જુનાગઢ : કેશોદના કોલેજ રોડ પર એસટી. બસ, કાર અને બાઈક વચ્ચે સર્જાયો ત્રિપલ અકસ્માત, 7 લોકો ઘાયલ..!

કેશોદના કોલેજ રોડ પર સર્જાયો ત્રિપલ અકસ્માત, એસટી. બસ, કાર, બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 7 લોકો ઇજાગ્રસ્ત બનતા સારવાર અર્થે ખસેડાયા.

New Update
જુનાગઢ : કેશોદના કોલેજ રોડ પર એસટી. બસ, કાર અને બાઈક વચ્ચે સર્જાયો ત્રિપલ અકસ્માત, 7 લોકો ઘાયલ..!

જુનાગઢ જિલ્લાના કેશોદ શહેરના કોલેજ રોડ પર ત્રિપલ અકસ્માત સર્જાતા 7 લોકો ઇજાગ્રસ્ત બનતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર, જુનાગઢના કેશોદ શહેરના કોલેજ રોડ પર આજરોજ વહેલી સવારે ત્રિપલ અકસ્માતની ઘટના સર્જાય હતી. જેમાં એસટી. બસ, કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 7 જેટલા લોકો ઘાયલ થયા હતા. બનાવના પગલે ઘટના સ્થળે લોકોના ટોળાં ભેગા થઈ ગયા હતા. ત્યારબાદ તમામ ઈજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ મારફતે સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

જોકે, આ દુર્ઘટના કોઈ મોટી જાનહાનિ નહીં થતાં લોકોએ રાહત અનુભવી હતી. તો બીજી તરફ, ત્રિપલ અકસ્માતના બનાવના પગલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Read the Next Article

સાબરકાંઠા જિલ્લાના  તલોદ GIDCમાં રબર ફેક્ટરીમાં લાગી ભીષણ આગ

સાબરકાંઠા જિલ્લાના તલોદ GIDC વિસ્તારમાં આજે 29 જૂન, 2025ના રોજ સાંજે એક ભીષણ આગ લાગવાની ઘટના ઘટી છે. જેના કારણે આખા વિસ્તારમાં દોડધામ મચી ગઈ.

New Update
aag

સાબરકાંઠા જિલ્લાના તલોદ GIDC વિસ્તારમાં આજે 29 જૂન, 2025ના રોજ સાંજે એક ભીષણ આગ લાગવાની ઘટના ઘટી છે. જેના કારણે આખા વિસ્તારમાં દોડધામ મચી ગઈ. આ ઘટના તલોદ GIDCમાં આવેલી પુષ્પક ઈન્ડિયા લિમિટેડ નામની ફેક્ટરીમાં બની, જે ટાયરની ટ્યૂબનું ઉત્પાદન કરે છે. આ આગે ફેક્ટરીમાં મોટું નુકસાન કર્યું,

પરંતુ રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.સાંજે આશરે 4 વાગ્યાની આસપાસ પુષ્પક ઈન્ડિયા લિમિટેડ ફેક્ટરીમાં અચાનક આગ ભભૂકી ઉઠી. ફેક્ટરીમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળ્યા, જેના કારણે ફેક્ટરીમાં કામ કરતા કામદારો અને આસપાસના વિસ્તારના લોકોમાં ભયનો માહોલ સર્જાયો. આગની જ્વાળાઓ અને ધુમાડાને જોતાં નાસભાગ મચી ગઈ, અને સ્થાનિક લોકોમાં અફરાતફરીનો માહોલ ફેલાયો.ઘટનાની જાણ તલોદ નગરપાલિકાને થતાં તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી. ફાયર ફાઇટર્સે ત્વરિત કાર્યવાહી કરીને આગ પર કાબૂ મેળવ્યો, જેના કારણે ઘટના વધુ વિકટ બનતાં અટકી. જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, અને આ અંગે તપાસ ચાલી રહી છે. પ્રાથમિક માહિતી અનુસાર, આગના કારણે ફેક્ટરીમાં મોટું નાણાકીય નુકસાન થયું હોવાનું જાણવા મળે છે, જેમાં રબર ઉત્પાદનની સામગ્રી, મશીનરી, અને અન્ય સાધનોનો સમાવેશ થઈ શકે છે.ફેક્ટરીના કામદારોમાં ચિંતા આ અગ્નિકાંડની ઘટનાએ તલોદ GIDC વિસ્તારમાં રહેતા લોકો અને ફેક્ટરીના કામદારોમાં ચિંતાનું વાતાવરણ સર્જ્યું છે. સ્થાનિક લોકોએ જણાવ્યું કે, આગની જ્વાળાઓ અને ધુમાડાને જોતાં એવું લાગ્યું કે કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. જોકે, ફાયર બ્રિગેડની ત્વરિત કાર્યવાહીએ ઘટનાને વધુ ગંભીર થતાં રોકી.તલોદ નગરપાલિકાએ આ ઘટના અંગે ગંભીર નોંધ લીધી છે, અને આગના કારણોની તપાસ માટે એક ટીમ નિયુક્ત કરવામાં આવી શકે છે. પ્રાથમિક તપાસમાં આગ વિદ્યુત શોર્ટ સર્કિટ, રબરની સામગ્રીના સંગ્રહની ખામી, અથવા અન્ય કોઈ તકનીકી ખામીને કારણે લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, આ અંગે સત્તાવાર રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટતા થશે.