ગીર સોમનાથ:ગુજરાત આહીર સેના દ્વારા શૌર્ય દિવસ નિમિત્તે આહીર રેજીમેન્ટની માંગ

ગુજરાત આહિર સેના દ્વારા આયોજિત શૌર્ય દિવસની ઉજવણીના કાર્યક્રમને બિરદાવતા ગુજરાત આહિર સમાજના પ્રમુખ જવાહર ચાવડાએ જણાવ્યું હતું કે, આવા કાર્યો કરવાથી એક વિચાર સાથે સમાજ સંગઠિત થશે

New Update
  • ગુજરાત આહીર સેનાદ્વારા શૌર્ય દિવસનીઉજવણી

  • ભાલકાતીર્થ ખાતે યોજાયો કાર્યક્રમ

  • શહીદ વીર114 આહીર જવાનોને શ્રદ્ધાસુમનઅર્પણ કર્યા

  • બ્રહ્માકુમારી પરિવાર પણ રહ્યો ઉપસ્થિત

  • સેનામાં આહીર રેજીમેન્ટનીકરાઈ બુલંદ માંગ

ગુજરાત આહીર સેના દ્વારા114 શહીદ વીરઆહીરજવાનોની યાદમાં ભાલકાતીર્થ ખાતે શૌર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત આહીર સમાજ વેરાવળથી સોમનાથ અને ભાલકાસુધી ભવ્ય બાઇક અને કાર રેલી સાથે બંને મંદિરો પર ધ્વજારોહણ કર્યું હતું.અને આ પ્રસંગેસેનામાં આહીર રેજીમેન્ટનીમાંગ પણ કરવામાં આવી હતી.

ગુજરાત આહીર સેના દ્વારા114 શહીદ વીરઆહીરજવાનોની યાદમાં ભાલકાતીર્થ ખાતે શૌર્ય દિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં ગુજરાત આહીર સમાજના પ્રમુખ જવાહર ચાવડા,બ્રહ્માકુમારીઝ પરિવાર ઉપસ્થિત રહીને શહીદ વીરોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.જ્યારે આહિર સમુદાય દ્વારા રેડક્રોસ સોસાયટીનાસહયોગ સાથે રક્તદાન પણ કરવામાં આવ્યું હતું.

ગુજરાત આહિર સેના દ્વારા આયોજિત શૌર્ય દિવસની ઉજવણીના કાર્યક્રમને બિરદાવતા ગુજરાત આહિર સમાજના પ્રમુખ જવાહર ચાવડાએ જણાવ્યું હતું કેઆવા કાર્યો કરવાથી એક વિચાર સાથે સમાજ સંગઠિત થશે અને જો સમાજ સંગઠિત થશે તો જ આ લોકશાહી દેશમાં આપણી તાકાતથી જીવી શકીશું.જવાહર ચાવડાએ આહિર રેજિમેન્ટનીમાંગને દોહરાવતા જણાવ્યું હતું કેએ સમયમાં સમાજના લોકોએ આપેલા બલિદાનથી પ્રેરાઈને આજે આહીર રેજીમેન્ટની માંગ કરવામાં આવી રહી છે.

ત્યારે આહીર સમાજને સરકાર પાસેથી કોઈ સહાય નથી જોતીપરંતુ આહીર સમાજ દેશ કાજે બલિદાન આપવા માંગે છે.પોતાનું લોહી આપવા માંગે છે. આ રાષ્ટ્રને અમે અમારી જાત સમર્પિત કરવા માંગીએ છીએ અને તેના માટે અમે અમારી ઓળખ માંગીએ છીએ અને એ ઓળખ છે આહીર રેજીમેન્ટ.

Read the Next Article

અમરેલી : રૂ. 4.28 કરોડના ખર્ચે નિર્માણ પામેલ બગસરા આરોગ્ય કેન્દ્રનું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ...

 અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં રૂપિયા 4 કરોડ 28 લાખના ખર્ચે નિર્માણ પામેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે.

New Update

બગસરા સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરાયું

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરાયું

રૂ. 4.28 કરોડના ખર્ચે આરોગ્ય કેન્દ્રનું નિર્માણ થયું

આરોગ્ય કેન્દ્ર 34 ગામના ગ્રામજનોને સેવા આપશે

મોટી સંખ્યામાં આસપાસના ગ્રામજનોની ઉપસ્થિતિ

અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં રૂપિયા 4 કરોડ 28 લાખના ખર્ચે નિર્માણ પામેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે.

આ આરોગ્ય કેન્દ્ર બગસરા શહેર અને આસપાસના 34 ગામના લોકોને સેવા પૂરી પાડશે. આ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 30 બેડની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ ઉપરાંત જનરલ વિભાગડાયાલિસિસ વિભાગએક્સ-રે વિભાગલેબોરેટરી વિભાગલેબર વિભાગઓપરેશન થિયેટર વિભાગએમ્બ્યુલન્સ વિભાગઆઈસીપીસીસી વિભાગ અને ફિઝિયોથેરાપી વિભાગ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ કેન્દ્રમાં 33 કર્મચારીઓનું મહેકમ મંજૂર કરવામાં આવ્યું છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કેઅમરેલી એક પાણીદાર જિલ્લો છે. બગસરામાં કરોડોના ખર્ચે હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કર્યું છેઅને ધારીમાં પણ હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું છેત્યારે રાજ્ય સરકાર આરોગ્યની સુવિધાઓ વધારવા માટે સતત કાર્ય કરી રહી છે. આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય જે.વી.કાકડિયાધારાસભ્ય જનક તળાવિયાજિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીજિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.