ખેડા : ડાકોરના રણછોડજીના દર્શને આવેલાં ભકતોને તુલસીના છોડની ભેટ અપાય
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી, ભાજપ તથા વન વિભાગ દ્વારા યોજાયો કાર્યક્રમ.
BY Connect Gujarat17 Sep 2021 7:06 AM GMT
X
Connect Gujarat17 Sep 2021 7:06 AM GMT
ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોર ખાતે ભાજપ અને વન વિભાગ તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરાય હતી.
દેશભરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71મા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ખેડા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં નરેન્દ્ર મોદીના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
ડાકોરના રણછોડરાયજીના દર્શન માટે આવેલાં ભકતોને તુલસીના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. વન વિભાગ તથા ભાજપ સંગઠન તરફથી તુલસી વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રધ્ધાળુઓ પણ તુલસીના રોપા મેળવીને ખુશ થયાં હતાં.
Next Story