જામનગર : ઈઝ ઓફ લિવિંગ ઇન્ડેકસ-2022 ઓનલાઈન સર્વેમાં ભાગ લેવા શહેરીજનોને JMCની અપીલ...

કેન્દ્ર સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા દેશભરમાં જામનગર સહિત 266 શહેરોમાં ઈઝ ઓફ લિવિંગ ઇન્ડેકસ-2022 અંતર્ગત ઓનલાઈન સર્વે ચાલી રહ્યો છે,

New Update
જામનગર : ઈઝ ઓફ લિવિંગ ઇન્ડેકસ-2022 ઓનલાઈન સર્વેમાં ભાગ લેવા શહેરીજનોને JMCની અપીલ...

દેશભરમાં ઈઝ ઓફ લિવિંગ ઇન્ડેકસ-2022 અંતર્ગત ઓનલાઈન સર્વેની શરૂઆત કરવામાં આવી છે, ત્યારે જામનગરને નંબર વન બનાવવા માટે સર્વેમાં ભાગ લેવા જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને અપીલ કરવામાં આવી છે.

કેન્દ્ર સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા દેશભરમાં જામનગર સહિત 266 શહેરોમાં ઈઝ ઓફ લિવિંગ ઇન્ડેકસ-2022 અંતર્ગત ઓનલાઈન સર્વે ચાલી રહ્યો છે, જેમાં નગરજનોએ ઓનલાઈન ફિડબેક આપવાનું હોય છે, ત્યારે જામનગરમાં અત્યારસુધીમાં અંદાજે 5 હજાર 200 જેટલા નગરજનોએ ફિડબેક આપ્યું છે, તેમજ વધુ લોકો જોડાય જેથી સર્વેના માધ્યમથી જામનગરને નંબર વન બનાવવા મહાનગરપાલિકાના મેયર બિના કોઠારી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મનીષ કટારીયા, ડેપ્યુટી મેયર તપન પરમાર, દંડક કુસુમ પંડ્યા, કમિશનર વિજયકુમાર ખરાડી, ડીએમસી ભાવેશ જાની સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓએ નગરજનોને અનુરોધ કર્યો હતો.

મેયર બિના કોઠારી જણાવ્યુ હતું કે, જામનગર શહેરનો ડેટાબેઝ સરકારમાં મોકલી આપ્યો છે. હવે શહેરીજનો પણ પોતાના મંતવ્યો વધુમાં વધુ પ્રમાણમાં ઓનલાઈન ફિડબેક દ્વારા મોકલી આપે, જેથી જામનગર શહેરનો સ્માર્ટ સિટી યોજનામાં સમાવેશ થાય. જામનગર શહેરને વિકાસ માટે રૂપિયા 1 હજાર કરોડની ગ્રાન્ટ સરકારમાંથી મળી શકે તે માટે JMC દ્વારા શહેરીજનોને આ સર્વેમાં જોડાવા ખાસ અપીલ કરવામાં આવી છે.

Read the Next Article

અંકલેશ્વર: તંત્રએ કર્યું બુદ્ધિનું પ્રદર્શન, પીલુદ્રા ગામે વરસતા વરસાદ વચ્ચે કરી RCC રોડની કામગીરી

અંકલેશ્વરના ગ્રામ્ય વિસ્તારમાં તંત્રએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે.અંકલેશ્વર તાલુકાના પીલુદરા ગામ ખાતે છેલ્લા કેટલાક સમયથી આરસીસી

New Update
Screenshot_2025-07-30-07-26-48-21_92460851df6f172a4592fca41cc2d2e6

અંકલેશ્વર તાલુકાના પીલુદરા ગામમાં ચાલુ વરસાદે આરસીસી રોડનું કામ ચાલુ હોવાનો વિડીયો વાયરલ થયો છે.

અંકલેશ્વરના ગ્રામ્ય વિસ્તારમાં તંત્રએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે.અંકલેશ્વર તાલુકાના પીલુદરા ગામ ખાતે છેલ્લા કેટલાક સમયથી આરસીસી રોડની કામગીરી ચાલી રહી છે ત્યારે ગતરોજ વરસતા વરસાદ વચ્ચે પણ આ રોડની કામગીરી ચાલુ જ રાખવામાં આવી હતી જેના પગલે કામની ગુણવત્તા સામે અનેક સવાલો ઉભાગ થયા છે. વરસતા વરસાદ વચ્ચે આરસીસી રોડનું કામ ચાલુ હોય તેવા વિડિયો પણ વાયરલ થયા છે. વરસતા વરસાદ વચ્ચે આ કામગીરી કરાતા તેની ગુણવત્તા સામે પણ સવાલ ઊભા થયા છે.પાણી વચ્ચે કરાયેલી કામગીરી કેટલા સમય ટકશે તે પ્રશ્ન ઉઠી રહ્યા છે ત્યારે માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ બાબતે જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે
Latest Stories