Connect Gujarat
ગુજરાત

કેશોદ:- મઢડા સોનલધામ ખાતે 700 વિધામા ‘માં સોનલ આઈ’ના જન્મ શતાબ્દી મહોત્સવનો પ્રારંભ

મઢડા ગામે માં સોનલ આઈના 100 વર્ષ પૂર્ણ થવા પર ત્રિદિવસીય જન્મ શતાબ્દી મહોત્સવનું કરાયું આયોજન લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટશે.

X

જુનાગઢ જિલ્લાના મઢડા ગામે માં સોનલ આઈના 100 વર્ષ પૂર્ણ થવા પર ત્રિદિવસીય જન્મ શતાબ્દી મહોત્સવનું કરાયું આયોજન લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટશે.

જૂનાગઢ જિલ્લાના મઢડા ગામે માં સોનલ આઈના 100 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. જેને લઈને સોનલધામ ખાતે ભવ્ય જન્મ શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 11,12 અને 13 જાન્યુઆરીએ યોજાનાર ત્રણ દિવસીય મહોત્સવમાં રાજ્યપાલ, મુખ્યમંત્રી, મંત્રીઓ તેમજ તમામ સંપ્રદાયના સંતો, સામાજીક આગેવાનો અને કલાકારો ઉપસ્થિત રહેવાના છે. ત્યારે હાલ તો આજથી જન્મ શતાબ્દી મહોત્સવનું મોરારી બાપુ અને સાધુ સંતોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી જન્મ શતાબ્દીનો પ્રારંભ કારવામાં આવ્યો છે.

મઢડા ખાતે આવેલા સોનલધામ ખાતે 700 વીઘામાં માં સોનલ આઈનાં જન્મ શતાબ્દી મહોત્સવની ઉજવણી થવાની છે. 200 વિઘામાં શભા મંડપ તેમજ ભોજનાલય સાથે અનેક વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે અને આ મહોત્સવમાં રાજયના અનેક સંતો મહંતો તેમજ રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. જેમાં દ્વારકા શારદાપીઠ પીઠાધિશ્રવર જગતગુરૂ શંકરાચાર્યજી, પ્રખર રામાયણી મોરારીબાપુ, મુકતાનંદબાપુ, ખોડલધામના નરેશ પટેલ, શ્રીમદ ભગવત કથાકાર રમેશભાઇ ઓઝા, પ્રાસલા આશ્રમના ધર્મબંધુજી મહારાજ તેમજ ગુજરાત રાજયના રાજયપાલ આચાર્ય દેવવ્રતજી તેમજ મુખ્યમંત્રી કેન્દ્રીય મંત્રી અને ગુજરાત રાજયના પ્રદેશ આગેવાનો તેમજ સાંસદ, ધારાસભ્ય સહિત ચારણ સમાજના આગેવાનો અને દેશના ખ્યાતનામ લોકસાહિત્યકાર સાથે નામાક્તિ ભજનીક કલાકારોની ઉપસ્થિતીમાં ભવ્ય શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે.

ત્રણ દિવસીય જન્મ શતાબ્દી મહોત્સવ માટે છેલ્લા છ મહિનાથી તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જેમાં 10 લાખથી વધુ ભાવિકો પધારશે.વિશ્વભરના માં સોનલ આઈના 200થી વધુ મંદિરના સંચાલકો અને ભાવિકો એક જ જગ્યાએ એટલે કે મઢડા સોનલધામ ખાતે એકઠા થઈ તૈયારીઓને આખરી ઓપ આપ્યો હતો

Next Story