ગીર સોમનાથ: ઘટવાડમાં રૂદ્રેશ્વર ભારતી આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી

રાજ્ય સહિત દેશભરમાં આજરોજ ગુરુપૂર્ણિમાની ઉજવણી, ઘટવાડના રૂદ્રેશ્વર ભારતી આશ્રમમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી.

New Update
ગીર સોમનાથ: ઘટવાડમાં રૂદ્રેશ્વર ભારતી આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી

શિષ્યમાં અજ્ઞાન રૂપી અંધકારને દુર કરી જ્ઞાનરૂપી દિપક પ્રગટાવનાર મહાપુરુષ એટલે ગુરુ અને આજે રાજ્યભરમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગીર સોમનાથના ઘટવાડ ખાતે પણ ગુરુપૂર્ણિમા ઉજવવામાં આવી હતી.

આજે સમગ્ર ભારત સહિત વિદેશોમાં પણ ગુરુપૂર્ણિમાનું અનેરું મહત્વ છે ત્યારે ગીર સોમનાથના ઘટવાડ ખાતે ગુરુપૂર્ણિમા ઉજવવામાં આવી હતી. ગુરુની ભૂમિકા ભારતમાં ફક્ત આધ્યાત્મ કે ધાર્મિકતા સુધી જ સીમિત નથી રહી, દેશ પર રાજનીતિક વિપદા આવતા ગુરૂએ દેશને યોગ્ય સલાહ આપીને મુશ્કેલીમાંથી ઉગાર્યું છે. અર્થાત પ્રાચીન સમયથી ગુરૂએ શિષ્યનું દરેક ક્ષેત્રમાં વ્યાપક માર્ગદર્શન કર્યુ છે. તેથી ગુરૂનો મહિમા માતા-પિતાથી પણ ઉપર છે. આજે અષાઢ સુદ પુનમ છે. પ્રચલિત ભાષામાં આપણે તેને ગુરૂપૂર્ણિમા કે વ્યાસ પૂર્ણિમા કહીએ છીએ.

આજની વરવી વાસ્તવિકતા એ છે કે પૂર્ણિમાનું મહત્વ ભલે ગમે એટલું આંકીએ પણ સાચા ગુરુ મળવા અઘરા છે આદિ અનાદિ કાળથી ગુરુપૂર્ણિમાનું મહત્વ રહેલું છે ત્યારે આજે ઘટવાડ ખાતે ગુરુપૂર્ણિમા ઉજવવામાં આવી હતી જેમાં સમાધિ પૂજન, સત નારાયણ કથા સાથે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

Read the Next Article

ભરૂચ: ગ્રામપંચાયતોની ચૂંટણીનો ધમધમાટ, ચૂંટણી નિરીક્ષક એન.એન.માધુની અધ્યક્ષતામાં કલેકટર કચેરીમાં બેઠક યોજાય

ચૂંટણી નિરીક્ષક એન.એન.માધુના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ભરૂચ ખાતે મિંટીંગ યોજાઈ હતી.ચૂંટણીની આદર્શ આચાર સંહિતાનું ચુસ્તપણે પાલન કરવાની અપીલ કરી

New Update
ચૂંટણી કામગીરી
ભરૂચ જિલ્લામાં ગ્રામ પંચાયતોની સામાન્ય/ મધ્યમસત્ર પેટા ચૂંટણી કામે ચૂંટણીલક્ષી જુદી જુદી કામગીરી માટે નિમણૂંક થયેલા જિલ્લા કક્ષાના નોડલ અધિકારીઓ સાથે ચૂંટણી નિરીક્ષક એન.એન.માધુના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ભરૂચ ખાતે મિંટીંગ યોજાઈ હતી.ચૂંટણીની આદર્શ આચાર સંહિતાનું ચુસ્તપણે પાલન કરવાની અપીલ કરી હતી. ચૂંટણી સંદર્ભે ગ્રામ્ય વિસ્તારોની સ્થાનિક પરિસ્થિતિનો પૂરતો તાગ મેળવીને કાર્ય આયોજન હાથ ધરવાની પણ જિલ્લા ચૂંટણી અધિકારીએ સૂચના આપી હતી.
આ બેઠક દરમિયાન અધિક જિલ્લા ચૂંટણી અધિકારી અને નિવાસી અધિક કલેક્ટર  એન.આર.ધાધલે બેઠકનું સંચાલન કરતાં અગત્યના મુદાઓ જેવા કે, કાયદો અને વ્યવસ્થા તથા પોલીસ બંદોબસ્ત, મેન પાવર, તાલીમ, વાહન વ્યવસ્થા, RO અને ARO ની નિયુક્તિ, મતપત્રકો અને પ્રતિકોની ફાળવણી, મતપત્રો છપામણી કામગીરી તેમજ છાપકામ બાદ રદ/ ખરાબ થયેલા મતપત્રો નાશ કરવા અંગેની કામગીરી, પોલીંગ સ્ટાફ, મતગણતરી સ્ટાફને તાલીમ,મતદાન મથકો પર પ્રાથમિક સુવિધા, સ્ટ્રોંગરૂમ તથા કાઉન્ટીંગ હોલ, ચૂંટણીખર્ચના હિસાબોની ચકાસણી, વાહન ફાળવણી, ચૂંટણીના સ્ટાફને ટપાલ મતપત્રો આપવા અને આદર્શ આચાર સંહિતાના જેવા મુદ્દે વિસ્તૃત ચર્ચા હાથ ધરી હતી.