Connect Gujarat
ગુજરાત

નારાયણ સાઈની ગુજરાત HCમાં હંગામી જામીન અરજી:આશારામને હૃદયસંબંધી બીમારી

આશારામના પુત્ર નારાયણ સાઈ સામે સુરતની એક મહિલાએ વર્ષ 2013માં જહાંગીરપુરા પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.

નારાયણ સાઈની ગુજરાત HCમાં હંગામી જામીન અરજી:આશારામને હૃદયસંબંધી બીમારી
X

આશારામના પુત્ર નારાયણ સાઈ સામે સુરતની એક મહિલાએ વર્ષ 2013માં જહાંગીરપુરા પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. નારાયણ સાઈ સામે સુરતની સેશન્સ કોર્ટમાં વર્ષ 2014માં કેસ દાખલ થયો હતો, જેનો વર્ષ 2019માં ચુકાદો આવ્યો હતો. એમાં કોર્ટે નારાયણ સાઈને આજીવન કારાવાસની સજા ફટકારી હતી, જેને નારાયણ સાઈએ હાઇકોર્ટમાં પડકારી અને કેસ પેન્ડિંગ છે. ત્યારે નારાયણ સાઈએ પોતાના પિતા આશારામની તબિયત ખરાબ હોવાથી અને તેમને જોધપુરની એઇમ્સ હોસ્પિટલમાં દાખલ કરેલા હોવાથી 20 દિવસના હંગામી જામીન હાઇકોર્ટ સમક્ષ માગ્યા છે. આ જામીન અરજી પર 29 જાન્યુઆરીના રોજ જજ એ.એસ. સુપેહીઆ અને વિમલ વ્યાસની કોર્ટમાં રજૂ થશે. નારાયણ સાઈએ પોતાની જામીન અરજીમાં જણાવ્યું છે કે તેમના પિતાની ઉંમર 85 વર્ષ છે, જ્યારે માતાની ઉંમર 80 વર્ષની છે. તે પોતે માતા-પિતાનું એકમાત્ર સંતાન છે. ત્યારે તેના પિતાની તબિયત નાદુરસ્ત હોવાથી આશારામને જોધપુર AIIMS ખાતે દાખલ કરવામાં આવ્યા છે. તેમની તબિયત બગડતી જાય છે. તેમને હૃદયને લગતી તકલીફ હોવાથી બાયપાસ સર્જરી અથવા એન્જિયોગ્રાફી કરવી પડે એવી શક્યતા છે. ડોક્ટરે પણ આશારામની ઉંમર વધુ હોવાથી સર્જરીમાં વધુ જોખમ હોવાનું જણાવ્યું છે. પિતાની સર્જરી માટે અને અન્ય સ્વાસ્થ્યસંબંધી સમસ્યાઓ માટે અન્ય ડોક્ટરનો પણ સંપર્ક કરવાનો છે.

Next Story