કોડીનાર તાલુકા સમસ્ત આહીર સમાજ દ્વારા 10મો સમૂહ લગ્ન યોજાયો, 27 નવદંપતીએ પ્રભુતામાં ડગ માંડ્યા

કોઇપણ પ્રકારની ભવ્યતા વિના એકદમ સાદાઇથી લગ્ન સમારોહ યોજાયો હતો.

New Update
કોડીનાર તાલુકા સમસ્ત આહીર સમાજ દ્વારા 10મો સમૂહ લગ્ન યોજાયો, 27 નવદંપતીએ પ્રભુતામાં ડગ માંડ્યા

કહેવાય છે કે, સામાજિક જીવનમાં લગ્ન એ આવશ્યક પરંપરા છે. લગ્નથી 2 પરિવારો એક થતા હોય છે. 21મી સદીમાં એક તરફ લોકો લગ્નમાં ધૂમ ખર્ચો કરીને પોતાનો રૂઆબ દેખાડાવાના પ્રયાસમાં લાખો-કરોડો રૂપિયાના આંધણ કરતા હોય છે. તો બીજી તરફ ગુજરાતમાં અનેક સમાજ જાગૃત બન્યા છે, અને સમગ્ર સમાજ એકત્ર થઇ એક માંડવે સમૂહ લગ્નનું આયોજન કરતા થયા છે.

આવા જ એક સમૂહ લગ્નનું આયોજન કોડીનાર આહિર સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નમાં 27 નવદંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આ સમૂહ લગ્નમાં કોડીનાર, તાલાળા, ઉના તેમજ વેરાવળ તાલુકાના તમામ આહીરના સમાજના આગેવાનો, સભ્યો તથા આહીર અગ્રણીઓ તેમજ કોડીનાર તાલુકાના તમામ આહીર સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

આ સમૂહ લગ્નની ખાસ વિશેષતા એ રહી હતી કે, કોઇપણ પ્રકારની ભવ્યતા વિના એકદમ સાદાઇથી લગ્ન સમારોહ યોજાયો હતો. કોઇપણ ભેદભાવ વિના સમગ્ર લોકો એક થઈ એક પરિવારની જેમ પોતાના આંગણે આવેલા આ પ્રસંગને ઉજવ્યો હતો.

Latest Stories