ગુજરાતની આંગણવાડી અને તેડાગર બહેનોના વેતનમાં વધારો

વાઘાણીએ ઉમેર્યું હતું કે, દેશમાં કદાચ આ પહેલો નિર્ણય છે. જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, આંગણવાડી અને તેડાગર બહેનોના માનદ વેતનમાં વધારો કર્યો છે.

New Update
ગુજરાતની આંગણવાડી અને તેડાગર બહેનોના વેતનમાં વધારો

ચૂંટણીના વર્ષમાં ગુજરાત સરકારે મોટા ભાગની સરકારી કર્મચારીઓની માંગણી સંતોષી છે. જેમાં સાતમાં પગાર પંચના બાકી ભથ્થા, જૂની પેન્શન યોજના અને કુટુંબ પેન્શન યોજના જેવી સહિતની અનેક માંગણી સંતોષી હતી. ત્યારબાદ સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આંગણવાડી બહેનો માટે આજે અલગ અલગ મંડળ સાથે બેઠક યોજી હતી.બેઠક બાદ જીતુ વાઘાણીએ આંગણવાડી અને તેડાગર બહેનો અંગે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, આ બહેનો નાના બાળકોના સારા જીવન માટે કામ કરે છે. રાજ્યમાં 1800 મીની આંગણવાડી જે અંતરીયાળ વિસ્તારમાં આવેલી છે. રાજ્ય સરકાર આ મીની આંગણવાડી ને અપગ્રેડ કરવાનો નિર્ણય કર્યો છે.

Advertisment W3.CSS

વાઘાણીએ ઉમેર્યું હતું કે, દેશમાં કદાચ આ પહેલો નિર્ણય છે. જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, આંગણવાડી અને તેડાગર બહેનોના માનદ વેતનમાં વધારો કર્યો છે. હાલના વેતનમાં 2200 રૂ વધારે 10000 કર્યો છે. જ્યારે તેડાગર બહેનોના વેતનમાં 1500 રૂ નો વધારો કર્યો છે. જેનાં કારણે 200 કરોડથી વધુનો બોજો રાજ્ય સરકાર પર પડશે.ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કુલ હાલ 51229 આંગણવાડી કાર્યકર છે. જેને સરકાર કુલ 7800 પગાર ચૂકવે છે. જો કે સરકારે હવે તેમાં 2200 રૂપિયાનો વધારો કર્યો છે. જેના કારણે આંગણવાડી કાર્યકર ને હવે 10 હજાર રૂપિયાનું માનદ વેતન ચૂકવવામાં આવશે. જો કે સરકાર પર આના કારણે કુલ 135.24 કરોડ રૂપિયાનું વધારાનું ભારણ પડશે.આંગણવાડી તેડાગર ના પગાર માં વધારો કરવામાં આવ્યો છે. રાજ્યમાં કુલ 51229 તેડાગર કાર્યકર છે. જેને માનદવેતન તરીકે 3950 ચુકવવામાં આવે છે. જો કે સરકારે તેમના પગારમાં 1550 રૂપિયાનો વધારો કર્યો તેના કારણે હવે તેને 5500 રૂપિયા માનવ વેતન ચૂકવવામાં આવશે. આના કારણે ગુજરાત સરકાર પર કુલ 95.28 કરોડ રૂપિયાનું ભારણ વધશે.

Read the Next Article

નમસ્કાર બધાને મારા છેલ્લા રામ રામ સ્યુસાઇડ નોટ લખી પરિવારે કરી લીધો સામૂહિક આપઘાત

શંખેશ્વરના પરિવારે નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું છે અને પંચાલ પરિવારની કારમાંથી સ્યુસાઈડ નોટ મળી આવી છે, પોલીસે કાર, સ્યુસાઈડ નોટ, મોબાઈલ કબજે કર્યો

author-image
By Connect Gujarat Desk
New Update
kadi mass suicide

મહેસાણાના કડીમાં વ્યાજખોરના ત્રાસથી પરિવારે સામૂહિક આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે, જેમાં નર્મદા કેનાલમાં કૂદીને પતિ,પત્ની અને બાળકે આપઘાત કર્યો છે, વ્યાજખોરો સામે સ્યુસાઈડ નોટ લખીને આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે, પોલીસને કારમાંથી સ્યુસાઈડ નોટ મળી આવી છે.

