જામનગર : સરકારી ફીઝીયોથેરાપી કોલેજમાં રેગિંગની ઘટના, 15 વિદ્યાર્થીઓ દોષિત જાહેર

જામનગરની સરકારી ફીઝીયોથેરાપી કોલેજમાં રેગિંગની ઘટનામાં તપાસ કમિટીએ 15 વિદ્યાર્થીઓને દોષિત જાહેર કર્યા છે.

New Update
જામનગર : સરકારી ફીઝીયોથેરાપી કોલેજમાં રેગિંગની ઘટના, 15 વિદ્યાર્થીઓ દોષિત જાહેર

જામનગરની સરકારી ફીઝીયોથેરાપી કોલેજમાં રેગિંગની ઘટનામાં તપાસ કમિટીએ 15 વિદ્યાર્થીઓને દોષિત જાહેર કર્યા છે. 12 વિદ્યાર્થીઓની સજાનું એલાન કરી દેવાયું છે જયારે ત્રણ વિદ્યાર્થીઓની સજાની જાહેરાત હવે પછી કરાશે.

જામનગરની સરકારી ફીઝીયોથેરાપી કોલેજમાં રેગિંગની ઘટના સામે આવી છે. રેગિંગની ફરિયાદ બાદ તપાસ સમિતિની રચના કરાય હતી. તપાસ દરમિયાન હોસ્ટેલના 15 છાત્રોએ જુનિયર વિદ્યાર્થિઓની હેરાનગતિ કરી રેગીંગ કર્યું હોવાની વિગતો સામે આવી હતી. તપાસ સમિતિના રીપોર્ટના આધારે કોલેજે 15 વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરી છે. હાલ 6 વિદ્યાર્થીઓની હોસ્ટેલમાંથી હકાલપટ્ટી કરવામાં આવી છે. જ્યારે 6 વિદ્યાર્થીઓને એક વર્ષ સુધી પરીક્ષામાં બેસવાની મનાઈ ફરવામાં આવી છે. તેમજ ત્રણ વિદ્યાર્થીઓને હજુ સુધી સજા કરવામાં આવી નથી. આ ઉપરાંત 14 વિદ્યાર્થીઓને કોલેજ દ્વારા જે કોઈ કાર્યક્રમ યોજવામાં આવે અથવા સ્થાનિક સ્પર્ધાત્મક કે નેશનલ લેવલની કોઈ કોન્ફરન્સમાં ભાગ લેવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જયારે વિદ્યાર્થીઓની વર્તણુક બાબતે તપાસ સમિતિને સંતોષ ન થાય ત્યાં સુધી તમામ 15 વિદ્યાર્થીઓના પરિણામ સ્થગિત રાખવામાં આવશે. ભવિષ્યમાં આવી ઘટનાઓ રોકવા માટે દોષિતો સામે કડક કાર્યવાહી કરાય હોવાનું કોલેજના આચાર્યએ જણાવ્યું હતું.