ગીર સોમનાથ: ઘટવાડમાં રૂદ્રેશ્વર ભારતી આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી

રાજ્ય સહિત દેશભરમાં આજરોજ ગુરુપૂર્ણિમાની ઉજવણી, ઘટવાડના રૂદ્રેશ્વર ભારતી આશ્રમમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી.

New Update
ગીર સોમનાથ: ઘટવાડમાં રૂદ્રેશ્વર ભારતી આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી

શિષ્યમાં અજ્ઞાન રૂપી અંધકારને દુર કરી જ્ઞાનરૂપી દિપક પ્રગટાવનાર મહાપુરુષ એટલે ગુરુ અને આજે રાજ્યભરમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગીર સોમનાથના ઘટવાડ ખાતે પણ ગુરુપૂર્ણિમા ઉજવવામાં આવી હતી.

આજે સમગ્ર ભારત સહિત વિદેશોમાં પણ ગુરુપૂર્ણિમાનું અનેરું મહત્વ છે ત્યારે ગીર સોમનાથના ઘટવાડ ખાતે ગુરુપૂર્ણિમા ઉજવવામાં આવી હતી. ગુરુની ભૂમિકા ભારતમાં ફક્ત આધ્યાત્મ કે ધાર્મિકતા સુધી જ સીમિત નથી રહી, દેશ પર રાજનીતિક વિપદા આવતા ગુરૂએ દેશને યોગ્ય સલાહ આપીને મુશ્કેલીમાંથી ઉગાર્યું છે. અર્થાત પ્રાચીન સમયથી ગુરૂએ શિષ્યનું દરેક ક્ષેત્રમાં વ્યાપક માર્ગદર્શન કર્યુ છે. તેથી ગુરૂનો મહિમા માતા-પિતાથી પણ ઉપર છે. આજે અષાઢ સુદ પુનમ છે. પ્રચલિત ભાષામાં આપણે તેને ગુરૂપૂર્ણિમા કે વ્યાસ પૂર્ણિમા કહીએ છીએ.

આજની વરવી વાસ્તવિકતા એ છે કે પૂર્ણિમાનું મહત્વ ભલે ગમે એટલું આંકીએ પણ સાચા ગુરુ મળવા અઘરા છે આદિ અનાદિ કાળથી ગુરુપૂર્ણિમાનું મહત્વ રહેલું છે ત્યારે આજે ઘટવાડ ખાતે ગુરુપૂર્ણિમા ઉજવવામાં આવી હતી જેમાં સમાધિ પૂજન, સત નારાયણ કથા સાથે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

Read the Next Article

સુરેન્દ્રનગર : વઢવાણના ગૌરવમય ઇતિહાસને ફરી જીવંત કરવાના પ્રયાસરૂપે “હેરિટેજ વોક” યોજાય...

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા અને અતુલ્ય વારસા સંસ્થા દ્વારા વઢવાણના ગૌરવમય ઇતિહાસને ફરી જીવંત કરવાના અનોખા પ્રયાસરૂપે “હેરિટેજ વોક”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • મહાનગરપાલિકા અને અતુલ્ય વારસા સંસ્થા દ્વારા આયોજન

  • ઐતિહાસિક વારસો ધરાવતા વઢવાણ શહેરમાં આયોજન થયું

  • શહેરમાં પ્રથમ વખત હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું

  • વઢવાણના ગૌરવમય ઇતિહાસને ફરી જીવંત કરવાનો પ્રયાસ

  • હજારો વર્ષ જૂના ઐતિહાસિક સ્થળોને આવરી લેવામાં આવ્યા

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા અને અતુલ્ય વારસા સંસ્થા દ્વારા ઐતિહાસિક વારસો ધરાવતા વઢવાણ શહેરમાં પ્રથમ વખત હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું.

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા અને અતુલ્ય વારસા સંસ્થા દ્વારા વઢવાણના ગૌરવમય ઇતિહાસને ફરી જીવંત કરવાના અનોખા પ્રયાસરૂપે હેરિટેજ વોકનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ વોક વઢવાણના ઐતિહાસિક હવામહેલથી શરૂ થઈ માધાવાવ સુધી પહોંચી હતીજેમાં હજારો વર્ષ જૂના ઐતિહાસિક સ્થળોને આવરી લેવામાં આવ્યા હતા. આ માર્ગમાં રાણી કુંવરબાનું રાણકદેવી મંદિરકોટ વિસ્તારખાંડીપોળ જેવા ઐતિહાસિક સ્થળોએ થઈ માધાવાવ ખાતે સમાપન કરવામાં આવ્યું હતુંજ્યાં દિવડા પ્રગટાવીને વાવને જીવંત કરવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતોજેણે શ્રદ્ધા અને સંસ્કૃતિના મોજાં ઉભા કર્યા હતા. આ પ્રસંગે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશ્નર સહિતના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.