New Update
ગીર સોમનાથ જીલ્લામાં મેઘરાજા મન મુકીને કાચુ સોનું વરસાવતા ખેડૂતોમાં આનંદ છવાયો છે, ત્યારે હવે જિલ્લાભરમાં ખેડૂતો દ્વારા મગફળીની વાવણીના શ્રીગણેશ કરવામાં આવ્યા છે.
ગીર સોમનાથ જિલ્લાના ગીરના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં છેલ્લા 2 દિવસથી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા ખેડૂતો ખુશખુશાલ બન્યા છે. ગીર પંથકમાં મેઘમહેર થતા અને વરસાદરૂપી કાચુ સોનું વરસતા ખેડૂતોએ મગફળીનું વાવેતર શરૂ કરી દીધું છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર, દરેક ગામમાં ખેતી કરતા ખેડૂતો વાવણીમાં જોતરાયા છે. વાવણી લાયક સારો વરસાદ વરસતા હજારો હેક્ટર જમીનમાં ખેડૂતો દ્વારા વાવણીના શ્રી ગણેશ કરાયા છે. જોકે, ખેડૂતોને આશા છે કે, આ વર્ષે ચોમાસુ ખૂબ જ સારું રહેશે, અને ગીર પંથકમાં પુષ્કળ પ્રમાણમાં મગફળીનું ઉત્પાદન થશે. જેથી સારો વરસાદ વરસવાના કારણે ખેડૂતોમા આંણદ છવાયો છે.
Latest Stories