નવસારી : 70 દિવસનો સમય આપ્યા બાદ NMC’ની કાર્યવાહી, આડેધડ ઊભા કરાયેલા 17થી વધુ મહાકાય હોર્ડીંગ્સ દૂર કર્યા...

નવસારી મહાનગરપાલિકાએ અગાઉ હોર્ડીંગ્સ ધારકોને 70 દિવસનો સમય આપ્યો હતો. જે બાદ દબાણ શાખાની ટીમ દ્વારા મહાકાય 17થી વધુ હોર્ડીંગ્સ ઉતારવામાં આવ્યા

New Update
  • મહાનગરપાલિકાના દબાણ વિભાગ દ્વારા કડક કાર્યવાહી

  • સ્ટેશન રોડ સહિતના વિસ્તારમાં મનપાએ કાર્યવાહી કરી

  • આડેધડ ઊભા કરાયેલા ગેરકાયદેસર હોર્ડિંગ્સ દૂર કરાયા

  • 17થી વધુ મોટા હોલ્ડિંગ્સ ઉતારવાની કામગીરી હાથ ધરી

  • NMCએ હોર્ડીંગ્સ ધારકોને આપ્યો હતો 70 દિવસનો સમય

નવસારી શહેરમાં આડેધડ ઊભા કરાયેલા મહાકાય હોર્ડીંગ્સ મહાનગરપાલિકા દ્વારા દૂર કરવામાં આવ્યા હતા. નવસારી મહાનગરપાલિકાના દબાણ વિભાગ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નવસારી શહેરના સ્ટેશન રોડ સહિતના વિસ્તારમાં આડેધડ ઊભા કરાયેલા ગેરકાયદેસર હોર્ડિંગ્સ દૂર કરવામાં આવ્યા હતા. જેમાં 17થી વધુ મોટા હોલ્ડિંગ્સને NMCની દબાણ શાખાની ટીમ દ્વારા ઉતારવાની કામગીરી હાથ ધરાઈ હતી. નવસારી મહાનગરપાલિકાએ અગાઉ હોર્ડીંગ્સ ધારકોને 70 દિવસનો સમય આપ્યો હતો. જે બાદ દબાણ શાખાની ટીમ દ્વારા ઉતારવામાં આવ્યા હતા.

Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.