેતી પત્ની મલુબેનને પોતાની દીકરીના ભણતરની ચિંતા હતીત્યારે દીકરીના ભણતર બાબતે પતિ-પત્ની વચ્ચે માથાકૂટ થઈ હતી. આ દરમ્યાન ઉશ્કેરાયેલા પતિએ પત્ની ઉપર હુમલો કર્યો હતો. જેમાં પતિએ પત્નીને ઢીકાપાટુ અને પેટમાં લાતો મારતાં પત્નીને હોસ્પિટલ લઈ ગયા બાદ તેણીનું મૃત્યુ થયુ હતું. અગાઉ પણ પતિ રાજેશને પોતાની પત્ની સાથે માથાકૂટ થતીત્યારે બન્ને અલગ અલગ રહેતા હતા. જોકેસમાજના આગેવાનોએ બન્ને વચ્ચે સમાધાન કરાવતા તેઓએ ફરી સાથે રહી પોતાનો સંસાર ચલાવવાનું નક્કી કર્યું હતું. પરંતુ બન્ને વચ્ચે થયેલા ઝગડામાં સંસાર ચાલ્યો નહીંઅને હાલ પોતાની દીકરી માતા વિનાની નોધારી બની ગઈ છે. સમગ્ર મામલે ભવનાથ પોલીસે હત્યારા પતિ રાજેશ ચાવડાની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.