પતિ-પત્ની અને બાળકે સામૂહિક આપઘાત કરતા જિલ્લામાં ખળભળાટ મચી છે, શંખેશ્વરના પરિવારે નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું છે અને પંચાલ પરિવારની કારમાંથી સ્યુસાઈડ નોટ મળી આવી છે, પોલીસે કાર, સ્યુસાઈડ નોટ, મોબાઈલ કબજે કર્યો છે અને વ્યાજખારોના ત્રાસથી આપઘાત કર્યાનો સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો છે, સમગ્ર મામલે કડી પોલીસે કાર્યવાહી હાથધરી છે.

કડીના આદુંદરા કેનાલમાંથી પત્ની ઉર્મિલાબેન પંચાલ ઉંમર 36 વર્ષ અને બાળક પ્રકાશ પંચાલ ઉંમર 10 વર્ષ, પતિ ધર્મેશભાઈ પંચાલ ઉંમર 38 વર્ષનો મૃતદેહ મળ્યો છે. જે સ્યુસાઈડ નોટ મળી છે તેમાં કોઈ વ્યાજખોરના નામનો ઉલ્લેખ કર્યો નથી, ત્યારે પોલીસે મોબાઈલ ફોનના આધારે સમગ્ર ઘટનામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ધર્મેશ પંચાલે લખેલી સુસાઈડ નોટ:-

નમસ્કાર બધાને મારા છેલ્લા રામ રામ. મારે પણ જીવન જીવવાની ઘણી ઈચ્છા હતી પણ, થોડાક માણસોએ મારી જિંદગી બરબાદ કરી નાખી છે. એ લોકોએ મારો ફાયદો ઉઠાવ્યો અને વ્યાજના રૂપિયા પણ લીધા છે, મને બહુ જ હેરાન અને ટોર્ચરિંગ કરતા હતા. મારી જોડે મરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. મને એવો ચકડોળમાં ફસાવ્યો કે બહાર નીકળવાનો કોઈ રસ્તો મળ્યો ન હતો.

હું મરવા જાઉં છું અને જ્યારે આ પત્ર તમને મળશે ત્યારે, કદાચ હું આ દુનિયા છોડી ચૂક્યો હોઈશ. સરકારને વિનંતી કરું છું કે, આ લોકો મારી પત્ની અને મારા છોકરાને જીવવા દે. બધા ભેગા થઈને મને બહુ જ માનસિક ત્રાસ આપતા હતા. હું થાકી ગયો છું.

 

કદાચ મારું એક્સિડન્ટ થાય તો એ લોકો જ જવાબદાર રહેશે. મને કોઈ જ રસ્તો દેખાતો નથી એટલે મારી જિંદગી ખલાસ કરી નાખીશ પછી એ બધાને શાંતિ થશે. સરકારને અપીલ કરું છું કે, મારી સાથે જે થયું એ બીજા સાથે ન થાય.

ઉર્મિલાને જણાવવા માગું છું કે, અત્યારસુધી તે મને બહુ જ સારો સપોર્ટ કર્યો. હું તારો સાથ નિભાવી ન શક્યો. તારા પર આપણા છોકરાની જવાબદારી મુકતો જાઉં છું. જો તું એને ન રાખી શકે તો એને અનાથ આશ્રમમાં મૂકી આવજે. ઉર્મિલા તું તારી જિંદગી બરબાદ ના કરતી. આપણા છોકરા ને શીખવાડજે કે, કોઈના પર વિશ્વાસ કરવો નહીં.

મારા ગયા પછી તને બધા લોકો હેરાન કરવા આવે તો પોલીસ સ્ટેશન ખાતે પહોંચી બધાના નામ આપી દેજે. હું તને અડધે રસ્તે મૂકીને જાઉં છું, મને માફ કરજે. તારી જિંદગીમાં આગળ વધજે હજુ તારી એટલી ઉંમર નથી થઈ. જો તને કોઈ સારું ઘર મળે તો ઘર કરી લેજે અને પ્રકાશને આશ્રમમાં મૂકી દેજે. મહિનામાં એક-બે વખત મળવા માટે જજે.

તમને એકલો મૂકીને જવાનો જીવ તો નથી ચાલતો, પરંતુ મારી મજબૂરી છે, મારા કારણે હું શું કામ તમારો જીવ લઉં, મને આ લખતા બહુ જ ખોટું લાગે છે, તમને અડધે મુકીને જાઉં છું મને માફ કરજો..

લિ. ધર્મેશ પંચાલ

Latest Stories