Connect Gujarat
ગુજરાત

નર્મદા: દાહોદના સાંસદ જશવંત સિંહ ભાભોરે રાજપીપળાની લીધી મુલાકાત, વિવિધ પ્રશ્નોના નિરાકરણની આપી ખાતરી

ધાર્મિક સ્થળની મુલાકાત લીધી હતી.રાજપીપળા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે તેઓએ વિસ્તારના પ્રશ્નો બાબાતે આગેવાનો સાથે ચર્ચા કરી હતી

X

દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરે આજરોજ નર્મદા જિલ્લાની મુલાકાત લીધી હતી અને રાજપીપળા ખાતે વિવિધ સ્થળની મુલાકાત લીધી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારના આઠ વર્ષની ઉજવણીના ભાગરૂપે સાંસદ જશવંતસિંહ ભાભોર આજરોજ નર્મદા જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા તેઓએ રાજપીપળા શહેરના સંગઠનના હોદેદારો સાથે બેઠક કરી આવનારી વિધાનસભા પહેલા રાજપીપળા શહેરમાં ચાલી રહેલ વિવિધ સરકારી કામોની માહિતી મેળવી હતી.

સાથે જ સિવિલ હોસ્પિટલ અને ધાર્મિક સ્થળની મુલાકાત લીધી હતી.રાજપીપળા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે તેઓએ વિસ્તારના પ્રશ્નો બાબાતે આગેવાનો સાથે ચર્ચા કરી હતી. રાજપીપળા શહેરના વેપારીઓ દ્વારા રાજપીપળા -અંકલેશ્વર માર્ગ ,રેલવે અને એરપોર્ટ બાબતે રજુઆત કરવામાં આવી હતી જે બાબતે સાંસદ જશવંતસિંહ ભાભોરે પ્રશ્નોનાં નિરાકરણની ખાતરી આપી હતી

Next Story