જૂનાગઢ : માનસિક દિવ્યાંગ લોકોની સેવા કરતા ગાંગેડી આશ્રમ સામે ગંભીર આક્ષેપથી વિવાદ છંછેડાયો

માનસિક દિવ્યાંગ લોકોની સેવા કરતી ગાંગેડી આશ્રમ સામે સુરતની એક મહિલા દ્વારા માનસિક દિવ્યાંગ દીકરીને બાંધીને રાખતા હોવાના આક્ષેપો કરવામાં આવતા ચકચાર મચી

New Update
  • માનસિક દિવ્યાંગો માટેના ગાંગેડી આશ્રમ સામે આક્ષેપ

  • આશ્રમમ 200થી વધારે દિવ્યાંગો રહે છે

  • સુરતની માતાએ આશ્રમ સામે કર્યા આક્ષેપ

  • માનસિક દિવ્યાંગ દીકરીને બાંધીને રાખતા હોવાના આક્ષેપ

  • 22 વર્ષીય દીકરીને માર પણ મારતા હોવાના ગંભીર આક્ષેપ

  • આશ્રમ સંચાલકે આક્ષેપોને ફગાવ્યા

Advertisment

જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં સમઢીયાળા ગામમાં છેલ્લા ત્રણ વર્ષથી માનસિક દિવ્યાંગ લોકો માટે બનાવવામાં આવેલો ગાંગેડી આશ્રમ સામે આક્ષેપ કરવામાં આવ્યા છે. સુરતમાં રહેતા ભૂમિબેન મહેતાની 22 વર્ષની દીકરી દિશા મહેતા માનસિક દિવ્યાંગ હોવાથી ગાંગેડી આશ્રમમાં એક મહિના પહેલા મૂકવામાં આવી હતી.

 જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં આવેલી માનસિક દિવ્યાંગ લોકોની સેવા કરતી ગાંગેડી આશ્રમ સામે આક્ષેપો કરવામાં આવ્યા છે. સુરતની એક મહિલા દ્વારા આ આક્ષેપો કરવામાં આવતા ચકચાર મચી છે.સુરતમાં રહેતા ભૂમિબેન મહેતાની 22 વર્ષની દીકરી દિશા મહેતા માનસિક દિવ્યાંગ હોવાથી ગાંગડી આશ્રમમાં એક મહિના પહેલા મૂકવામાં આવી હતી. તારીખ 1 માર્ચના રોજ ભૂમિબેન પોતાની 22 વર્ષની દીકરીને મળવા ગયા હતા,ત્યારે અહીંના સંચાલકો દ્વારા તેમને મળવા દેવાની મનાઈ કરવામાં આવી હતી.

ઉપરાંત અહીં તેમની દીકરીને સાંકળથી બાંધીને રાખવામાં આવતી હોવાના પણ તેઓએ આક્ષેપ કર્યા છે. સાથે સાથે દીકરીને આશ્રમના સંચાલકો દ્વારા લાકડી વડે માર માર્યો હોવાના પણ આરોપ લગાવાયા છે.

બીજી તરફ ગાંગેડી આશ્રમની રિયાલિટી ચેક દરમિયાન આશ્રમના સંચાલક દ્વારા આ તમામ બાબતોને પાયા વિહોણા ગણાવ્યા હતા.આ સંસ્થામાં 200થી વધારે દિવ્યાંગ લોકો રહે છે.જેમાં 95 જેટલી મહિલાઓ અહીં રહે છે. કોઈપણ પ્રકારની ફી લીધા વગર અહીં આ 200 થી વધારે દિવ્યાંગોને રાખવામાં આવે છે.

ત્યારે સુરતની મહિલા દ્વારા જે આરોપ લગાવવામાં આવ્યા છે તેને લઈને જણાવ્યું હતું કે તેની દીકરી બીજા અન્ય લોકોને મારતી હતી અને બીજાને નુકસાન વધારે ન કરે તે માટે તેને બાંધી રાખવામાં આવી હતી.જ્યારે માર મારવાની વાત સદંતર ખોટી હોવાનો ખુલાસો કર્યો હતો.

Advertisment
Read the Next Article

ઓપરેશન સિંદૂર’ બાદ દ્વારકામાં સમુદ્ર સીમાની સુરક્ષામાં વધારો, મરીન પોલીસનું જબરજસ્ત પેટ્રોલિંગ...

ઓપરેશન સિંદૂર બાદ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દરિયાઈ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. 3 બાજુથી દરિયાથી ઘેરાયેલું હોવાથી, દ્વારકા દેશની સુરક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ છે.

New Update
  • 3 દિશાએ દરિયાથી ઘેરાયેલો દેવભૂમિ દ્વારકા જિલ્લો

  • ઓપરેશન સિંદૂર બાદ સમુદ્ર સીમાની સુરક્ષામાં વધારો

  • દરિયાઈ વિસ્તારમાં મરીન પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ

  • 23 ટાપુઓમાંથી 21 ટાપુઓ પર પ્રવેશ પ્રતિબંધ કરાયો

  • ગેરકાયદે માછીમારી પ્રવૃત્તિઓમાં સામેલ 20 બોટ જપ્ત 

Advertisment

ઓપરેશન સિંદૂર બાદ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સમુદ્ર સીમામાં સુરક્ષામાં વધારો કરાયો છેજ્યાં મરીન પોલીસ દ્વારા જબરજસ્ત પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યો છે. જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતીય સેના દ્વારા પાકિસ્તાનમાં પાર પડાયેલા ઓપરેશન સિંદૂરને સફળતા મળી છેત્યારે ઓપરેશન સિંદૂર બાદ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દરિયાઈ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. 3 બાજુથી દરિયાથી ઘેરાયેલું હોવાથીદ્વારકા દેશની સુરક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. સત્તાવાળાઓએ જિલ્લાના 23 ટાપુઓમાંથી 21 ટાપુઓ પર પ્રવેશ પ્રતિબંધિત કર્યો છે.

મરીન પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જેના પરિણામે ગેરકાયદેસર માછીમારી પ્રવૃત્તિઓમાં સામેલ અનેક બોટને પકડવામાં આવી છે. આ બોટો જરૂરી ટોકન્સ વિના અથવા જૂના ટોકન્સનો દુરુપયોગ કરીને તેમજ હોકાયંત્રએન્ડ્રોઇડ બેરોમીટર અને ઇમરજન્સી સ્મોક સિગ્નલ જેવા આવશ્યક સાધનો વિના ચલાવતા હોવાનું જાણવા મળ્યું હતું. જોકેઆ ઉલ્લંઘન બદલ દ્વારકા જિલ્લા પોલીસે ગુજરાત મત્સ્યઉદ્યોગ અધિનિયમ અને BNSની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યા છે. જેમાં બેટ દ્વારકાવાડીનારસલાયાદ્વારકા અને ઓખા નજીકના વિસ્તારોમાંથી 20 બોટ સામેલ હોવાનું જાણવા મળ્યું છે.

Advertisment