ખેડા : વસો ખાતે યુવાનો માટે તાલુકા કક્ષાની વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિર યોજાય...

નિખિલ જોશી, મદદનીશ પ્રાધ્યાપક, આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા “વ્યક્તિત્વ વિકાસ” વિષય ઉપર વક્તવ્ય આપવામાં આવ્યું.

New Update
ખેડા : વસો ખાતે યુવાનો માટે તાલુકા કક્ષાની વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિર યોજાય...

ખેડા જિલ્લાના વસો ખાતે નવી પેઢી એવા યુવાનો માટે તાલુકા કક્ષાની વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. કૃષિ મહાવિદ્યાલય–વ-કૃષિ પોલીટેકનીક, આણંદ કૃષિ યુનિવર્સીટી વસો ખાતે વિદ્યાર્થી સંઘ દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસના ભાગરૂપે કૃષિ મહાવિદ્યાલય-વ-કૃષિ પોલીટેકનીક, આ.કૃ.યુ. વસો દ્વારા રમત ગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અને કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર, જીલ્લા યુવા વિકાસ અધિકારી, નડિયાદ અને પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય, નડિયાદના સહયોગથી વ્યક્તિત્વ વિકાસ અને યોગ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

નિખિલ જોશી, મદદનીશ પ્રાધ્યાપક, આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા "વ્યક્તિત્વ વિકાસ" વિષય ઉપર વક્તવ્ય આપવામાં આવ્યું. જેમાં તેઓએ વ્યક્તિત્વ વિકાસ કરવાના વિવિધ આયામોના ખૂબ જ સુંદર ઉદાહરણની સાથે વિવિધ પુસ્તકોના બોધપાઠ પરથી વિદ્યાર્થીઓ વધુ સારી રીતે પોતાનું વ્યક્તિત્વ નિખારી શકે તે અંગેનું માર્ગદર્શન આપ્યું હતું.

દુષ્યંત મોદી, યોગાચાર્ય, નિવૃત ડાયરેક્ટર, યોગ, એક્યુપ્રેશર, કુદરતી ઉપચાર, મ.સ.યુનિવર્સિટી, વડોદરા, યોગાચાર્ય નયના મોદી અને પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય, નડિયાદના પ્રવિણાબેન દ્વારા વિદ્યાર્થીઓ અને સ્ટાફગણને "બોડી એન્ડ માઈન્ડ ફીટ એન્ડ ફાઈન" વિષયને અનુરૂપ સંગીત સાથે યોગના વિવિધ આસનોની પ્રાયોગિક રીતે તાલીમ આપવામાં આવી.

તેમજ યુવાનોનું અસ્થિતંત્ર સુદ્રઢ રહે અને રોજબરોજના દૈનિક જીવનમાં વિવિધ શારિરીક સમસ્યાના નિવારણ અર્થે ખૂબ જ સુંદર યોગાસનની તાલીમ આપી. વધુમાં આંખની કાર્યક્ષમતા સુધારવા, પાચનતંત્ર અને ઉત્સર્ગતંત્રની કાર્યક્ષમતા સુધારવા વિવિધ યોગાસનોની સમજ આપી. અક્ષય મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી નડિયાદ દ્વારા યુવા વિકાસ યોજનાઓ અંગેની સરકારશ્રીની આદર્શ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી.

Read the Next Article

અંકલેશ્વર: GIDCમાં વરસાદી માહોલ વચ્ચે ગેસલાઈનમાં ભંગાણ, ફાયર વિભાગ દોડી આવ્યું

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં ફરી ગેસ લાઈનમાં લીકેજ થતા નાસભાગ મચી જવા પામી હતી.કોહીજન લાઈફ સાયન્સ કંપની નજીક ગેસ લાઇનમાં ભંગાણ સર્જાયું હતું

New Update
MixCollage-26-Jun-2025-08-06-PM-7022

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં ફરી ગેસ લાઈનમાં લીકેજ થતા નાસભાગ મચી જવા પામી હતી.કોહીજન લાઈફ સાયન્સ કંપની નજીક ગેસ લાઇનમાં ભંગાણ સર્જાયું હતું

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં  આવેલ કોહીઝોન લાઈફ સાયન્સ કંપની પાસે વરસાદી માહોલ વચ્ચે ગેસ લાઈનમાં ભંગાણ સર્જાતા આસપાસની કંપનીઓમાં નાસભાગ મચી જવા પામી હતી.ગેસ લીકેજ અંગે કંપનીના અધિકારીઓએ ગુજરાત ગેસ કંપની અને ફાયર વિભાગને જાણ કરતા અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને ગેસ લાઈન બંધ કરી સમારકામની કામગીરી હાથ ધરી હતી.સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી.
Latest Stories