ખેડા: યાત્રાધામ વડતાલથી ઐતિહાસિક સમરસ કાવડ યાત્રાનો ભાજપ અધ્યક્ષ સી. આર.પાટિલના હસ્તે પ્રારંભ
ખેડા જિલ્લાના વડતાલ ખાતેથી અખિલ ભારતીય સંત સમતી દ્વારા ઐતિહાસિક સમરસ કાવડ યાત્રા આયોજિત થઈ રહી છે
BY Connect Gujarat Desk20 Aug 2022 8:49 AM GMT
X
Connect Gujarat Desk20 Aug 2022 8:49 AM GMT
ખેડા જિલ્લાના વડતાલ ખાતેથી અખિલ ભારતીય સંત સમતી દ્વારા ઐતિહાસિક સમરસ કાવડ યાત્રા આયોજિત થઈ રહી છે આ કાવડ યાત્રા દ્વારા હરિદ્વારથી જળ લાવી 182 વિધાનસભાઓ ના 202 પૌરાણિક શિવાલયોમાં અભિષેક કરવામાં આવશે.આ કાવડ યાત્રામાં 2200 જેટલાં કાવડ યાત્રીઓ ને 250 જેટલાં સંતો જોડાયા છે. આ યાત્રાનો પવિત્ર યાત્રા ધામ વડતાલ ખાતેથી ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.વડતાલ ખાતેથી શુભારંભ થયેલી આ યાત્રામાં વડતાલ મંદિરના આચાર્ય રાકેશ પ્રસાદ મહારાજ, અખિલ ભારતીય સંત સમિતિના ચેરમેન નૌતમ સ્વામી, કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી, મુખ્ય દંડક પંકજ દેસાઈ, ગોરધન ઝડફિયા, ભાર્ગવ ભટ્ટ સહિત, સંતો - મહંતો ઉપસ્થિત રહ્યા હતા
Next Story