IAS અભિષેક સિંઘને સ્ટેટ્સ રાખવું ભારે પડ્યું, ગુજરાત ઇલેક્શન કમિશને તમામ જવાબદારીમાંથી કર્યા મુક્ત...

ગુજરાતમાં ઉત્તરપ્રદેશ કેડરના એક IAS અધિકારીઓને સોશિયલ મીડિયા પર દંભ કરવાનું ભારે પડી ગયું.

New Update
IAS અભિષેક સિંઘને સ્ટેટ્સ રાખવું ભારે પડ્યું, ગુજરાત ઇલેક્શન કમિશને તમામ જવાબદારીમાંથી કર્યા મુક્ત...

ગુજરાતમાં ઉત્તરપ્રદેશ કેડરના એક IAS અધિકારીઓને સોશિયલ મીડિયા પર દંભ કરવાનું ભારે પડી ગયું. આ આઈએએસ અધિકારીનું નામ અભિષેક સિંઘ છે. જેઓ ગુજરાતમાં બાપુનગર અને અસારવા બેઠક માટે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા ઓબ્ઝર્વર તરીકે નીમવામાં આવ્યા હતા. વાત જાણે એમ છે કે, અભિષેક સિંઘે ગુજરાતમાં આવ્યા બાદ ગુરુવારે એટલે કે, તા. 24 કલાક પહેલા જ તેમણે ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો હતો, અને તેમાં કેપ્શનમાં લખ્યું હતું કે, તેઓ ગુજરાતમાં આવ્યા છે ઇલેક્શનમાં ઓબ્ઝર્વર તરીકે. જોકે, 24 કલાકમાં જ તેમના ફોટામાં આપેલા 'પોઝ'ને પગલે તેમની સામે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ પગલા લીધા છે, અને તેમને ગુજરાતમાંથી તમામ જવાબદારીઓમાં મુક્ત કર્યા છે

Advertisment W3.CSS


આ બેચના અધિકારીએ સામાન્ય નિરીક્ષક તરીકે તેમની પોસ્ટ શેર કરવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કર્યો હતો, અને તેમની સ્થિતિનો ઉપયોગ 'પબ્લિસિટી સ્ટંટ' તરીકે કર્યો હતો. આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લીધી અને ગુજરાત ચૂંટણીના જનરલ ઓબ્ઝર્વર તરીકેની તેમની ફરજોમાંથી તેમને મુક્ત કર્યા છે. અભિષેક સિંહ ગુરુવારે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર 2 ફોટા શેર કર્યા હતા. આ તસવીરોમાં તે કાર સાથે જોવા મળે છે, જેના પર ગુજરાત ચૂંટણી 2022 'ઓબ્ઝર્વર' લખેલું હતું. તે જ સમયે, અન્ય એક ફોટામાં, કેટલાક અધિકારીઓ અને બંદૂકધારી પણ તે જ કારની સામે ઉભા જોવા મળે છે. આ તસવીરોને લગભગ સાડા અગિયાર હજાર લોકોએ લાઈક પણ કરી છે. તા. 22 ફેબ્રુઆરી 1983ના રોજ જન્મેલા IAS ઓફિસર અભિષેક સિંહ યુપીના જૌનપુરના રહેવાસી છે. UPSC 2011 પાસ કરી IAS બન્યા. IAS ઓફિસર હોવા ઉપરાંત અભિષેક એક્ટર પણ છે. અભિષેકસિંહ ઘણી વેબ સિરીઝ અને ટીવી સિરિયલોમાં પણ જોવા મળ્યો છે. તેમની પત્ની દુર્ગા શક્તિ નાગપાલ પણ IAS ઓફિસર છે. અભિષેકસિંહને ઈન્સ્ટાગ્રામ પર 30 લાખ લોકો ફોલો કરે છે. તે જ સમયે, ટ્વિટર પર પણ 31 હજારથી વધુ ફોલોઅર્સ છે.

Read the Next Article

ભરૂચ: વાલિયા તાલુકામાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી, વૃક્ષારોપાણ-ખાસ ગ્રામસભાનું આયોજન

ભરૂચના વાલિયા તાલુકા પુસ્તકાલય સહિત વિવિધ સ્થળે વૃક્ષારોપણ તેમજ ખાસ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
aa

ભરૂચના વાલિયા તાલુકા પુસ્તકાલય સહિત વિવિધ સ્થળે વૃક્ષારોપણ તેમજ ખાસ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisment W3.CSS
આજે વિશ્વ પર્યાવરણ દિવસના રોજ વાલિયા તાલુકાના પુસ્તકાલય ખાતે તાલુકા વિકાસ અધિકારી વૈશાલી રાવ,મામલતદાર શ્રદ્ધાબેન નાઈક,તાલુકા પંચાયત પ્રમુખ સીતાબેન વસાવા,પૂર્વ પ્રમુખ સેવંતુ વસાવા,વાલિયા ગામના સરપંચ સોમીબેન વસાવા,ડેપ્યુટી સરપંચ પૃથ્વીરાજસિંહ ગોહિલ,પૂર્વ સરપંચ મહેશ વસાવા,વન વિભાગના અધિકારી સહિત આમંત્રિતોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.જે બાદ વાલિયા ગ્રામ પંચાયત ખાતે ખાસ ગ્રામસભા મળી હતી.
તો વાલિયા તાલુકાના ચમારીયા ગામ ખાતે એક પેડ માં કે નામ અંતર્ગત વિશ્વ પર્યાવરણ વૃક્ષારોપણનો કાર્યક્રમ બાદ ખાસ ગ્રામ સભા મળી હતી.જેમાં વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.અને પ્લાસ્ટિક મુક્તિ અંગે શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા.સાથે સરકાર દ્વારા પ્લાસ્ટિકના ઉત્પાદનને પ્રોત્સાહ આપવામાં આવે છે અને બીજી તરફ પ્લાસ્ટિક મુક્તિ અંગે પૂર્વ પંચાયત પ્રમુખ અને તાલુકા પંચાયતના સભ્ય રાજુભાઈ વસાવાએ સવાલો ઉઠાવ્યા હતાં
Latest Stories