ગુજરાત : નવા આંકડાકીય વર્ષથી સરકારની પ્રજાને ભેટ, એક્સપ્રેસ અને નેશનલ હાઇવે પર ટોલટેક્સમાં નવા દર લાગુ

નવા નાણાકીય વર્ષથી કેન્દ્ર અને રાજ્ય સરકારે ટોલટેક્સમાં વધારો કરીને રાજ્યની પ્રજાને નવા નાણાકીય વર્ષની ભેટ આપી છે. એક્સપ્રેસ અને નેશનલ હાઇવે પરથી પસાર થતા વાહન ચાલકો પર ટોલ દરમાં વધારો ઝીંકવામાં આવ્યો છે. 

New Update

આજથી ટોલટેક્સમાં વધારાનો અમલ શરૂ, એક્સપ્રેસ અને નેશનલ હાઇવે પર ટોલબુથમાં નવા દર લાગુ

વર્ષ 2025ની શરૂઆતથી જ દેશમાં મહત્વની ગણાતી બાબતોમાં ઉલ્લેખનીય ફેરફાર જોવા મળી રહ્યો છે, જયારે પહેલી એપ્રિલથી નવા નાણાકીય વર્ષની શરૂઆત થતાની સાથે જ લોકોના આર્થિક બજેટ પર અસર જોવા મળી રહી છે.

24 કલાક વાહનોની અવરજવરથી ધમધમતા એક્સપ્રેસ હાઇવે અને નેશનલ હાઇવે પરથી પસાર થવા માટે વાહન ચાલકોએ હવે વધુ ટોલટેક્સ ચૂકવવો પડશે, જે નવા દર આજથી જ લાગુ કરવામાં આવ્યા છે. અમદાવાથી વાપી સુધી સહિત તમામ હાઇવે પર ટોલ ટેક્સમાં વધારો ઝીંકવામાં આવ્યો છે.

જાણવા મળ્યા મુજબ ચાર મહિના પહેલા 70 ટકા જેટલો ટોલટેક્સ વધારો ઝીંકી દેવામાં આવ્યો હતો. લોકોના વિરોધ વચ્ચે થોડો સમય માટે એને સ્થગિત કરાયો હતો પરંતુ ત્યારબાદ ફરી લાગુ કરી દેવામાં આવ્યો હતો.ચાર મહિના બાદ ફરી ટોલટેક્સમાં વધારો કરવામાં આવતા વાહન ચાલકોમાં રોષ જોવા મળ્યો હતો.

ટોલટેક્સનાં વધારા સામે વલસાડ નેશનલ હાઇવે નંબર 48 પરથી પસાર થતાં ટ્રક ચાલકોએ રોષ પૂર્વક જણાવ્યું હતું કે ટ્રક ચાલકો માટે કોઈ પણ પ્રકારની હાઇવે ઓથોરિટી દ્વારા સુવિધાઓ આપવામાં આવતી નથી અને માત્ર ભાવ વધારો કરવામાં આવે છે.

દક્ષિણ ગુજરાતના નવસારી નેશનલ હાઇવે નંબર 48 પર આવેલ બોરિયાચ ટોલબુથ પર ટોલ દરમાં વધારો કરવામાં આવતા વાહન ચાલકોમાં નારાજગી જોવા મળી હતી અને માત્ર સાડા ચાર મહિના બાદ ફરી ટોલટેક્સમાં વધારો કરવામાં આવતા વાહન ચાલકો પર આર્થિક ભારણ વધ્યું છે.

લાઈટ મોટર વ્હીકલના રૂપિયા 115ની જગ્યાએ 120 રૂપિયા ચૂકવવાના રહેશે. કોમર્શિયલ વ્હીકલના રૂપિયા 190ની જગ્યાએ 195 રૂપિયા દર લાગુ કરવામાં આવ્યો છે. જ્યારે બસ અને ટ્રકના રૂપિયા 395ની જગ્યાએ રૂપિયા 410 ચૂકવવાના રહેશે.

