કચ્છ: જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ સુજલામ સુફલામ અભિયાન અંતર્ગત ચાલતા વિકાસકામોનું કર્યું નિરિક્ષણ

New Update
કચ્છ: જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ સુજલામ સુફલામ અભિયાન અંતર્ગત ચાલતા વિકાસકામોનું કર્યું નિરિક્ષણ

જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રી કુંવરજી બાવળીયાએ કચ્છના રાપર તાલુકાના વિવિધ ગામોના સુજલામ સુફલામ અભિયાન અંતર્ગત ચાલતા વિકાસકામોનું જાત નિરીક્ષણ કરીને મુલાકાત લીધી હતી.

મંત્રીએ પેયજળ અને સિંચાઇ વિભાગના કામો વિશે વિગતવાર જાણકારી મેળવી અધિકારીઓને જરૂરી ‌માર્ગદર્શન સાથે સૂચનાઓ આપી હતી. તેઓએ મુલાકાત દરમિયાન ગામ લોકોના પાણી વિતરણ અંગેના પ્રશ્નો સાંભળીને તાત્કાલિક નિવારણ આવે તે દિશામાં કામગીરી કરવા તાકીદ કરી હતી.

Latest Stories