અહી, રાવણ લોકોને મારે છે વાંસનો ધોકો..! : સુરેન્દ્રનગરના ભૃગૃપુરમાં નોમ-દશેરાએ રાવણનો ખેલ કાઢવાનો અનેરો મહિમા...

ભૃગુપુર ગામે રાવણનો વેશ ધારણ કરેલ વ્યક્તિના બન્ને હાથમાં વાંસના ધોકા આપવામાં આવે છે. જે લોકો બિમારીથી પીડાતા હોય તે રાવણ પાસે જાય છે. રાવણ તે વ્યક્તિને વાંસનો ધોકો ફટકારે છે.

New Update

ભૃગૃપુર ગામમાં નોમ અને દશેરા પર્વનો અનેરો મહિમા

Advertisment

વર્ષો પહેલા પ્લેગથી અનેક લોકોએ ગુમાવ્યા હતા જીવ

પ્લેગ રોગ સામે સંરક્ષણ મળે તે માટે ભક્તે કરી પ્રાર્થના

નોમ-દશેરાના દિવસે કાઢવામાં આવતો રાવણનો ખેલ

રાવણ જેને ધોકો મારે તેની તમામ બિમારી થાય છે દૂર

સુરેન્દ્રનગર જિલ્લાના ભૃગૃપુર ગામમાં વર્ષોથી ચાલી આવેલી પરંપરા આજે પણ યથાવત જોવા મળી છેજ્યાં નોમ અને દશેરા પર્વ નિમિત્તે રાવણનો ખેલ કાઢવામાં આવે છે. જેને જોવા દૂર દૂરથી લોકો ઉમટી પડ્યા હતા.

વર્ષ 1952માં સુરેન્દ્રનગર જિલ્લાના ભૃગુપુર ગામ ખાતે પ્લેગ નામની ભયંકર બિમારી ઘર કરી ગઈ હતી. જેના કારણે અનેક લોકોના મોત થયા હતાત્યારે ક્ષત્રિય યુવાને અંબે માતા પાસે પ્લેગનો રોગ ગામમાંથી જતો રહેતો દર વર્ષે નવરાત્રિમાં 2 દિવસ ભવાઈ કરી નોમના દિવસે રાવણવધ કરશે તેવી પ્રતિજ્ઞા લીધી હતી. અંબે માતાની કૃપાથી ગામમાં એકપણ મોત થયું નહોતું. ત્યારથી અત્યાર સુધી 2 દિવસ ભવાઈ અને નવમાં નોરતે રાવણ વધની પરંપરા અકબંધ રહી છે.

Advertisment

ભૃગુપુર ગામે રાવણનો વેશ ધારણ કરેલ વ્યક્તિના બન્ને હાથમાં વાંસના ધોકા આપવામાં આવે છે. જે લોકો બિમારીથી પીડાતા હોય તે રાવણ પાસે જાય છે. રાવણ તે વ્યક્તિને વાંસનો ધોકો ફટકારે છે. ગ્રામજનોની માન્યતા મુજબ રાવણ જેને ધોકો મારે છેતેની બિમારી દૂર થઈ જાય છે.

જે લોકોને આખું વર્ષ સાજા નરવા રહેવું હોય તે પણ રાવણના હાથે ધોકાનો સ્વાદ ચાખે છેત્યારે સુરેન્દ્રનગરના ભૃગૃપુર ગામમાં અનોખી પરંપરા આજે પણ યથાવત છે. જેને જોવા માટે અનેક લોકો દૂર દૂરથી ઉમટી પડ્યા હતા.

Advertisment
Read the Next Article

ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને તાપીમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની હવામાન વિભાગે કરી આગાહી

હવામાન વિભાગે આગામી ત્રણ કલાક વરસાદને લઈ આગાહી કરી છે.  હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને તાપીમાં ગાજવીજ

New Update
વરસાદ

હવામાન વિભાગે આગામી ત્રણ કલાક વરસાદને લઈ આગાહી કરી છે.  હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને તાપીમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સમય દરમિયાન પવનની ગતિ 41થી 61 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે.

Advertisment

હવામાન વિભાગની આગાહી મુજબ સુરત, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, બનાસકાંઠામાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.  

રાજ્યમાં સવારે 6થી 10 વાગ્યા સુધીમાં 34 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સવારે 6થી 10 વાગ્યા સુધીમાં ભરૂચના હાંસોટમાં અઢી ઈંચ વરસાદ વરસ્યો છે.   ભાવનગરના મહુવામાં સવા બે ઈંચ, ભરૂચના નેત્રંગમાં બે ઈંચ,ભરૂચમાં બે ઈંચ વરસાદ,સુરતના માંગરોળમાં પોણા બે ઈંચ વરસાદ વરસ્યો છે.

કામરેજમાં એક ઈંચ,  ધોલેરામાં એક ઈંચ,  ઝઘડિયામાં પોણો ઈંચ, નાંદોદમાં પોણો ઈંચ, તળાજામાં પોણો ઈંચ, વાગરામાં પોણો ઈંચ, તિલકવાડામાં અડધો ઈંચ, ધારીમાં અડધો ઈંચ વરસાદ વરસ્યો છે.  શિનોરમાં અડધો ઈંચ વરસાદ ખાબક્યો તો તાલાલામાં અડધો ઈંચ વરસાદ વરસી ગયો.

Advertisment