જુનાગઢ : ભેસાણ તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખનો મુખ્યમંત્રીને પત્ર, લખ્યું પદાધિકારીઓના પાપે વિકાસના કામો રૂંધાયા..!

ભેસાણ તાલુકામાં વિકાસના કામો જેવા કે, રોડ, રસ્તા અને પાણી સહિતના કામો પદાધિકારીઓની મનમાનીથી પૂર્ણ નહીં થતા ગામલોકોમાં રોષ જોવા મળ્યો છે.

New Update
જુનાગઢ : ભેસાણ તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખનો મુખ્યમંત્રીને પત્ર, લખ્યું પદાધિકારીઓના પાપે વિકાસના કામો રૂંધાયા..!

જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકામાં વિકાસના કામો જેવા કે, રોડ, રસ્તા અને પાણી સહિતના કામો પદાધિકારીઓની મનમાનીથી પૂર્ણ નહીં થતા ગામલોકોમાં રોષ જોવા મળ્યો છે.

જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકામા લોકો માટે સરકાર દ્ધારા અનેક યોજનાઓ ફાળવવામાં આવી છે, અને પહોંચતી પણ થઈ છે. પરંતુ જિલ્લાના જવાબદાર પદાધિકારીઓની મનમાનીથી અહીયા વિકાસ રૂધાયો છે. જેમાં 35 કિલોમીટરનો મુખ્ય ભેસાણ-જુનાગઢ સ્ટેટ હાઈવે જે કામ શરૂ પણ થયું, પરંતુ જિલ્લાના પદાધીકારીઓની મનમાનીથી કામ બંધ કરાયા હોવાને 5 વર્ષ થયા છે. તો બીજી તરફ, જેતપુર-દેવકીગાલોળ હાઈવે 14 વર્ષથી મંજૂર થયો છે. પરંતુ હજૂ સુધી કામ શરૂ થયુ નથી. તેમજ સૌની યોજના હેઠળ પીવાનું પાણી આપવામાં આવે છે, અને તેમાં પણ પાણીની લાઈન તૂટે એટલે ભેસાણને 15 દિવસે પીવાનું પાણી મળે છે. ભાજપ પૂર્વ પ્રમુખે જણાવ્યું હતું કે, પદાધિકારીઓના પાપે મુખ્યમંત્રીને પત્ર લખવો પડ્યો છે. છેલ્લા 30 વર્ષથી ભાજપમાં કામ કરીએ છીએ અને ભાજપમાં જ કરવાના છીએ. પણ આમાં પદાધિકારીઓની મનમાનીથી ભેસાણ તાલુકાનો વિકાસ રૂધાયો છે. જો, આગામી સમયમાં આ ગંભીર પ્રશ્વનોનું નિરાકરણ નહીં આવે તો દરેક ગામમાં ઘર ઘર સુધી પ્રશ્નોનું વિસ્તરણ કરી સરકાર સુધી પહોચાડવામાં આવશે, તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

Read the Next Article

જુનાગઢ : દીકરીના ભણતર બાબતની માથાકૂટમાં પત્નીની હત્યા કરનાર હત્યારા પતિની પોલીસે ધરપકડ કરી...

જુનાગઢના ભવનાથ વિસ્તારમાં દીકરીના ભણતર બાબતે થયેલ માથાકૂટમાં પતિએ પત્નીને ઢીકાપાટુ અને પેટમાં લાતો મારતાં પત્નીનું મૃત્યુ થયું હતું. સમગ્ર મામલે પોલીસે હત્યારા પતિની ધરપકડ

New Update

જુનાગઢ : દીકરીના ભણતર બાબતની માથાકૂટમાં પત્નીની હત્યા કરનાર હત્યારા પતિની પોલીસે ધરપકડ કરી...

સ્લગ : હત્યારો પતિ પોલીસ ગિરફ્તમાં..!

ભવનાથ વિસ્તારમાં રહેતા પરિવારનો માળો વિખાયો

દીકરીના ભણતર બાબતે પતિ-પત્ની વચ્ચેની માથાકૂટ

ઉશ્કેરાયેલા પતિએ પત્નીને ઢીકાપાટુનો માર માર્યો

પેટમાં લાતો મારતાં પત્નીનું મૃત્યુ નિપજતા ચકચાર

પોલીસે હત્યારા પત્ની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી

જુનાગઢના ભવનાથ વિસ્તારમાં દીકરીના ભણતર બાબતે થયેલ માથાકૂટમાં પતિએ પત્નીને ઢીકાપાટુ અને પેટમાં લાતો મારતાં પત્નીનું મૃત્યુ થયું હતું. સમગ્ર મામલે પોલીસે હત્યારા પત્ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા દેવભૂમિ દ્વારકા જિલ્લાના નંદાણા ગામથી જુનાગઢના ભવનાથ વિસ્તારમાં આવી વસવાટ કરતાં પરિવારનો માળો વિખાયો છે. ભવનાથ વિસ્તારમાં પતિ રાજેશ ચાવડા સાથે રહેતી પત્ની મલુબેનને પોતાની દીકરીના ભણતરની ચિંતા હતીત્યારે દીકરીના ભણતર બાબતે પતિ-પત્ની વચ્ચે માથાકૂટ થઈ હતી. આ દરમ્યાન ઉશ્કેરાયેલા પતિએ પત્ની ઉપર હુમલો કર્યો હતો. જેમાં પતિએ પત્નીને ઢીકાપાટુ અને પેટમાં લાતો મારતાં પત્નીને હોસ્પિટલ લઈ ગયા બાદ તેણીનું મૃત્યુ થયુ હતું. અગાઉ પણ પતિ રાજેશને પોતાની પત્ની સાથે માથાકૂટ થતીત્યારે બન્ને અલગ અલગ રહેતા હતા. જોકેસમાજના આગેવાનોએ બન્ને વચ્ચે સમાધાન કરાવતા તેઓએ ફરી સાથે રહી પોતાનો સંસાર ચલાવવાનું નક્કી કર્યું હતું. પરંતુ બન્ને વચ્ચે થયેલા ઝગડામાં સંસાર ચાલ્યો નહીંઅને હાલ પોતાની દીકરી માતા વિનાની નોધારી બની ગઈ છે. સમગ્ર મામલે ભવનાથ પોલીસે હત્યારા પતિ રાજેશ ચાવડાની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Latest Stories