જુનાગઢ : કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે જનહિતના કાર્યોનું લોકાર્પણ-ભૂમિપૂજન કરાયું...

પ્રાકૃતિક કૃષિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંદાજે 20 હજાર જેટલા ખેડૂતોને નિષ્ણાંતો દ્વારા પ્રાકૃતિક કૃષિ માર્ગદર્શન આપવામાં આવ્યું

New Update
જુનાગઢ : કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે જનહિતના કાર્યોનું લોકાર્પણ-ભૂમિપૂજન કરાયું...

કેન્દ્રિય ગૃહ અને સહકારી મંત્રી અમિત શાહ જુનાગઢ જિલ્લાના મહેમાન બન્યા હતા, જ્યાં તેઓના વરદ હસ્તે જનહિતના કાર્યોનું લોકાર્પણ અને ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. જુનાગઢ જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા સહિતના ખેડૂતોને સરકારની ભેટ મળી છે. શહેરના સક્કરબાગ પાસે સૌરાષ્ટ્ર સિલિકેટ નામે જાણીતી જગ્યામાં 3764 ચોરસ મીટરમાં પ્રાકૃતિક કૃષિ બજારનું નિર્માણ કરવામાં આવશે. અહીંયા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો પ્રાકૃતિક ઢબે ઉત્પાદિત ખેત પેદાશનું વેચાણ કરવા માટેનું પ્લેટફોર્મ મળી રહેશે. આમ, આગામી દિવસોમાં પ્રાકૃતિક ખેતીને પણ વેગ મળી રહેશે.

ઉપરાંત ઝાંઝરડા રોડ પરના ભીંડી જ્વેલર્સ પાછળની જગ્યામાં ધી જૂનાગઢ જિલ્લા સહકારી બેન્ક લી. નું રૂ. 9.85 કરોડના ખર્ચે અદ્યતન સુવિધા સાથેનું નિર્માણ પામનાર 4 મંજીલા ઈમારતનું કેન્દ્રીય મંત્રી અમિત શાહના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. આ ભવનમાં એકાઉન્ટ, લોન બ્રાન્ચ, એટીએમ, 500 લોકોને સમાવી શકવાની ક્ષમતા ધરાવતા ઓડિટોરિયમ સહિતની માળખાગત સુવિધા સાથેનું ભવન નિર્માણ કરવામાં આવશે. જનહિતના કાર્યોના લોકાર્પણ-ભૂમિપૂજનના સમારોહની સાથે પ્રાકૃતિક કૃષિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંદાજે 20 હજાર જેટલા ખેડૂતોને નિષ્ણાંતો દ્વારા પ્રાકૃતિક કૃષિ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે જુનાગઢ એપીએમસીમાં પ્રાકૃતિક ઉત્પાદનો સહિતના પ્રદર્શનો માટે 20થી વધુ સ્ટોલ પણ ઊભા કરવામાં આવ્યા હતા.

Read the Next Article

ભરૂચ : વરસાદથી ક્ષતિગ્રસ્ત અંકલેશ્વર-ઝઘડીયા-રાજપીપલા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગનું યુદ્ધના ધોરણે સમારકામ

ભરૂચ જિલ્લામાં વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોનું સમારકામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા

New Update
MixCollage-13-Jul-2025-08-

ભરૂચ જિલ્લામાં વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોનું સમારકામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે.

જે અંતર્ગત અત્યાર સુધીમાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના કુલ ખરાબ ૧૫.૪૦૦ કિમીથી વધુ લંબાઈના માર્ગોની મરામત કામગીરી પૂર્ણ કરાઈ છે. જેમાં કુલ ૧૨ જેસીબી, ૨૧ ડમ્પર અને ૧૦ રોલરની મદદથી ૧૧૭ થી વધુ શ્રમયોગીઓ દ્વારા આ સમગ્ર કામગીરી કરવામાં આવી રહી છે. 
આ મરામત કામગીરીમાં માર્ગના ક્ષતિગ્રસ્ત ભાગોનું સમારકામ, પેચવર્કની કામગીરી આયોજનબદ્ધ રીતે હાથ ધરવામાં આવી રહી છે.ભરૂચ જિલ્લામાં પણ માર્ગ અને મકાન વિભાગ દ્વારા અંકલેશ્વરથી ઝઘડીયા અને રાજપીપલા-સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો હાઈવે નં- ૬૪, રાજપારડી- નેત્રંગ, અસા - ઉમલ્લા -પાણેથા, રોડ ઉપર કુલ ૧૨ જેસીબી, ૨૧ ડમ્પર, ૧૦ રોલર, ગ્રેટર ૨ ટ્રેક્ટરો તેમજ અને લોડરની મદદથી થી ૧૧૭ વધુ શ્રમયોગીઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.