ખોડલધામ પ્રાણપ્રતિષ્ઠાને આજે 6 વર્ષ પૂર્ણ અવસરે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ઉજવણી કરાય...

કાગવડ સ્થિત શ્રી ખોડલધામ મંદિરને આજે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના 6 વર્ષ પુરા થઈને 7માં વર્ષમાં પ્રવેશ થયો છે.

New Update
ખોડલધામ પ્રાણપ્રતિષ્ઠાને આજે 6 વર્ષ પૂર્ણ અવસરે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ઉજવણી કરાય...

કાગવડ સ્થિત શ્રી ખોડલધામ મંદિરને આજે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના 6 વર્ષ પુરા થઈને 7માં વર્ષમાં પ્રવેશ થયો છે. આ પ્રસંગે વિશેષ કાર્યક્રમમાં ઉપસ્થિત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલે ખોડલધામનો ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું. ત્યારબાદ ખોડિયાર માતાજીના મંદિરે CM ભૂપેન્દ્ર પટેલે ધ્વજારોહણ કર્યું હતુ. આ કાર્યક્રમમાં ખોડલધામ ચેરમેન તથા ખોડલધામ ટ્ર્સ્ટના ટ્રસ્ટીઓ દ્વારા કેબિનેટ અને રાજ્ય કક્ષાના અનેક મંત્રીઓ સહિત ધારાસભ્યોનું ખોડલધામનો ખેસ પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતુ. સાથે ખોડલધામના 40 નવા ટ્રસ્ટીઓનું પણ ખોડલધામનો ખેસ પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતુ. જનમેદનીને સંબોધતા ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલે જણાવ્યું હતું કે, આ વર્ષે આપણે ભવ્ય મહોત્સવનું આયોજન કર્યું છે, ત્યારે આવનારા વર્ષમાં એટલે કે, 2027માં ભવ્ય શતાબ્દી મહોત્સવ ઉજવાશે. આ પ્રસંગે રાજકોટ નજીક અમરેલી ખાતે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા 50 એકર જગ્યા પર શિક્ષણ અને આરોગ્યને લઇને ખુબ મોટા પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત ટુંક સમયમાં થશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રતીક મંદિર ખાતે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા જમીનની ખરીદી પણ થઇ ગઈ છે, જ્યાં ટૂંક સમયમાં જ કામ શરૂ કરી દેવામાં આવશે. સંબોધનના અંતમાં તેઓએ માઁ ખોડલ અને દેવાધિદેવ મહાદેવને પ્રાર્થના કરી ગુજરાતના મુખ્યમંત્રીની આગેવાની હેઠળ રાજ્યના તમામ પરિવાર કુશળ રહે તેવી પ્રાથના કરી હતી.

Read the Next Article

“વિશ્વ વસ્તી દિન” : ભરૂચના આમોદમાં આરોગ્ય કર્મચારીઓએ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો...

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

New Update

આજરોજ ઠેર ઠેર વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરાય

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા આયોજન

આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા કાર્યક્રમ યોજાયો

આરોગ્ય કર્મચારીઓ દ્વારા સૂત્રોચાર સાથે રેલી યોજાય

સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા-ભરૂચના માર્ગદર્શન હેઠળ આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આમોદ તાલુકા આરોગ્ય કચેરીથી મામલતદાર કચેરી સુધી આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ પ્લેકાર્ડ લખેલા સૂત્રોચાર સાથે વિશાળ રેલી યોજી હતી. જેમાં આમોદ તાલુકાના સમનીઆછોદ તેમજ માતર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ આરોગ્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા. આ સાથે જ આમોદ તાલુકા આરોગ્ય અધિકારી ડો. કંચનકુમાર સિંગ પણ રેલીમાં જોડાયા હતા. રેલી દરમિયાન આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ સૂત્રો લખેલા પ્લેકાર્ડ બતાવી લોકોને જાગૃત કર્યા  હતા. તેમજ'નાનું કુટુંબસુખી કુટુંબ', 'માઁ બનવાની એ જ ઉંમરજ્યારે શરીર અને મન હોય તૈયારજેવા સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે આમોદ તાલુકા આરોગ્ય અધિકારી કંચનકુમાર સિંગ દ્વારા વસ્તી નિયંત્રણ કરવા લોકોને અપીલ કરવામાં આવી હતી.