જુનાગઢ : મહાશિવરાત્રી મેળામાં કુહાડી વડે થયો હતો ભાવિક પર હુમલો, સાધુના શિષ્યની ધરપકડ...

મહાશિવરાત્રિના મેળામાં થયો હતો જીવલેણ હુમલો રાજકોટના ભાવિકને વાંકાનેરના શખ્સે મારી કુહાડી પોલીસે હુમલાખોરની ધરપકડ સાથે તપાસ હાથ ધરી

New Update
જુનાગઢ : મહાશિવરાત્રી મેળામાં કુહાડી વડે થયો હતો ભાવિક પર હુમલો, સાધુના શિષ્યની ધરપકડ...

જુનાગઢ ખાતે યોજાયેલ મહાશિવરાત્રિના મેળા દરમ્યાન રાજકોટના ભાવિક પર થયેલ જીવલેણ હુમલાની ઘટનામાં પોલીસે વાંકાનેરના શખ્સની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર, જુનાગઢ ખાતે ભવનાથની તળેટીમાં યોજાયેલ મહાશિવરાત્રિના ભવ્ય મેળા દરમ્યાન ભાવિક પર કુહાડી વડે હુમલાની ઘટના પ્રકાશમાં આવી છે.

જેમાં એક શખ્સ દ્વારા કુહાડી વડે જીવલેણ હુમલો કરાતા હાર્દિક પંડ્યા નામનો રાજકોટનો રહેવાસી ઇજા પામ્યો હતો, ત્યારે ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, કુહાડીના ઘા માર્યા હોવાની ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં પોલીસે તપાસ હાથ ધરી હતી. સમગ્ર મામલે જુનાગઢ પોલીસે વાંકાનેર રહેતા દિનેશ સારલા નામના શખ્સની અટકાયત કરી હતી.

પોલીસે આ શખ્સની પૂછપરછ કરતાં તે જુનાગઢમાં ધુણા પર બેઠેલા સાધુનો શિષ્ય હોવાનું જણાવ્યુ હતું. હાલ તો પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

Read the Next Article

દક્ષિણ ગુજરાતમાં દે’માર વરસાદ : નવસારી, વલસાડ અને વાપીમાં તારાજી સર્જાય, જનજીવનને અસર...

રાજ્યમાં સત્તાવાર રીતે ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરી છે,

New Update
  • ગુજરાત રાજ્યમાં સત્તાવાર રીતે ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ

  • આગામી 7 દિવસ વરસાદને લઈ હવામાન વિભાગમી આગાહી

  • નવસારીવલસાડ અને વાપી પંથકમાં ભારે વરસાદ વરસ્યો

  • ઠેર ઠેર વરસાદી પાણી ભરાય જતાં જનજીવન અસ્તવ્યસ્ત થયું

  • કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં NDRFની ટીમ સ્ટેન્ડબાય

રાજ્યમાં સત્તાવાર રીતે ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરી છેત્યારે દક્ષિણ ગુજરાતના નવસારીવલસાડ અને વાપીમાં ભારે વરસાદ વરસ્યો હતો. જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું.

રાજ્યમાં ચોમાસાની વિધિવત્ શરૂઆત સાથે જ ગત મોડીરાતે વીજળીના કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. આ તરફદક્ષિણ ગુજરાતના નવસારીવલસાડવાપી અને ડાંગમાં રેડ એલર્ટ અપાયું છે. વહેલી સવારથી જ નવસારી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. ધીમીધારે વરસાદ યથાવત રહેતા ઉપરવાસ સહિત અંબિકાકાવેરી અને પૂર્ણા નદીમાં નવા નીરનું આગમન થયું છેજ્યારે સુપા ગામને કુરેલ સાથે જોડતો લો-લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો થતાં 5 ગામના લોકોને 10 કિમીનો ચકરાવો લેવાની ફરજ પડી હતી. તો બીજી તરફનવસારી જિલ્લામાં છેલ્લા 2 દિવસથી દેમાર વરસાદના પગલે વહીવટી તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. નવસારીમાં 24 સભ્યોની SDRF ટીમને ડિપ્લોય કરવામાં આવી છે. જે તમામ બચાવના ઉપકરણો સાથે નવસારીમાં તૈનાત રહેશેઅને કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળશે.

વલસાડ જિલ્લામાં પણ વરસેલા ભારે વરસાદે ઠેર ઠેર તારાજી સર્જી દીધી છે. વલસાડમાંથી પસાર થતા નેશનલ હાઈવે નં. 48 પર ચોમાસાની શરૂઆતમાં જ મોટા ખાડાઓ પડ્યા છે. આ રસ્તા પર માત્ર થોડા મહિના પહેલા જ ડામર કામ કરવામાં આવ્યું હતું. સામાન્ય વરસાદમાં જ રસ્તાની સ્થિતિ બગડતા હાઈવે ઓથોરિટીની કામગીરી સામે પ્રશ્નો ઉઠ્યા છે. પાણી નિકાલની અવ્યવસ્થાના કારણે વલસાડના ઉદવાડા-બગવાડા વચ્ચેનો માર્ગ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો હતોજ્યાં લોકો પોતાના જીવના જોખમે પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા હતા.

આ તરફવલસાડની ઔરંગા નદી પોતાની ભયજનક સપાટી વટાવી 4.55 મીટરએ વહી રહી છે. જેના કારણે વલસાડ નગરપાલિકાનો વોટર વોક્સ ડેમ પણ ઓવર ફ્લો થયો હતો. તો બીજી તરફવલસાડના વાપી મનપાની બેદરકારીનો વધુ એક પુરાવો સામે આવ્યો છે. વાપીમાં વોક-વે માટે બનાવેલ અંડર બ્રિજમાં પણ વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતોજ્યારે પહેલા વરસાદે જ વાપી મોડલ રેલવે સ્ટેશનની હાલત ખરાબ કરી નાખી છે. વાપી રેલવે સ્ટેશને મુસાફરોએ ક્યાં ઉભું રહેવું એ જગ્યા શોધવી મુશ્કેલ બન્યું હતું. સ્ટેશન પર મહત્તમ જગ્યા પરથી પાણી પડવા લાગ્યું હતું. ખૂબ મોટી સંખ્યામાં વાપી ખાતે નોકરી કરતો વર્ગ રેલવે સ્ટેશનનો ઉપયોગ કરતો હોય છેજ્યાં મુસાફરોએ છત્રી અને રેઇનકોટ સાથે રેલવે પ્લેટફોર્મ પર ઉભા રહેવા મજબુર બન્યા હતા. વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે તમામ નદીઓ બે કાંઠે વહેવા લાગી છે. વલસાડ જિલ્લા કલેક્ટર સહિત NDRFની ટીમએ નદીના તટવિસ્તાર તેમજ નીચાણવાળા વિસ્તારોમાં સ્થળ નિરીક્ષણ કરી લોકોને તકેદારી રાખવા એલર્ટ કર્યાં છે.

 

Latest Stories