ગીરસોમનાથ: સુત્રાપાડાના લોઢવા ગામે બળદગાડામાં વરરાજાની નિકળી જાન, પરંપરાગત રીતે યોજાયા લગ્ન

ગીરસોમનાથના સુત્રાપાડાના લોઢવા ગામે અનોખો લગ્ન પ્રસંગ યોજાયો હતો જેમાં વરરાજા બળદગાડામાં બેસી કન્યાને પરણવા નિકળ્યા હતા

New Update
ગીરસોમનાથ: સુત્રાપાડાના લોઢવા ગામે બળદગાડામાં વરરાજાની નિકળી જાન, પરંપરાગત રીતે યોજાયા લગ્ન

ગીરસોમનાથના સુત્રાપાડાના લોઢવા ગામે અનોખો લગ્ન પ્રસંગ યોજાયો હતો જેમાં વરરાજા બળદગાડામાં બેસી કન્યાને પરણવા નિકળ્યા હતા

હાલ લગ્નસરા ચાલી રહ્યા છે ત્યારે લોકો વૈભવી કાર અને બગીમાં બેસી કન્યા ને પરણવા જાય છે પરંતુ ગીર સોમનાથના સુત્રાપાડાના લોઢવા ગામે અનોખો લગ્ન પ્રસંગ યોજાયો હતો. લોઢવા ગામે ભગવાન કછોટએ તેમના પુત્ર જયદીપના દેશી રીતીરિવાજ મુજબ અનોખા લગ્ન કરાવ્યા હતા.લોઢવા ગામે કછોટ પરિવારના આ લગ્નમા કોઈ લક્ઝ્યુરિયસ કાર નહીં પણ દેશી રીત રિવાજ મુજબ બળદગાડા સાથે જાન નીકળી હતી.ઘણા વર્ષો પહેલા લોકો બળદગાડામાં જાન લઈ જતા હતા અત્યારે જમાનો બદલાઈ રહ્યો છે અને હવે લક્ઝ્યુરિયસ કારમાં જાન લઈ જતા હોય છે પરંતુ પરંપરાગત રીતે વરરાજાને બળદગાડામાં બિરાજમાન કરવામાં આવ્યા હતા અને તેમની અનોખી જાન નિકળી હતી.આટલું જ નહીં પરંતુ રીત રિવાજ પ્માણે થાંભલી ઘરના આંગણામાં નખાતી હોય છે ત્યારે કછોટ પરિવાર દ્વારા આ થાંભલી તેમના ગૌ ભૂમિફાર્મની ગૌશાળામાં ગાયના સાનિધ્યમાં નાખી અનોખું આયોજન કરવામાં આવ્યુ હતું.

Read the Next Article

સુરતના એકમાત્ર “પ્લાસ્ટિક મુક્ત” અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરાયું...

સુરત જિલ્લાના નાગરિકોને ઝડપી ન્યાય મળે અને સરળતાથી પોલીસ સેવા સુલભ બને તે માટે અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

New Update

નાગરિકો માટે પોલીસ સેવા સુલભ બને તેવું આયોજન

સુરતનું એકમાત્ર પ્લાસ્ટિક મુક્ત અલથાણ પોલીસ સ્ટેશન

અલથાણ પોલીસ સ્ટેશનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે લોકાર્પણ કરાયું

પોલીસ સ્ટેશનમાં રેઇન વોટર હારવેસ્ટિંગની વિશેષ વ્યવસ્થા

સુરત જિલ્લાના નાગરિકોને ઝડપી ન્યાય મળે અને સરળતાથી પોલીસ સેવા સુલભ બને તે માટે અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અલથાણ પોલીસ સ્ટેશન સુરતનું એકમાત્ર પ્લાસ્ટિક મુક્ત પોલીસ સ્ટેશન તેમજ સોલાર પાવર સિસ્ટમથી સંચાલિત છેત્યારે આ પોલીસ સ્ટેશનમાં રેઇન વોટર હારવેસ્ટિંગની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અલથાણ પોલીસ સ્ટેશનનું નિરીક્ષણ કર્યું હતું. ગૃહ રાજ્યમંત્રીએ રાજ્યમાં શાંતિસુરક્ષા સલામતીના મૂળમાં ઉત્તમ કાયદો અને વ્યવસ્થા તેમજ ન્યાયની આશામાં પોલીસ સ્ટેશને આવતા ફરિયાદી તથા આમ નગારિક નિરાશ ન થાય તેમજ નાગરિકોની સમસ્યાઓફરિયાદોમાં અલથાણ પોલીસ સ્ટેશન મદદરૂપ થાય તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. આ લોકાર્પણ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી મુકેશ પટેલસંદીપ દેસાઈધારાસભ્ય સંગીતા પાટીલસુરત શહેર પોલીસ કમિશનર સહિત પોલીસ અધિકારીઓસામાજિક આગેવાનો  સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.