કચ્છ : રાપરના MBBSના વિધાર્થીએ ભંગારમાંથી બેટરીથી ચાલતી બાઈક બનાવી,જુઓ અદભૂત કારીગરી

છેલ્લા બે માસની મહેનત બાદ ઘરના વિશાળ ધાબા પર બેટરીથી ચાલતી ટુ સીટર 58 ઇંચની ગાડી ભંગારમાંથી બનાવી છે.

New Update
કચ્છ : રાપરના MBBSના  વિધાર્થીએ ભંગારમાંથી બેટરીથી ચાલતી બાઈક બનાવી,જુઓ અદભૂત કારીગરી

એમ.બી.બી.એસમાં પ્રવેશ મેળવનારા કચ્છના રાપરના 19 વર્ષીય શ્રેયએ સ્થાનિક ભંગારવાડામાંથી ચીજ વસ્તુઓ ભેગી કરી દિવસરાત મહેનત કરી અને અન્ય સામગ્રી એકઠી કરી ગાડી બનાવી છે.કચ્છ જિલ્લાના રાપર તાલુકાનાં શ્રેય ઓઝા કે જેઓ MBBSમાં અભ્યાસ અર્થે પ્રવેશ મેળવવા જઇ રહ્યો હતો.

તે પહેલા જ એક ડોક્ટરે એક એંજિનયરિંગનું કામ કરી બતાવ્યુ હતું. છેલ્લા બે માસની મહેનત બાદ ઘરના વિશાળ ધાબા પર બેટરીથી ચાલતી ટુ સીટર 58 ઇંચની ગાડી ભંગારમાંથી બનાવી છે. માતા પિતાના સહકારથી શ્રેયએ પોતાનું કામ પાર પાડ્યુ હતું. બેટરી, મોટર અને વિવિધ અન્ય વસ્તુઓ બજારમાંથી લીધી, મોબાઈલ ચાર્જિંગની સિસ્ટમ પણ અંદર લગાવી છે. શ્રેય આજે એક ડોક્ટરમાંથી સફળ એન્જિનિયર બની ગયો છે જેની કચ્છ જિલ્લામાં ચર્ચા થઇ રહી છે.

Read the Next Article

ગાંધીનગર : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં રાજભવન ખાતે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાય..

રાજભવન પરિવારના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર સમૂહ યોગાભ્યાસ કર્યો યોગાભ્યાસ બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ સૌને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાના શપથ પણ લેવડાવ્યા

New Update
  • રાજભવન ખાતે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

  • રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં ઉજવણી કરાય

  • રાજભવન પરિવારના અધિકારીઓ-કર્મચારીઓની ઉપસ્થિતી

  • યોગ દિવસ નિમિત્તે ઉપસ્થિતોએ સમૂહમાં યોગાભ્યાસ કર્યો

  • યોગને જીવનનો નિયમિત ભાગ બનાવો : આચાર્ય દેવવ્રત 

ગાંધીનગર રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પ્રેરક ઉપસ્થિતિમાં 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ગાંધીનગર રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાજભવન પરિવારના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર સમૂહ યોગાભ્યાસ કર્યો હતો.

યોગાભ્યાસ બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ સૌને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાના શપથ પણ લેવડાવ્યા હતા. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ જણાવ્યું હતું કેયોગને જીવનનો નિયમિત ભાગ બનાવો. વધુમાં તેમણે કહ્યું કેયોગથી જીવનમાં આરોગ્ય અને સુખ તો આવે જ છેસાથોસાથ આધ્યાત્મિક ઉન્નતિનો માર્ગ પણ પ્રશસ્ત થાય છે.