દાદરાનગર હવેલીના સેલવાસમાં દિવ્યાંગ ભત્રીજાના નામે કાકાએ રૂ. 89 લાખનું બેંક કૌભાંડ આચર્યું..!

બેંકિંગ કૌભાંડનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 77% દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિના નામે ખાનગી બેંકમાં નકલી ખાતું ખોલી 89 લાખ રૂપિયાની હેરાફેરી કરવામાં આવી

New Update
  • સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસની ઘટના

  • કાકાએ ખાનગી બેંકમાં ખાતું ખોલાવી કૌભાંડ આચર્યું

  • દિવ્યાંગ ભત્રીજાના નામે રૂપિયા 89 લાખનું બેંક કૌભાંડ

  • સેલવાસ પોલીસ દ્વારા 2 ભેજાબાજોની ધરપકડ કરાય

  • ભત્રીજાની જાણ બહાર કાકાએ કૌભાંડ આચર્યું : પોલીસ

સંઘ પ્રદેશ દાદરા અને નગર-હવેલીના સેલવાસમાં દિવ્યાંગના નામે થયેલા બેંકિંગ કૌભાંડનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 77% દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિના નામે ખાનગી બેંકમાં નકલી ખાતું ખોલી 89 લાખ રૂપિયાની હેરાફેરી કરવામાં આવી હતી. આ મામલે સેલવાસ પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સંઘ પ્રદેશ દાદરા અને નગર-હવેલીના સેલવાસમાં બેંક ફ્રોડ કેસમાં એક કાકાએ પોતાના દિવ્યાંગ ભત્રીજાની જાણ બહાર ખાનગી બેંકમાં ખાતું ખોલી 89 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી છે. સેલવાસ પોલીસે મુખ્ય આરોપી શત્રુંજય પાંડે અને બેંકના પૂર્વ કર્મચારી રાકેશ સિંહની ધરપકડ કરી છે.

આ કૌભાંડમાં શત્રુંજ્ય પાંડેએ જુલાઈ 2022થી જુલાઈ 2023 દરમિયાન પોતાના દિવ્યાંગ ભત્રીજાના નામે બેંક ખાતું ખોલાવ્યું હતુંજેમાં તેણે પોતાનો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી જોડ્યા હતા. આરોપીએ આ ખાતામાંથી ક્રેડિટ કાર્ડ મેળવીQR કોડ મારફતે રકમ ટ્રાન્સફર કરી લીધી હતી.

પોલીસ તપાસમાં આરોપીના ઘરેથી 124 QR કોડ સ્કેનર60 ATM અને ક્રેડિટ કાર્ડ21 બેંક ચેકબુક8 પાસબુકવિવિધ રબર સ્ટેમ્પસરકારી દસ્તાવેજોના રફ ડ્રાફ્ટ14 મતદારID કાર્ડ12 સિમ કાર્ડ2 મોબાઈલ ફોન અને અનેક ખાનગી લેટરહેડ મળી આવ્યા છે. આ કેસમાં બેંકના પૂર્વ કર્મચારી રાકેશ સિંહની ભૂમિકા પણ શંકાસ્પદ છે. જેણે મુખ્ય આરોપીને મદદ કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Read the Next Article

ગુજરાતમાં ત્રણ વરસાદી સિસ્ટમ થઈ સક્રિય, સુરેન્દ્રનગર,પાટણ, અને બનાસકાંઠા જિલ્લાઓ માટે રેડ એલર્ટ કર્યું જાહેર

ગુજરાતમાં સક્રિય થયેલી ત્રણ વરસાદી સિસ્ટમના કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘમહેર જોવા મળી રહી છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાઈ ગયું છે.

New Update
મધ્યમ વરસાદ

ગુજરાતમાં સક્રિય થયેલી ત્રણ વરસાદી સિસ્ટમના કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘમહેર જોવા મળી રહી છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાઈ ગયું છે.

હવામાન વિભાગે સુરેન્દ્રનગર, પાટણ, અને બનાસકાંઠા જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત, સાબરકાંઠા, અરવલ્લી, અને મહીસાગરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, જેમાં ખાસ કરીને માલપુર અને મોડાસામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. મોડાસામાં રાત્રી દરમિયાન 6 ઇંચ વરસાદ નોંધાતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ઝમઝમ, આઝાદ ચોક, આઈજી પાર્ક અને અતાનગર જેવા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી જતાં રહીશોની ઘરવખરી પલળી ગઈ હતી. હાલ વરસાદે વિરામ લીધો છે, પરંતુ પાણી ઓસરવામાં સમય લાગી રહ્યો છે.

અમદાવાદમાં મોડી રાતથી શરૂ થયેલા વરસાદના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. એસ.જી. હાઈવેના સર્વિસ રોડ અને ઝાયડ્સથી થલતેજ તરફ જવાનો રોડ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. 30 મિનિટથી વધુ સમયથી વરસાદનો વિરામ હોવા છતાં પાણી ઓસર્યા નથી, જે અમદાવાદ મનપા અને નેશનલ ઓથોરિટીની પ્રિ-મોન્સૂન કામગીરી પર ગંભીર સવાલો ઉભા કરે છે. સીઝનનો કુલ 21 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે અને હાલ પણ શહેરમાં વરસાદી માહોલ યથાવત છે. અનેક વાહનોમાં પાણી ઘૂસી જતાં બંધ પડી ગયા હતા, જેના કારણે વાહનચાલકો પરેશાન થયા હતા.