ગુજરાત : નવા આંકડાકીય વર્ષથી સરકારની પ્રજાને ભેટ, એક્સપ્રેસ અને નેશનલ હાઇવે પર ટોલટેક્સમાં નવા દર લાગુ

નવા નાણાકીય વર્ષથી કેન્દ્ર અને રાજ્ય સરકારે ટોલટેક્સમાં વધારો કરીને રાજ્યની પ્રજાને નવા નાણાકીય વર્ષની ભેટ આપી છે. એક્સપ્રેસ અને નેશનલ હાઇવે પરથી પસાર થતા વાહન ચાલકો પર ટોલ દરમાં વધારો ઝીંકવામાં આવ્યો છે. 

New Update

આજથી ટોલટેક્સમાં વધારાનો અમલ શરૂ, એક્સપ્રેસ અને નેશનલ હાઇવે પર ટોલબુથમાં નવા દર લાગુ

વર્ષ 2025ની શરૂઆતથી જ દેશમાં મહત્વની ગણાતી બાબતોમાં ઉલ્લેખનીય ફેરફાર જોવા મળી રહ્યો છે, જયારે પહેલી એપ્રિલથી નવા નાણાકીય વર્ષની શરૂઆત થતાની સાથે જ લોકોના આર્થિક બજેટ પર અસર જોવા મળી રહી છે.

24 કલાક વાહનોની અવરજવરથી ધમધમતા એક્સપ્રેસ હાઇવે અને નેશનલ હાઇવે પરથી પસાર થવા માટે વાહન ચાલકોએ હવે વધુ ટોલટેક્સ ચૂકવવો પડશે, જે નવા દર આજથી જ લાગુ કરવામાં આવ્યા છે. અમદાવાથી વાપી સુધી સહિત તમામ હાઇવે પર ટોલ ટેક્સમાં વધારો ઝીંકવામાં આવ્યો છે.

જાણવા મળ્યા મુજબ ચાર મહિના પહેલા 70 ટકા જેટલો ટોલટેક્સ વધારો ઝીંકી દેવામાં આવ્યો હતો. લોકોના વિરોધ વચ્ચે થોડો સમય માટે એને સ્થગિત કરાયો હતો પરંતુ ત્યારબાદ ફરી લાગુ કરી દેવામાં આવ્યો હતો.ચાર મહિના બાદ ફરી ટોલટેક્સમાં વધારો કરવામાં આવતા વાહન ચાલકોમાં રોષ જોવા મળ્યો હતો.

ટોલટેક્સનાં વધારા સામે વલસાડ નેશનલ હાઇવે નંબર 48 પરથી પસાર થતાં ટ્રક ચાલકોએ રોષ પૂર્વક જણાવ્યું હતું કે ટ્રક ચાલકો માટે કોઈ પણ પ્રકારની હાઇવે ઓથોરિટી દ્વારા સુવિધાઓ આપવામાં આવતી નથી અને માત્ર ભાવ વધારો કરવામાં આવે છે.

દક્ષિણ ગુજરાતના નવસારી નેશનલ હાઇવે નંબર 48 પર આવેલ બોરિયાચ ટોલબુથ પર ટોલ દરમાં વધારો કરવામાં આવતા વાહન ચાલકોમાં નારાજગી જોવા મળી હતી અને માત્ર સાડા ચાર મહિના બાદ ફરી ટોલટેક્સમાં વધારો કરવામાં આવતા વાહન ચાલકો પર આર્થિક ભારણ વધ્યું છે.

લાઈટ મોટર વ્હીકલના રૂપિયા 115ની જગ્યાએ 120 રૂપિયા ચૂકવવાના રહેશે. કોમર્શિયલ વ્હીકલના રૂપિયા 190ની જગ્યાએ 195 રૂપિયા દર લાગુ કરવામાં આવ્યો છે. જ્યારે બસ અને ટ્રકના રૂપિયા 395ની જગ્યાએ રૂપિયા 410 ચૂકવવાના રહેશે.

આ ઉપરાંત મલ્ટી એક્સલ વાહનોના રૂપિયા 620ની જગ્યાએ રૂપિયા 640 અને મોટા વાહનોના રૂપિયા 755ની જગ્યાએ રૂપિયા 780 ચૂકવવાના રહેશે.

Read the Next Article

કચ્છમાં ઇનલેન્ડ મેન્ગ્રોવ ગુનેરી સાઇટને ગુજરાતની પ્રથમ "બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ" તરીકે જાહેર કરાઈ

વિશ્વના ગણતરીના અને ભારતના એકમાત્ર એવા સ્થળોમાંનું એક જ્યાં દરિયા કિનારાથી લગભગ 45 કિલોમીટરના અંતરે મેન્ગ્રુવના હરિયાળા જંગલો જોવા મળે છે...

New Update
  • ગુજરાતની પ્રથમ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ

  • 32.78 હેક્ટર વિસ્તાર કુદરતી ઇનલેન્ડ મેન્ગ્રોવ સાઇટ

  • ઇનલેન્ડ મેન્ગ્રોવ ગુનેરી હેરિટેજ સાઇટ જાહેર

  • દરિયા કિનારે મેન્ગ્રુવના હરિયાળા જંગલો જોવા મળ્યા

  • પ્રવાસી અને સ્થાનિક પક્ષીઓનું નિવાસસ્થાન પણ બન્યું

Advertisment

કચ્છ જિલ્લાના લખપત વિસ્તારમાં આવેલઇનલેન્ડ મેન્ગ્રોવ ગુનેરી’ સાઇટને ગુજરાતની પ્રથમ "બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ" તરીકે જાહેર કરવામાં આવી છે. વિશ્વના ગણતરીના અને ભારતના એકમાત્ર એવા સ્થળોમાંનું એક જ્યાં દરિયા કિનારાથી લગભગ 45 કિલોમીટરના અંતરે મેન્ગ્રુવના હરિયાળા જંગલો જોવા મળે છે.

કચ્છ જિલ્લાના લખતર તાલુકામાં આવેલા ગુનેરી ગામનો 32.78 હેક્ટર વિસ્તાર કુદરતી ઇનલેન્ડ મેન્ગ્રોવ સાઇટ છે. કચ્છની સૂકી ધરતી પર જ્યાં રણની રેતી પથરાયેલી હોયત્યાં લીલાછમ મેન્ગ્રોવના વૃક્ષોનું આ જંગલ ખરેખર એક અજાયબી છે. આ અનોખી વિશેષતા અને પર્યાવરણીય મહત્વને કારણે આ સાઇટને ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ દ્વારા ગુજરાતની પ્રથમ'બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટતરીકે જાહેર કરવામાં આવી છે.

આ વિસ્તારમાં'એવિસેનીયા મરીનાનામની મેન્ગ્રોવ પ્રજાતિ મોટા પ્રમાણમાં જોવા મળે છે. આ મેન્ગ્રોવ માત્ર વૃક્ષો નથીપરંતુ 20 પ્રવાસી અને 25 સ્થાનિક પક્ષીઓનું નિવાસસ્થાન છે. જેમાં ફ્લેમિંગોહેરિયર જેવા દુર્લભ જળ પક્ષીઓનો સમાવેશ થાય છે. મેન્ગ્રુવ કાર્બન ડાયોક્સાઇડ શોષીને પર્યાવરણને સ્વચ્છ રાખવામાં પણ મદદ કરે છે અને ચક્રવાત-સુનામી જેવી આફતો વખતે કુદરતી દીવાલનું કામ કરે છે.