કચ્છ: લંડનના માર્કેટમાં કેસર કેરીની બોલબાલા,લોકો ખરીદવા માટે કરે છે પડાપડી

લંડનમાં કચ્છની કેસર કેરીની માંગ વધી છે. લંડનમાં રહેતા ગુજરાતી પરિવારો કેસર કેરી ખરીદવા માટે પડાપડી કરી રહ્યા છે

New Update
કચ્છ: લંડનના માર્કેટમાં કેસર કેરીની બોલબાલા,લોકો ખરીદવા માટે કરે છે પડાપડી

લંડનમાં કચ્છની કેસર કેરીની માંગ વધી છે. લંડનમાં રહેતા ગુજરાતી પરિવારો કેસર કેરી ખરીદવા માટે પડાપડી કરી રહ્યા છે

કચ્છની કેસર કેરીની બોલબાલા જોવા મળે છે.કચ્છની કેરીની માર્કેટ લંડનમાં પ્રારંભ થવા પામી છે. મૂળ ભુજ તાલુકાના દહીંસરા ગામના વતની અને લંડન ખાતેના નોર્થ આમટન ખાતે 15 વર્ષથી રોથ વેલ યુકે લિમિટેડ નામની શોપ ધરાવતા મેઘજીભાઈ ભુડિયાના જણાવ્યા પ્રમાણે છેલ્લા ચાર દિવસથી લંડનની માર્કેટમાં કચ્છની કેસર કેરી આવી છે જેની બોલબાલા જોવા મળે છે.કેસર કેરી ભારતીય સિવાય પણ તમામ દેશના લોકો લેવા આવે છે.કેરીની સીઝનમાં શરૂઆતના સમયે મહારાષ્ટ્ર,વલસાડ,જૂનાગઢ,અને અંતિમ તબક્કામાં કચ્છની કેરી આવતી હોય છે.યુનાઇટેડ કિંગડમમાં દરરોજ 400થી 500 ટન કેસર કેરી આવી રહી છે.લંડન ખાતે મેઘજીભાઈ સાથે તેમના પુત્ર પરેશ પણ કેરીઓ પહોંચાડી રહ્યા છે.તેમના કહેવા મુજબ અહીંના કિંગ્સબરી, કારદીફ,બર્મિંગહામ, લેસ્ટર,સહિતના વિસ્તારોમાં ગુજરાતીઓ મોટા ભાગના રહે છે ,જેઓ કેસર કેરીનો આગ્રહ કરતા હોય છે,આ વર્ષે વાતાવરણને લઈને કચ્છમાં કેરીને નુકશાની થઈ છે પણ તેમ છતાં હવે મોડે મોડેથી પણ કેરી માર્કેટ સુધી પહોંચી રહી છે.

Read the Next Article

ભરૂચ: પોલીસ દ્વારા BAIL કંપનીમાં રૂ.1.25 કરોડની કિંમતના ડ્રગ્સના જથ્થાનો કરાયો નાશ !

ભરૂચ પોલીસ દ્વારા રૂ.1.25 કરોડની કિંમતના ડ્રગસના જથ્થાનો વૈજ્ઞાનિક ઢબે નાશ કરાયો, 17 ગુનામાં  ડ્રગ્સનો 600 કિલો જથ્થો ઝડપાયો હતો.રાજ્યમાં  તા.૨૧/૦૫/૨૦૨૫ થી તા.૧૯/૦૬/૨૦૨૫ સુધી નાર્કોટીકસના

New Update

ભરૂચ પોલીસની કાર્યવાહી

ડ્રગસના જથ્થાનો નાશ કરાયો

દહેજની બેઇલ કંપનીમાં નાશ કરાયો

રૂ.1.25 કરોડની કિંમતનું ઝડપાયું હતું ડ્રગસ

વૈજ્ઞાનિક ઢબે નાશ કરાયો

ભરૂચ પોલીસ દ્વારા રૂ.1.25 કરોડની કિંમતના ડ્રગસના જથ્થાનો વૈજ્ઞાનિક ઢબે નાશ કરાયો, 17 ગુનામાં  ડ્રગ્સનો 600 કિલો જથ્થો ઝડપાયો હતો.
રાજ્યમાં  તા.૨૧/૦૫/૨૦૨૫ થી તા.૧૯/૦૬/૨૦૨૫ સુધી નાર્કોટીકસના ગુન્હામાાં જપ્ત કરેલ મુદ્દામાલના નાશ-નિકાલની કાર્યવાહી કરવા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત ભરૂચ જિલ્લા ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીના અધ્યક્ષ મયુર ચાવડા  તથા ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીના સભ્ય ડૉ. કુશલ ઓઝા, નાયબ પોલીસ અધિક્ષકના  માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. ભરૂચના પોલીસ ઇન્સ્પેકટર એ.એ.ચૌધરીના સંકલન દ્વારા ભરૂચ જિલ્લાના 7 પોલીસ પોલીસ મથકના 17 ગુનામાં ઝડપાયેલા રૂ.1.25 કરોડની કિંમતના 608 કિલો ડ્રગ્સનો દહેજમાં આવેલ બેઇલ કંપની ખાતે વૈજ્ઞાનિક ઢબે નાશ કરવામાં આવ્યો હતો.સૌથી વધુ 576 કિલો ડ્રગ્સ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યું હતું.