Connect Gujarat
ગુજરાત

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 392 કેસ નોંધાયા, એક દર્દીનું થયું મોત

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 392 કેસ નોંધાયા, એક દર્દીનું થયું મોત
X

ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી કોરોના વાયરસના કેસ 300ની આસપાસ સામે આવી રહ્યા છે. આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 392 કેસ સામે આવ્યા છે. આમ હવે 400ની આસપાસ કેસ પહોંચી જતા તંત્ર એલર્ટ બન્યું છે.

જો કે, ચોંકાવનારી વાત એ પણ છે કેસ આજે ગીર સોમનાથમાં 1 મોત પણ થયું છે. જો કેસની વાત કરીએ તો, અમદાવાદ શહેરમાં 142 કેસ નોંધાયા છે. મહેસાણામાં 35 કેસ, વડોદરા 30 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 28 કેસ, સુરત શહેરમાં 27 કેસ નોંધાયા છે.

રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.97 ટકા નોંધાયો છે. તેમજ આજે 258 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. હાલ રાજ્યમાં 2220 કોરોનાના એક્ટિવ કેસ છે. તેમજ 03 દર્દીઓ વેન્ટીલેટર પર છે.

Next Story