મહીસાગર : વિરપુરનો પ્રજાપતિ પરિવાર બનાવે છે માટીનો "ગરબો", નવરાત્રીમાં કરાય છે સ્થાપન

મહીસાગર જિલ્લાના વિરપુર ગામના પ્રજાપતિ પરિવારે માટીનો ગરબો બનાવવાની કળાને હજી જીવંત રાખી છે.....

New Update
મહીસાગર : વિરપુરનો પ્રજાપતિ પરિવાર બનાવે છે માટીનો "ગરબો", નવરાત્રીમાં કરાય છે સ્થાપન

નવલા નોરતાનો પ્રારંભ થઇ ચુકયો છે ત્યારે વિવિધ સ્થળોએ પરંપરા અનુસાર માટીના ગરબાનું સ્થાપન કરવામાં આવ્યું છે. સમયની સાથે સાથે હવે માટીકામનો વ્યવસાય લુપ્ત થઇ રહયો છે ત્યારે મહીસાગર જિલ્લાના વિરપુર ગામના પ્રજાપતિ પરિવારે માટીનો ગરબો બનાવવાની કળાને હજી જીવંત રાખી છે.....

નવરાત્રિ અને દિવાળીના તહેવારમાં માટીના કોડીયા સહિતની વસ્તુઓની માંગમાં વધારો થતો હોય છે પણ હવે ઇલેકટ્રીક તોરણો અને દીવાઓ આવી જતાં માટીમાંથી બનેલી વસ્તુઓ લોકો ઓછી ખરીદતાં હોય છે. માટીકામ સાથે સંકળાયેલાં પ્રજાપતિ પરિવારોનો પરંપરાગત વ્યવસાય હવે નાબુદ થવાની એરણે છે. શહેરોમાં હવે માટીના કોડીયા અને ગરબાઓનું ખાસ વેચાણ થતું નથી પણ ગામડાઓમાં હજી ખરીદદારો મળી આવે છે. બજારોમાં છેલ્લા કેટલાક વર્ષોથી આકર્ષક લગતા ચાઇનીઝ કોડિયા આવી જતા માટીકામના મૂળભૂત હસ્તકળાને મરણતોલ ફટકો પડ્યો છે પરંતુ મહીસાગર જીલ્લાના વિરપુર ગામના પ્રજાપતિ સમાજના કારીગરોઓએ આજે પણ આ કળાને સાચવી રાખી છે.

વિરપુરના ભરત પ્રજાપતિના પરીવારની પાંચમી પેઢીએ માટીકામની કળાને જીવંત રાખી છે. નવરાત્રીનો તહેવાર શરૂ થઇ ચુકયો છે ત્યારે તેમણે અવનવી ડીઝાઇન અને રંગરોગાન સાથે માટીના ગરબા બનાવ્યાં છે. વિરપુર જ નહિ આસપાસના ગામડાઓમાંથી લોકો તેમને ત્યાં ખરીદી માટે આવી રહયાં છે. સાંપ્રત સમયમાં નવરાત્રીનું પણ આધુનિકરણ થઇ ગયું છે ત્યારે વિરપુર નગરમાં આજે પણ નવરાત્રીમાં માતાજીના ગરબાને ખરીદી તેમાં દીવો પ્રગટાવવાની પરંપરા અને સંસ્કૃતિ અકબંધ છે અને તાંબા અને પીતળના ગરબાની જગ્યા એ આજે પણ વિરપુર તાલુકામાં માટીના ગરબાનું આગવું મહત્વ છે.

Read the Next Article

જુનાગઢ : દીકરીના ભણતર બાબતની માથાકૂટમાં પત્નીની હત્યા કરનાર હત્યારા પતિની પોલીસે ધરપકડ કરી...

જુનાગઢના ભવનાથ વિસ્તારમાં દીકરીના ભણતર બાબતે થયેલ માથાકૂટમાં પતિએ પત્નીને ઢીકાપાટુ અને પેટમાં લાતો મારતાં પત્નીનું મૃત્યુ થયું હતું. સમગ્ર મામલે પોલીસે હત્યારા પતિની ધરપકડ

New Update

જુનાગઢ : દીકરીના ભણતર બાબતની માથાકૂટમાં પત્નીની હત્યા કરનાર હત્યારા પતિની પોલીસે ધરપકડ કરી...

સ્લગ : હત્યારો પતિ પોલીસ ગિરફ્તમાં..!

ભવનાથ વિસ્તારમાં રહેતા પરિવારનો માળો વિખાયો

દીકરીના ભણતર બાબતે પતિ-પત્ની વચ્ચેની માથાકૂટ

ઉશ્કેરાયેલા પતિએ પત્નીને ઢીકાપાટુનો માર માર્યો

પેટમાં લાતો મારતાં પત્નીનું મૃત્યુ નિપજતા ચકચાર

પોલીસે હત્યારા પત્ની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી

જુનાગઢના ભવનાથ વિસ્તારમાં દીકરીના ભણતર બાબતે થયેલ માથાકૂટમાં પતિએ પત્નીને ઢીકાપાટુ અને પેટમાં લાતો મારતાં પત્નીનું મૃત્યુ થયું હતું. સમગ્ર મામલે પોલીસે હત્યારા પત્ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા દેવભૂમિ દ્વારકા જિલ્લાના નંદાણા ગામથી જુનાગઢના ભવનાથ વિસ્તારમાં આવી વસવાટ કરતાં પરિવારનો માળો વિખાયો છે. ભવનાથ વિસ્તારમાં પતિ રાજેશ ચાવડા સાથે રહેતી પત્ની મલુબેનને પોતાની દીકરીના ભણતરની ચિંતા હતીત્યારે દીકરીના ભણતર બાબતે પતિ-પત્ની વચ્ચે માથાકૂટ થઈ હતી. આ દરમ્યાન ઉશ્કેરાયેલા પતિએ પત્ની ઉપર હુમલો કર્યો હતો. જેમાં પતિએ પત્નીને ઢીકાપાટુ અને પેટમાં લાતો મારતાં પત્નીને હોસ્પિટલ લઈ ગયા બાદ તેણીનું મૃત્યુ થયુ હતું. અગાઉ પણ પતિ રાજેશને પોતાની પત્ની સાથે માથાકૂટ થતીત્યારે બન્ને અલગ અલગ રહેતા હતા. જોકેસમાજના આગેવાનોએ બન્ને વચ્ચે સમાધાન કરાવતા તેઓએ ફરી સાથે રહી પોતાનો સંસાર ચલાવવાનું નક્કી કર્યું હતું. પરંતુ બન્ને વચ્ચે થયેલા ઝગડામાં સંસાર ચાલ્યો નહીંઅને હાલ પોતાની દીકરી માતા વિનાની નોધારી બની ગઈ છે. સમગ્ર મામલે ભવનાથ પોલીસે હત્યારા પતિ રાજેશ ચાવડાની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.