ગુજરાત સરકારની યુવાઓને ભેટ : હિમાલય શિખર આરોહણ અભિયાનનું કરાયું આયોજન…

ગુજરાત સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા હિમાલય શિખર આરોહણ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે.

New Update
ગુજરાત સરકારની યુવાઓને ભેટ : હિમાલય શિખર આરોહણ અભિયાનનું કરાયું આયોજન…

જો તમે યુવાન છો અને સાહસનો શોખ છે. તો તમારા માટે સુંદર તક આવી ગઈ છે. ગુજરાત સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા હિમાલય શિખર આરોહણ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. હિમાલય શિખર આરોહણ અભિયાન તદ્દન નિશુલ્ક રાખવામાં આવ્યું છે. આગામી તા. 1થી 30 ઓગસ્ટ, 2023 દરમિયાન સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા-માઉન્ટ આબુ દ્વારા હિમાલય શિખર આરોહણ અભિયાન આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાનમાં જોડાવા માટે 18થી 45 વર્ષની વય મર્યાદા ધરાવતા યુવક-યુવતીઓ આગામી તા. 30 જૂન, 2023 સુધી અરજી કરી શકે છે. આ સાથે જ હિમાલય શિખર આરોહણ અભિયાનમાં ભાગ લેનાર તમામ લોકોએ જરૂરી લાયકાત અને શરતોનું પાલન કરવું પડશે તેવું જણાવાયું છે.

Advertisment
Latest Stories