ખેડા જિલ્લાના નડિયાદ સ્થિત પીપીલગ સ્વામીનારાયણ મંદીર ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આગામી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણીના ભાગરૂપે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સ્વામિનારાયણ મંદિર (BAPS) પીપલગના પરિસરમાં યોગ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં યોગકોચ, યોગ ટ્રેઈનર્સ અને 550થી વધુ યોગ સાધકોએ ભાગ લઈ યોગના વિવિધ આસનો કર્યા હતા. આ કાર્યક્રમમાં સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી સર્વ મંગલદાસ સ્વામી, સંતરામ મંદિરના સંત સત્યદાશજી મહારાજ, જીલ્લા રમત ગમત અધિકારી લક્ષ્મણ ચૌહાણ અને રમત વિકાસ અધિકારી મનસુખ તાવેથીયા, રાજ્ય યોગ બોડૅના મધ્ય ઝૉનના ઝોન કોર્ડીનેટર ડો. જયના પાઠક, ખેડા જીલ્લાના યોગ કોર્ડીનેટર મીનલ પટેલ સહિત યોગ સાધકો જોડાયા હતા.