આ ઉપરાંત મલ્ટી એક્સલ વાહનોના રૂપિયા 620ની જગ્યાએ રૂપિયા 640 અને મોટા વાહનોના રૂપિયા 755ની જગ્યાએ રૂપિયા 780 ચૂકવવાના રહેશે.
 

Read the Next Article

એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના, ટાટા ગ્રુપ બાદ હવે AIR INDIAએ પણ સહાય આપવાની કરી જાહેરાત

અમદાવાદમાં જૂન 12 ના રોજ થયેલી દુ:ખદ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાના પીડિતો માટે ટાટા ગ્રુપ દ્વારા વળતરની જાહેરાત કરાયા બાદ હવે AIR INDIA એ પણ સહાય આપવાની જાહેરાત કરી છે.

New Update
Air India Pilot

અમદાવાદમાં જૂન 12 ના રોજ થયેલી દુ:ખદ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાના પીડિતો માટે ટાટા ગ્રુપ દ્વારા વળતરની જાહેરાત કરાયા બાદ હવે AIR INDIA એ પણ સહાય આપવાની જાહેરાત કરી છે. આ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારો અને ઘાયલોને ₹25 લાખ (અંદાજે 21,000 GBP) ની વચગાળાની રકમ આપવામાં આવશે.

અમદાવાદ એરપોર્ટથી ઉડાન ભર્યા પછી તરત જ ક્રેશ  થયેલા આ વિમાનમાં 242 લોકો સવાર હતા, જેમાંથી 241 લોકોના દુર્ખદ અવસાન થયા હતા. આ વિમાન એક હોસ્પિટલના હોસ્ટેલ  પર પડ્યું હતું, જેના કારણે ત્યાં રહેતા ઘણા લોકો મૃત્યુ પામ્યા અને ઘણા ઘાયલ થયા.

AIR INDIA એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં વળતરની જાહેરાત કરતા જણાવ્યું કે, "તાજેતરના અકસ્માતમાં જીવ ગુમાવનારા મુસાફરોના પરિવારો સાથે એર ઇન્ડિયા એકતામાં ઉભી છે. આ અવિશ્વસનીય મુશ્કેલ સમયમાં સંભાળ અને સહાય પૂરી પાડવા માટે અમારી ટીમો તમામ પ્રયાસો કરી રહી છે."

AIR INDIA એ તેની પોસ્ટમાં સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, "અમારા સતત પ્રયાસોના ભાગ રૂપે, એર ઇન્ડિયા (Air India) તાત્કાલિક નાણાકીય જરૂરિયાતોને પહોંચી વળવા માટે મૃતકો અને બચી ગયેલા લોકોના પરિવારોને ₹25 લાખ અથવા આશરે 21,000 GBP ની વચગાળાની ચુકવણી (Interim Payment) કરશે."

મહત્વપૂર્ણ છે કે, આ સહાય ટાટા સન્સ દ્વારા પહેલાથી જ જાહેર કરાયેલ ₹1 કરોડ અથવા આશરે 85,000 GBP સહાય ઉપરાંત છે. AIR INDIA એ વધુમાં જણાવ્યું કે આ અકસ્માત પછી થયેલા નુકસાનથી તેઓ બધા દુઃખી છે.

ટાટા ગ્રુપે આ દુર્ઘટના અંગે અગાઉ જ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, "આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા દરેક વ્યક્તિના પરિવારને ટાટા ગ્રુપ  ₹1 કરોડનું વળતર આપશે. અમે ઘાયલોના તબીબી ખર્ચનો પણ ભોગ લઈશું અને ખાતરી કરીશું કે તેમને જરૂરી તમામ સંભાળ અને સહાય મળે. વધુમાં, અમે બી.જે. મેડિકલ ના હોસ્ટેલના  નિર્માણમાં સહાય પૂરી પાડીશું. આ અકલ્પનીય સમયમાં અમે અસરગ્રસ્ત પરિવારો અને સમુદાયો સાથે ઉભા છીએ."