Connect Gujarat
ગુજરાત

મનીષ સિસોદિયા રાજ્યમાં કરશે મેરેથોન યાત્રા, યાત્રા સૌરાષ્ટ્રથી શરૂ થશે

ગુજરાત પ્રદેશ પ્રમુખ ઇટાલિયાએ ટ્વિટ કરીને કહ્યું કે, દિલ્હી શિક્ષણ ક્રાંતિના હીરો મનીષ સિસોદિયા નું ગુજરાતમાં સ્વાગત છે

મનીષ સિસોદિયા રાજ્યમાં કરશે મેરેથોન યાત્રા, યાત્રા સૌરાષ્ટ્રથી શરૂ થશે
X

રાજ્યમાં ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં જોરશોરથી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ વારંવાર ગુજરાતમાં આવીને જનતાને ગેરંટી આપી રહ્યાં છે. તેમણે ગઈકાલે વેપારીઓ અને રિક્ષાચાલકો સાથે સંવાદ કર્યો હતો. ત્યારબાદ તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ના મત વિસ્તારમાં એક રિક્ષાચાલકને ત્યાં ભોજન ગ્રહણ કર્યું હતું. બીજી તરફ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા પણ ગુજરાતમાં AAPનો જુવાળ જગાવવા રેલી કરશે.

ચુંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે કેજરીવાલે મનીષ સિસોદિયા ગુજરાત પ્રવાસની પણ જાહેરાત કરી છે. તેમણે ટ્વિટર પર ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, 'ગુજરાત હવે પરિવર્તન ઈચ્છે છે. મનીષ સિસોદિયા જલ્દી જ ગુજરાતમાં યાત્રા યોજશે. ગુજરાત પ્રદેશ પ્રમુખ ઇટાલિયાએ ટ્વિટ કરીને કહ્યું કે, દિલ્હી શિક્ષણ ક્રાંતિના હીરો મનીષ સિસોદિયા નું ગુજરાતમાં સ્વાગત છે. ગુજરાત પરિવર્તન માંગી રહ્યું છે. આવો આપણે સૌ સાથે મળીને શિક્ષણ, આરોગ્ય, વીજળી, રોજગારી મુદ્દે મતદાન કરીને પરિવર્તન લાવી એ મળતી વિગતો અનુસાર મનીષ સિસોદિયા આ યાત્રા સૌરાષ્ટ્રથી શરૂ થસે અને રાજ્યના મોટાભાગના જિલ્લાને આવરી લેશે આ યાત્રા દરમિયાન નુક્કડ નાટક રેલીઓ અને જન સભા યોજવામાં આવશે

Next Story