ગીર સોમનાથ : આકાશમાંથી કાચુ સોનું વરસતા ગીર પંથકના ખેડૂતોએ મગફળીની વાવણીના શ્રી ગણેશ કર્યા…

ગીર સોમનાથ જીલ્લામાં મેઘરાજા મન મુકીને કાચુ સોનું વરસાવતા ખેડૂતોમાં આનંદ છવાયો છે, ત્યારે હવે જિલ્લાભરમાં ખેડૂતો દ્વારા મગફળીની વાવણીના શ્રીગણેશ કરવામાં આવ્યા છે.

author-image
By Connect Gujarat
New Update

ગીર સોમનાથ જીલ્લામાં મેઘરાજા મન મુકીને કાચુ સોનું વરસાવતા ખેડૂતોમાં આનંદ છવાયો છેત્યારે હવે જિલ્લાભરમાં ખેડૂતો દ્વારા મગફળીની વાવણીના શ્રીગણેશ કરવામાં આવ્યા છે.

ગીર સોમનાથ જિલ્લાના ગીરના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં છેલ્લા 2 દિવસથી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા ખેડૂતો ખુશખુશાલ બન્યા છે. ગીર પંથકમાં મેઘમહેર થતા અને વરસાદરૂપી કાચુ સોનું વરસતા ખેડૂતોએ મગફળીનું વાવેતર શરૂ કરી દીધું છે. ખેડૂતોના જણાવ્યા અનુસારદરેક ગામમાં ખેતી કરતા ખેડૂતો વાવણીમાં જોતરાયા છે. વાવણી લાયક સારો વરસાદ વરસતા હજારો હેક્ટર જમીનમાં ખેડૂતો દ્વારા વાવણીના શ્રી ગણેશ કરાયા છે. જોકેખેડૂતોને આશા છે કેઆ વર્ષે ચોમાસુ ખૂબ જ સારું રહેશેઅને ગીર પંથકમાં પુષ્કળ પ્રમાણમાં મગફળીનું ઉત્પાદન થશે. જેથી સારો વરસાદ વરસવાના કારણે ખેડૂતોમા આંણદ છવાયો છે.

Read the Next Article

ભરૂચ જિલ્લાની 67 ગ્રામપંચાયતોમાં રવિવારે ચૂંટણી યોજાશે, કુલ 18 પંચાયત સમરસ જાહેર

ગ્રામ પંચાયતો માટે સામાન્ય અને પેટાચૂંટણી યોજાનાર છે.  જે પૈકી ભરૂચ જિલ્લામાં ૦૯ તાલુકામાં ૬૭ ગ્રામ પંચાયતોમાં સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણી યોજાશે. જયારે ૧૮ ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિનહરીફ જાહેર થઈ

New Update
Bharuch Grampanchayat Election
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા રાજ્યમાં ૨૨મી જૂનના રોજ આઠ હજારથી વધુ ગ્રામ પંચાયતો માટે સામાન્ય અને પેટાચૂંટણી યોજાનાર છે.  જે પૈકી ભરૂચ જિલ્લામાં ૦૯ તાલુકામાં ૬૭ ગ્રામ પંચાયતોમાં સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણી યોજાશે. જયારે ૧૮ ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિનહરીફ જાહેર થઈ હતી.ભરૂચ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં તા.૦૧/૦૪/૨૦૨૨થી તા.૩૦/૦૬/૨૦૨૫ સુધીની મુદત પુરી થતી પંચાયતો ભરૂચ જિલ્લાની ૨૧૩ ગ્રામ પંચાયતોની ચૂંટણી પૈકી ૬૩ સામાન્ય,  ૦૫ વિસર્જન, અને પેટા ૧૪૫ મળી કુલ ૨૧૩ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાનાર હતી. 
      
આગામી તા.૨૨/૦૬/૨૦૨૫ના રોજ ભરૂચ જિલ્લાના તાલુકાઓમાં કુલ ૬૭ ગ્રામ પંચાયતો માટેની ચૂંટણી યોજાનાર છે. તેમજ કુલ-૬૮ પંચાયતો પૈકી ૧૮ ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિનહરીફ વિજેતા થઈ છે. જેમાં આમોદ તાલુકાની ૦૩, વાગરાની ૦૧, ભરૂચ તાલુકાની ૦૧ અંકલેશ્વરની ૦૪, હાંસોટ તાલુકાની ૦૭, ઝઘડીયા તાલુકાની ૦૨  ગ્રામ પંચાયતોમાં બિનહરીફ જીત જાહેર થઈ છે. કુલ ૧૭૪ મતદાન મથકોમાં મતદાન યોજાશે. આ ચૂંટણીમાં નોટાનો અમલ કરવામાં આવશે.આ ચૂંટણીમાં બેલેટ પેપરનો ઉપયોગ કરવામાં આવશે..