ગીર સોમનાથ:ગુજરાત આહીર સેના દ્વારા શૌર્ય દિવસ નિમિત્તે આહીર રેજીમેન્ટની માંગ

ગુજરાત આહિર સેના દ્વારા આયોજિત શૌર્ય દિવસની ઉજવણીના કાર્યક્રમને બિરદાવતા ગુજરાત આહિર સમાજના પ્રમુખ જવાહર ચાવડાએ જણાવ્યું હતું કે, આવા કાર્યો કરવાથી એક વિચાર સાથે સમાજ સંગઠિત થશે

New Update
  • ગુજરાત આહીર સેના દ્વારા શૌર્ય દિવસની ઉજવણી 

  • ભાલકાતીર્થ ખાતે યોજાયો કાર્યક્રમ

  • શહીદ વીર 114 આહીર જવાનોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા 

  • બ્રહ્માકુમારી પરિવાર પણ રહ્યો ઉપસ્થિત

  • સેનામાં આહીર રેજીમેન્ટની કરાઈ બુલંદ માંગ    

ગુજરાત આહીર સેના દ્વારા 114 શહીદ વીર આહીર જવાનોની યાદમાં ભાલકાતીર્થ ખાતે શૌર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત આહીર સમાજ વેરાવળથી સોમનાથ અને ભાલકા સુધી ભવ્ય બાઇક અને કાર રેલી સાથે બંને મંદિરો પર ધ્વજારોહણ કર્યું હતું.અને આ પ્રસંગે સેનામાં આહીર રેજીમેન્ટની માંગ પણ કરવામાં આવી હતી.

ગુજરાત આહીર સેના દ્વારા 114 શહીદ વીર આહીર જવાનોની યાદમાં ભાલકાતીર્થ ખાતે શૌર્ય દિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં ગુજરાત આહીર સમાજના પ્રમુખ જવાહર ચાવડા,બ્રહ્માકુમારીઝ પરિવાર ઉપસ્થિત રહીને શહીદ વીરોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.જ્યારે  આહિર સમુદાય દ્વારા રેડક્રોસ સોસાયટીના સહયોગ સાથે રક્તદાન પણ કરવામાં આવ્યું હતું.

ગુજરાત આહિર સેના દ્વારા આયોજિત શૌર્ય દિવસની ઉજવણીના કાર્યક્રમને બિરદાવતા ગુજરાત આહિર સમાજના પ્રમુખ જવાહર ચાવડાએ જણાવ્યું હતું કેઆવા કાર્યો કરવાથી એક વિચાર સાથે સમાજ સંગઠિત થશે અને જો સમાજ સંગઠિત થશે તો જ આ લોકશાહી દેશમાં આપણી તાકાતથી જીવી શકીશું.જવાહર ચાવડાએ આહિર રેજિમેન્ટની માંગને દોહરાવતા જણાવ્યું હતું કેએ સમયમાં સમાજના લોકોએ આપેલા બલિદાનથી પ્રેરાઈને  આજે આહીર રેજીમેન્ટની માંગ કરવામાં આવી રહી છે.

ત્યારે આહીર સમાજને સરકાર પાસેથી કોઈ સહાય નથી જોતીપરંતુ આહીર સમાજ દેશ કાજે બલિદાન આપવા માંગે છે.પોતાનું લોહી આપવા માંગે છે. આ રાષ્ટ્રને અમે અમારી જાત સમર્પિત કરવા માંગીએ છીએ અને તેના માટે અમે અમારી ઓળખ માંગીએ છીએ અને એ ઓળખ છે આહીર રેજીમેન્ટ. 

 

 

Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.