-
ધંધૂસરામાં કુદરતનાં કરિશ્મા સમાન ઘટના
-
પ્રજોત્પતિ વિના દૂધ આપતી ગાય
-
કામધેનુ રોજનું ચાર લીટર આપે છે દૂધ
-
તબીબી તપાસમાં ગાયને ગર્ભાશય ન હોવાનું થયું નિદાન
-
ખેડૂત પરિવાર માટે આ ઘટના ઈશ્વરીય ચમત્કાર સમાન
જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ધંધુસરમાં એક ખેડૂત પરિવારનાં ત્યાં કુદરતનો અદભૂત કરિશ્મા જોવા મળ્યો છે,એક પણ વાર પ્રજોત્પતિ વિના એક ગાય રોજનું ચાર લીટર દૂધ આપી રહી છે. આ કામધેનુએ ખેડૂત પરિવાર સહિત ગ્રામજનોમાં ભારે કૂતુહલ સર્જી દીધું છે.
જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ધંધુસરમાં રહેતા પૂંજાભાઈ સરમણભાઈ મૂળિયાસીયાની ગાયે 2021ના વર્ષમાં મહાશિવરાત્રીની રાત્રે એક વાછરડાને જન્મ આપ્યો હતો, તેની થોડી વાર બાદ વાછરડીને જન્મ આપ્યો હતો. ત્યારે વેટરનરી તબીબે વાછરડી પાછળથી આવી છે એટલે તેમાં કઈ ખોડખાંપણ હશે એમ જણાવ્યું હતું. ખેડૂત પરિવારે સ્નેહ પૂર્વક વાછરડા અને વાછરડીનો ઉછેર કર્યો હતો. ખેડૂતે જણાવ્યું હતું કે વાછરડો દોઢ બે વર્ષનો થયો ત્યારે તેને શેરનાથ બાપુને અર્પણ કર્યા હતો. વાછરડી અઢી ત્રણ વર્ષની થઈ ત્યારે વેટરનરી તબીબે તપાસ કરતા તેને ગર્ભાશય ન હોવાનું જાણવા મળ્યું હતું. આ વાછરડીને માલ ગામે રહેતો તેમનો ભાણેજ લઈ ગયો હતો. થોડા સમય પહેલા એ ગાયને ધંધુસર લઈ આવવામાં આવી હતી. ગાયને તાવ આવી જતા ભાણેજે કુતિયાણાના વેટરનરી તબીબને મોકલ્યા હતા, તેઓએ ગાયની તપાસ કરી આ ગાયને દોહવાનું શરૂ કરવા જણાવ્યું હતું. છેલ્લા 15-20 દિવસથી દોહવાનું શરૂ કર્યું છે. શરૂઆતમાં સવારે એક દોઢ લિટર આસપાસ દૂધ આપતી હતી, હાલ સવાર સાંજ બે- બે લિટર જેટલું દૂધ આપે છે. આમ આ કામધેનુ રજસ્વલામાં આવતી નથી, ગર્ભાશય ન હોવાથી પ્રસુતિ થઈ નથી છતાં રોજ કુલ ચાર લિટર દૂધ આપે છે. આ ગાયની જીભ, ચારેય આંચળ અને કાન કાળા છે. ખેડૂત પરિવાર તેને પોતાનાં ઘરની સભ્ય જ માને છે. વધુમાં આ ગાય આજીવન દૂધ આપશે તેમજ વચ્ચે વસુકી જવાનો સમય આવે એવી સંભાવના પણ નથી. શાસ્ત્રોમાં આવી ગાયને કામધેનુ કહેવામાં આવી છે.
આ કામધેનુ ગાયને થોડા સમય પહેલા 17.51 લાખમાં માંગવામાં આવી હતી છતાં ગીર પ્રજાતિની આ ગાયને આપવા પરિવારે ના પાડી દીધી હતી. રોજ બ રોજ ગાયને જોવા અને તેને લેવા માટે લોકો આવતા રહે છે પરંતુ ખેડૂત પરિવારે તો આ ગાયને આજીવન પોતાના પરિવારની સભ્ય જ બનાવી કોઈને ન આપવાનો સંકલ્પ કરી લીધો છે.
વેટરનરી ડોક્ટર દ્વારા આ ગાયની તપાસ કરવામાં આવી હતી.તો ડોક્ટર પણ ચોંકી ગયા હતા અને ગાયને તપાસ કરતા તેને ગર્ભાશય ન હોવાનું જાણવા મળ્યું હતું.જેથી ભવિષ્યમાં તે ક્યારેય પણ માઁ નહીં બની શકે પરંતુ તેની તબિયત વધુ ને વધુ ખરાબ થતી હોવાથી તેને ખેડૂત સંપત્તિને દોહવાની સલાહ આપી હતી,અને ખેડૂત દંપતિ દ્વારા સલાહ મુજબ આ ગાયને છેલ્લા 15 - 20 દિવસથી દોહવાનું શરૂ કર્યું છે અને ગાય દરરોજનું એકથી ચાર લીટર જેટલું દૂધ આપવા લાગી છે.સવારે બે લીટરને સાંજે બે લીટર એમ કરી ચાર લીટર દૂધ આપતા સૌને નવાઈ લાગી છે. માતૃત્વ ધારણ કર્યા વગર ગાય દૂધ આપતા સૌ કોઈ માટે આ ઘટના કુદરતની ભેટ સમાન બની ગઈ છે.