અહી, રાવણ લોકોને મારે છે વાંસનો ધોકો..! : સુરેન્દ્રનગરના ભૃગૃપુરમાં નોમ-દશેરાએ રાવણનો ખેલ કાઢવાનો અનેરો મહિમા...

ભૃગુપુર ગામે રાવણનો વેશ ધારણ કરેલ વ્યક્તિના બન્ને હાથમાં વાંસના ધોકા આપવામાં આવે છે. જે લોકો બિમારીથી પીડાતા હોય તે રાવણ પાસે જાય છે. રાવણ તે વ્યક્તિને વાંસનો ધોકો ફટકારે છે.

New Update

ભૃગૃપુર ગામમાં નોમ અને દશેરા પર્વનો અનેરો મહિમા

વર્ષો પહેલા પ્લેગથી અનેક લોકોએ ગુમાવ્યા હતા જીવ

પ્લેગ રોગ સામે સંરક્ષણ મળે તે માટે ભક્તે કરી પ્રાર્થના

નોમ-દશેરાના દિવસે કાઢવામાં આવતો રાવણનો ખેલ

રાવણ જેને ધોકો મારે તેની તમામ બિમારી થાય છે દૂર

સુરેન્દ્રનગર જિલ્લાના ભૃગૃપુર ગામમાં વર્ષોથી ચાલી આવેલી પરંપરા આજે પણ યથાવત જોવા મળી છેજ્યાં નોમ અને દશેરા પર્વ નિમિત્તે રાવણનો ખેલ કાઢવામાં આવે છે. જેને જોવા દૂર દૂરથી લોકો ઉમટી પડ્યા હતા.

વર્ષ 1952માં સુરેન્દ્રનગર જિલ્લાના ભૃગુપુર ગામ ખાતે પ્લેગ નામની ભયંકર બિમારી ઘર કરી ગઈ હતી. જેના કારણે અનેક લોકોના મોત થયા હતાત્યારે ક્ષત્રિય યુવાને અંબે માતા પાસે પ્લેગનો રોગ ગામમાંથી જતો રહેતો દર વર્ષે નવરાત્રિમાં 2 દિવસ ભવાઈ કરી નોમના દિવસે રાવણવધ કરશે તેવી પ્રતિજ્ઞા લીધી હતી. અંબે માતાની કૃપાથી ગામમાં એકપણ મોત થયું નહોતું. ત્યારથી અત્યાર સુધી 2 દિવસ ભવાઈ અને નવમાં નોરતે રાવણ વધની પરંપરા અકબંધ રહી છે.

ભૃગુપુર ગામે રાવણનો વેશ ધારણ કરેલ વ્યક્તિના બન્ને હાથમાં વાંસના ધોકા આપવામાં આવે છે. જે લોકો બિમારીથી પીડાતા હોય તે રાવણ પાસે જાય છે. રાવણ તે વ્યક્તિને વાંસનો ધોકો ફટકારે છે. ગ્રામજનોની માન્યતા મુજબ રાવણ જેને ધોકો મારે છેતેની બિમારી દૂર થઈ જાય છે.

જે લોકોને આખું વર્ષ સાજા નરવા રહેવું હોય તે પણ રાવણના હાથે ધોકાનો સ્વાદ ચાખે છેત્યારે સુરેન્દ્રનગરના ભૃગૃપુર ગામમાં અનોખી પરંપરા આજે પણ યથાવત છે. જેને જોવા માટે અનેક લોકો દૂર દૂરથી ઉમટી પડ્યા હતા.

Read the Next Article

અમદાવાદ દુર્ઘટનામાં ભરૂચના 3 મુસાફરો પ્લેનમાં સવાર હતા, કલેકટર ગૌરાંગ મકવાણાએ કરી પુષ્ટી

અમદાવાદમાં થયેલી પ્લેન ક્રેશની દુર્ઘટનામાં ભરૂચના ત્રણ મુસાફરો પણ પ્લેનમાં સવાર હોવાની માહિતી બહાર આવી રહી છે.વહીવટી તંત્ર દ્વારા આ મુસાફરોના પરિવારજનોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે

New Update
  • અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટના

  • લંડન જઈ રહ્યું હતું વિમાન

  • ભરૂચના 3 મુસાફરો પણ હતા સવાર

  • વહીવટી તંત્રએ કરી પુષ્ટી

  • જંબુસર- ભરૂચના 3 લોકોનો સમાવેશ

અમદાવાદમાં થયેલી પ્લેન ક્રેશની દુર્ઘટનામાં ભરૂચના ત્રણ મુસાફરો પણ પ્લેનમાં સવાર હોવાની માહિતી બહાર આવી રહી છે.વહીવટી તંત્ર દ્વારા આ મુસાફરોના પરિવારજનોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે
અમદાવાદથી લંડન ગેટવિક જતી ફ્લાઇટ AI171 આજે ટેકઓફ પછી અકસ્માતનો ભોગ બની હતી.અમદાવાદથી બપોરે 1. 38 વાગ્યે ઉપડેલી આ ફ્લાઇટમાં 242 મુસાફરો અને ક્રૂ સભ્યો હતા. આમાંથી 169 ભારતીય નાગરિકો, 53 બ્રિટિશ નાગરિકો, 1 કેનેડિયન નાગરિક અને 7 પોર્ટુગીઝ નાગરિકો હતા.ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજે આ દુર્ઘટનાગ્રસ્ત પ્લેનમાં જિલ્લાના 5 લોકો હોવાની પુષ્ટિ આપી હતી. આ તરફ ભરૂચ કલેકટર ગૌરાંગ મકવાણાએ ટેલિફોનિક વાતચીતમાં ભરૂચના 3 મુસાફરો હોવાની અને બે મુસાફરો સાંસરોદના હોવાની પુષ્ટિ કરી છે. ભરૂચનું તંત્ર આ મુસાફરોના પરિવારોનો સંપર્ક કરી રહ્યું છે.
ભરૂચ જિલ્લાના 5 મુસાફરોના બહાર આવેલા નામોમાં જંબુસરના પટેલ સાહિલ , ભરૂચના પટેલ અલ્તાફ હુસેન, સાંસરોદના તાજુ હુસેના , તાજુ આદમ અને ભરૂચના સાજેદા મીસ્તર કાવીવાલાનો સમાવેશ થાય છે.પ્લેનમાં સવાર પૈકી પટેલ અલ્તાફહુસેન તેમના સાસુ તાજુ હુસેના અને સસરા તાજુ આદમ સાથે લંડન જઈ રહ્યા હતા. યુકે સ્થાયી થયેલ પરિવારના ત્રણ લોકો ઈદ મનાવી પરત જઈ રહ્યા હતા તે દરમ્યાન આ દુર્ઘટના સર્જાય હતી.