જૂનાગઢ : શિક્ષણ જગત થયું શર્મસાર,આસી.પ્રોફેસરે વિદ્યાર્થીનીને બિભસ્ત મેસેજ કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો

વિદ્યાર્થીનીને બિભસ્ત મેસેજ કરીને પરીક્ષામાં નાપાસ કરવાની ધમકી આપી હોવાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઈ છે,હાલ આ મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.

New Update
  • સોરઠમાં શિક્ષણ જગત થયું શર્મસાર

  • સરકારી વિનયન કોલેજના આસી.પ્રોફેસરનું લાંછનરૂપ કૃત્ય

  • છાત્રાને બિભત્સ મેસેજ કરીને આપી નાપાસ કરવાની ધમકી

  • સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો

  • મેસેજના સ્ક્રીનશોટ વાયરલ થતા મામલો ગરમાયો

જુનાગઢનાં ભેંસાણની સરકારી વિનયન કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસરે શિક્ષણ જગતને શર્મસાર કર્યું છે.વિદ્યાર્થીનીને બિભસ્ત મેસેજ કરીને પરીક્ષામાં નાપાસ કરવાની ધમકી આપી હોવાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઈ છે,હાલ આ મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.

જૂનાગઢના ભેંસાણની સરકારી વિનયન કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસરે છાત્રાઓને ઇન્ટર્નલ માર્કસમાં નાપાસ કરી તેઓની છેડતી કર્યાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. આ મામલો પોલીસ મથકે પણ પહોંચ્યો હતો. જોકે, હજુ સુધી આ અંગેની કોઈ ફરિયાદ નોંધાઈ નથી. આ શખ્સે વિદ્યાર્થીનીઓના મોબાઇલમાં એક અધ્યાપકને ન છાજે એવા બિભત્સ શબ્દો લખ્યા હતા. જે અંગે વિદ્યાર્થીનીએ તેને આમ ન કરવા વિનવણી કરતા તેણે નાપાસ કરવાની ધમકી પણ આપી હતી.

મામલો ચર્ચામાંથી પ્રિન્સિપાલ પાસે અને ત્યારબાદ છેક પોલીસ મથક સુધી પહોંચ્યો હતો.પણ ફરિયાદ માટે કોઈ આગળ ન આવતા આખરે ઇન્ચાર્જ પ્રિન્સિપાલ પોતાની કક્ષાએથી તેની સામે શિક્ષણ વિભાગને કાર્યવાહી માટેનો રિપોર્ટ કર્યો છે.દરમિયાન હાલ આ શખ્સ મેડીકલ લીવ પર ઉતરી ગયો હોવાનું જાણવા મળ્યું છે.

Read the Next Article

ભરૂચ જિલ્લાની 67 ગ્રામપંચાયતોમાં રવિવારે ચૂંટણી યોજાશે, કુલ 18 પંચાયત સમરસ જાહેર

ગ્રામ પંચાયતો માટે સામાન્ય અને પેટાચૂંટણી યોજાનાર છે.  જે પૈકી ભરૂચ જિલ્લામાં ૦૯ તાલુકામાં ૬૭ ગ્રામ પંચાયતોમાં સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણી યોજાશે. જયારે ૧૮ ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિનહરીફ જાહેર થઈ

New Update
Bharuch Grampanchayat Election
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા રાજ્યમાં ૨૨મી જૂનના રોજ આઠ હજારથી વધુ ગ્રામ પંચાયતો માટે સામાન્ય અને પેટાચૂંટણી યોજાનાર છે.  જે પૈકી ભરૂચ જિલ્લામાં ૦૯ તાલુકામાં ૬૭ ગ્રામ પંચાયતોમાં સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણી યોજાશે. જયારે ૧૮ ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિનહરીફ જાહેર થઈ હતી.ભરૂચ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં તા.૦૧/૦૪/૨૦૨૨થી તા.૩૦/૦૬/૨૦૨૫ સુધીની મુદત પુરી થતી પંચાયતો ભરૂચ જિલ્લાની ૨૧૩ ગ્રામ પંચાયતોની ચૂંટણી પૈકી ૬૩ સામાન્ય,  ૦૫ વિસર્જન, અને પેટા ૧૪૫ મળી કુલ ૨૧૩ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાનાર હતી. 
      
આગામી તા.૨૨/૦૬/૨૦૨૫ના રોજ ભરૂચ જિલ્લાના તાલુકાઓમાં કુલ ૬૭ ગ્રામ પંચાયતો માટેની ચૂંટણી યોજાનાર છે. તેમજ કુલ-૬૮ પંચાયતો પૈકી ૧૮ ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિનહરીફ વિજેતા થઈ છે. જેમાં આમોદ તાલુકાની ૦૩, વાગરાની ૦૧, ભરૂચ તાલુકાની ૦૧ અંકલેશ્વરની ૦૪, હાંસોટ તાલુકાની ૦૭, ઝઘડીયા તાલુકાની ૦૨  ગ્રામ પંચાયતોમાં બિનહરીફ જીત જાહેર થઈ છે. કુલ ૧૭૪ મતદાન મથકોમાં મતદાન યોજાશે. આ ચૂંટણીમાં નોટાનો અમલ કરવામાં આવશે.આ ચૂંટણીમાં બેલેટ પેપરનો ઉપયોગ કરવામાં આવશે..