Connect Gujarat
ગુજરાત

ગુજરાતની આંગણવાડી અને તેડાગર બહેનોના વેતનમાં વધારો

વાઘાણીએ ઉમેર્યું હતું કે, દેશમાં કદાચ આ પહેલો નિર્ણય છે. જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, આંગણવાડી અને તેડાગર બહેનોના માનદ વેતનમાં વધારો કર્યો છે.

ગુજરાતની આંગણવાડી અને તેડાગર બહેનોના વેતનમાં વધારો
X

ચૂંટણીના વર્ષમાં ગુજરાત સરકારે મોટા ભાગની સરકારી કર્મચારીઓની માંગણી સંતોષી છે. જેમાં સાતમાં પગાર પંચના બાકી ભથ્થા, જૂની પેન્શન યોજના અને કુટુંબ પેન્શન યોજના જેવી સહિતની અનેક માંગણી સંતોષી હતી. ત્યારબાદ સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આંગણવાડી બહેનો માટે આજે અલગ અલગ મંડળ સાથે બેઠક યોજી હતી.બેઠક બાદ જીતુ વાઘાણીએ આંગણવાડી અને તેડાગર બહેનો અંગે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, આ બહેનો નાના બાળકોના સારા જીવન માટે કામ કરે છે. રાજ્યમાં 1800 મીની આંગણવાડી જે અંતરીયાળ વિસ્તારમાં આવેલી છે. રાજ્ય સરકાર આ મીની આંગણવાડી ને અપગ્રેડ કરવાનો નિર્ણય કર્યો છે.

વાઘાણીએ ઉમેર્યું હતું કે, દેશમાં કદાચ આ પહેલો નિર્ણય છે. જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, આંગણવાડી અને તેડાગર બહેનોના માનદ વેતનમાં વધારો કર્યો છે. હાલના વેતનમાં 2200 રૂ વધારે 10000 કર્યો છે. જ્યારે તેડાગર બહેનોના વેતનમાં 1500 રૂ નો વધારો કર્યો છે. જેનાં કારણે 200 કરોડથી વધુનો બોજો રાજ્ય સરકાર પર પડશે.ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કુલ હાલ 51229 આંગણવાડી કાર્યકર છે. જેને સરકાર કુલ 7800 પગાર ચૂકવે છે. જો કે સરકારે હવે તેમાં 2200 રૂપિયાનો વધારો કર્યો છે. જેના કારણે આંગણવાડી કાર્યકર ને હવે 10 હજાર રૂપિયાનું માનદ વેતન ચૂકવવામાં આવશે. જો કે સરકાર પર આના કારણે કુલ 135.24 કરોડ રૂપિયાનું વધારાનું ભારણ પડશે.આંગણવાડી તેડાગર ના પગાર માં વધારો કરવામાં આવ્યો છે. રાજ્યમાં કુલ 51229 તેડાગર કાર્યકર છે. જેને માનદવેતન તરીકે 3950 ચુકવવામાં આવે છે. જો કે સરકારે તેમના પગારમાં 1550 રૂપિયાનો વધારો કર્યો તેના કારણે હવે તેને 5500 રૂપિયા માનવ વેતન ચૂકવવામાં આવશે. આના કારણે ગુજરાત સરકાર પર કુલ 95.28 કરોડ રૂપિયાનું ભારણ વધશે.

Next Story