જુનાગઢ: ઝાંઝરડા રોડ પર સોસાયટીના રસ્તાઓ પર કાદવ –કીચડનું સામ્રાજ્ય

જૂનાગઢના ઝાંઝરડા રોડ પર અમુક સોસાયટીના વિસ્તારમાં રસ્તાઓ ઉપર કાદવ કીચડના સામ્રાજ્ય અને ખરાબ રસ્તાના કારણે સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો

New Update

જૂનાગઢના ઝાંઝરડા રોડ પર અમુક સોસાયટીના વિસ્તારમાં રસ્તાઓ ઉપર કાદવ કીચડના સામ્રાજ્ય અને ખરાબ રસ્તાના કારણે સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો જેને લઈને મહિલાઓ રસ્તાઓ ઉપર આવી ચક્કાજામ કર્યો હતો.

આ દ્રશ્યો છે જુનાગઢના ઝાંઝરડા રોડ પર આવેલ સોસાયટી વિસ્તારના કે જ્યાં કાદવ કિચડના સામ્રાજ્યના કારણે લોકોમાં ભારે નારાજગી જોવા મળી હતી મહિલાઓએ ચક્કાજામ કરીને વિરોધ કર્યો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર સમસ્યાને સાંભળવા એક પણ નગરસેવક અત્યાર સુધી ફરક્યા નથી વધુમાં તેઓએ જણાવ્યું હતું કે કામકાજ અર્થે અને બાળકોને શાળાએ લેવા મૂકવા જતી વખતે તેઓને અનેક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.

સ્થાનિકોની માંગ છે કે તાત્કાલિક ધોરણે તેમની આ સમસ્યાનું સમાધાન કરવામાં આવે તો બીજી તરફ મનપાના વોટર શાખાના અધિકારી અલ્પેશ ચાવડાએ સ્થળ તપાસ કરી અને લોકોને આશ્વાસન આપ્યું હતું કે ગેસ લાઈન, પાણીની લાઈન સહિતના કામકાજ હાલ શહેરમાં કાર્યરત હોવાના કારણે અમુક સ્થળ પર આ પ્રકારની સમસ્યા સર્જાય છે જેનું વહેલી તકે નિરાકરણ કરવામાં આવશે.

Read the Next Article

અંકલેશ્વર: સંસ્કારદીપ વિદ્યાલયમાં વિવિધ પ્રકલ્પોનું ભૂમિપૂજન-લોકાર્પણ કરાયુ

અંકલેશ્વરની સંસ્કારદીપ ટ્રસ્ટ સંચાલીત શ્રીમતી પી.ડી.શ્રોફ સંસ્કારદીપ વિદ્યાલયના 35 વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે ત્રણ પ્રકલ્પોનું ભૂમિ પૂજન અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

New Update
MixCollage-12-Jul-2025-
અંકલેશ્વરની સંસ્કારદીપ ટ્રસ્ટ સંચાલીત શ્રીમતી પી.ડી.શ્રોફ સંસ્કારદીપ વિદ્યાલયના 35 વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે ત્રણ પ્રકલ્પોનું ભૂમિ પૂજન અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ સંસ્કારદીપ ટ્રસ્ટ સંચાલીત શ્રીમતી પી.ડી.શ્રોફ સંસ્કારદીપ વિદ્યાલયના 34 વર્ષ પૂર્ણ થતાં 35માં વર્ષના મંગલ પ્રવેશ નિમિત્તે શાળામાં અભ્યાસ કરતા બાળકોનું શારીરિક સ્વાસ્થ્ય અને સ્માર્ટ બોર્ડ તેમજ વૈજ્ઞાનિક રીતે આગળ વધે તે માટે આજરોજ કે.પટેલ કેમો ફાર્મા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આઉટ ડોર જીમનાસ્ટિકનું આમંત્રિત મહેમાનોના હસ્તે ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું.જ્યારે સુભશ્રી પીગમેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડના સૌજન્યથી બનાવેલ સ્માર્ટ ક્લાસીસ તેમજ એસ્ટ્રોનોમી ગેલેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં જીતેન્દ્ર એમ.પટેલ,શ્રી કે શ્રીવત્સન,શીતલ નરેશ પટેલ અને પારુલ ચેતન વઘાસિયા તેમજ સંસ્કારદીપ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.